સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે છે લૂપ સિનેમા. શહેરના પ્રાઈમ લોકેશન પર શરૂ થઈ રહેલું આઠ સ્ક્રીન સાથેનું આ મલ્ટિપ્લેક્સ નવા જ સિનેમેટિક્સનો અનુભવ કરાવશે. શહેરના પ્રાઈમ લોકેશન પર 8 સ્ક્રીન સાથેનું આ મલ્ટિપ્લેક્સ એક સિનેમા ઘર જ નહીં પણ રીફ્રેશ થવા માટેની એક અનોખી જગ્યા સાબિત થશે.

surat
Khabarchhe.com

આ અંગે લૂપ સિનેમાના અંશુલ ખુરાના અને અંકિતા ખુરાનાએ જણાવ્યું હતું કે શહેરમાં ઘણા બધા મલ્ટિપ્લેક્સ છે પણ લૂપ સિનેમા એ એક નવો અનુભવ સિનેમા પ્રેમીઓને આપશે. આધુનિક ટેક્નોલોજી સાથેની 8 સ્ક્રીન પર ફિલ્મ જોવાનો એક નવો જ અનુભવ મેળવી શકાશે. અહીં ડોલ્બી સ્પીકર સાથે ડોલ્બી સાઉન્ડ એ સાઉન્ડ ક્લેરિટી ખાસ હશે. સાથે બે પ્રીમિયમ સ્ક્રીન હશે જ્યાં વાયરલેસ ચાર્જિંગની વ્યવસ્થા છે. સાથે જ કોફી ઝોન અને હેલ્ધી ડેઝર્ટ પણ ઉપલબ્ધ હશે. એટલું જ નહીં લાઇવ કિચન પણ અહીં ઉપલબ્ધ છે. સાથે જ થ્રી લેયર પાર્કિંગની સુવિધા છે. 

surat
Khabarchhe.com

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લૂપ સિનેમાની ટેગ લાઇન છે રિવ્યૂ, રીફ્રેશ અને રીપીટ એટલે કે આ જગ્યા માત્ર સિનેમા નિહાળવા માટેનું સ્થળ નહીં પણ એક રિફેશ માટેનું સ્થળ પુરવાર થશે એવી અમને ખાતરી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.