નુસરત ભરૂચાએ મહાકાલના દર્શન કરતા મૌલાનાએ એક્ટ્રેસ વિરુદ્ધ જાહેર કર્યો ફતવો

બોલિવુડ અભિનેત્રી નુસરત ભરૂચા તાજેતરમાં ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચી હતી, જ્યાં તેણે મહાકાલેશ્વરના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. અભિનેત્રીએ પરંપરાગત ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો અને મંદિરના પૂજારીઓએ તેને શાલથી સન્માનિત કરી હતી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, તેનું આ પગલું હવે મુસ્લિમ ધર્મ અને ધાર્મિક સહિષ્ણુતાને લઈને ચર્ચાનો વિષય બની ગયું છે. અભિનેત્રી હવે પોતાની આ યાત્રા અને મહાકાલના દર્શનને કારણે લાઈમલાઇટમાં છે. અખિલ ભારતીય જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ નુસરત ભરૂચાની મહાકાલ મંદિરના દર્શન કરવાને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને અભિનેત્રી વિરુદ્ધ ફતવો જાહેર કરી દીધો છે.

Bann-American-Citizens
lalluram.com

મૌલાના શહાબુદ્દીનું કહેવું છે કે, નુસરત ભરૂચા મહાકાલ મંદિરમાં જે ધાર્મિક વિધિઓનું પાલન કર્યું, તે તમામ વસ્તુઓ ઇસ્લામની વિરુદ્ધ છે, જેના કારણે તે શરિયતની નજરમાં ગુનેગાર છે. મૌલાનાએ કહ્યું હતું કે નુસરતે આવું ન કરવું જોઈએ અને કલમાનો પાઠ પણ કરવો જોઈએ. મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવાને કારણે નુસરત ભરૂચા વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે. મૌલાના શહાબુદ્દીને તેને ગંભીર પાપ ગણાવ્યું છે. મૌલાના શહાબુદ્દીન રિઝવી બરેલવીએ અભિનેત્રીને સલાહ આપતા કહ્યું કે, ‘ઇસ્લામ મંદિરોમાં જવા, પૂજા કરવાની પરવાનગી આપતો નથી, અને તેણે અલ્લાહ પાસેથી માફી માંગવી જોઈએ.

નુસરત ભરૂચા 30 ડિસેમ્બર 2025, મંગળવારના રોજ મહાકાલ મંદિરના દર્શને પહોંચી હતી. તેણે ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો અને મહાકાલેશ્વરના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર સમિતિ તરફથી શિવકાંત પાંડે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે મહાકાલમાં પોતાની આસ્થા વિશે વાત કરતા કહ્યું કે તે દર વર્ષે બાબા બાબાના દર્શન માટે આવવા માગે છે. તેમણે એમ પણ કહ્યું કે તે બીજી વખત મહાકાલના દર્શને આવી છે.

maulana
jagran.com

ઉલ્લેખનીય છે કે, નુસરત ભરૂચાએ શુભંકર મિશ્રા સાથેની વાતચીતમાં ધર્મ પરના પોતાના વિચારો પર વાત કરી હતી. તેણે આ દરમિયાન કહ્યું હતું કે, ‘મારા માટે, મારો વિશ્વાસ સાચો છે. તેથી જ હું હજી પણ તેની સાથે જોડાયેલી છું, હજુ પણ મજબૂત છું, અને હું જાણું છું કે મારે આ જ માર્ગ પર ચાલવું પડશે. જ્યાં પણ તમને શાંતિ મળે, પછી ભલે તે મંદિર હોય, ગુરુદ્વારા હોય કે ચર્ચ હોય, તમારે જવું જોઈએ. હું તો આ વાત ખૂલીને કહું છું: હું નમાજ વાંચું છું. જો સમય હોય, તો હું દિવસમાં 5 વખત નમાઝ વાંચું છું. મુસાફરી કરતી વખતે હું મારી સાથે નમાઝની સાદડી પણ રાખું છું. મારું હંમેશા માનવું છે કે ભગવાન એક જ છે, અને તેમની સાથે જોડાવાના ઘણા રસ્તાઓ છે. અને હું તે બધા માર્ગો શોધવા માંગુ છું.

About The Author

Related Posts

Top News

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.