‘.. તો લાફો મારી દઇશ’ બોલીને સુનિલ શેટ્ટીએ રિજેક્ટ કરી હતી ફિલ્મ ‘બોર્ડર’, પછી કેમ થયા રાજી?

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના 3 દાયકાના કરિયરમાં જે.પી. દત્તાની ફિલ્મ બોર્ડરનો પર ઊંડો પ્રભાવ છે. આ વૉર ફિલ્મમાં ન માત્ર તેના પાત્રને, પરંતુ સુનિલને પણ ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી, પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેતાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તાજેતરમાં જ તેણે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેણે ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો કેમ કે તેને જે.પી. દત્તાના ગુસ્સા બાબતે ખબર પડી ગઈ હતી. સુનિલે કહ્યું કે, તેણે જે.પી. બાબતે કેટલીક કહાનીઓ સાંભળીને તેમના ગુસ્સાનો અંદાજો લગાવી લીધો હતો. તેણે કહ્યું કે, ‘મેં બોર્ડર ફિલ્મ કરવાની ના પાડી હતી કેમ  કે મેં સાંભળ્યું હતું કે જે.પી. દત્તા ખૂબ જ કડક છે અને જો તેમને ગુસ્સે આવી જાય  તો તેઓ ગાળો પણ આપે દે છે. હું પોતે પણ ખૂબ જ ગુસ્સાવાળો હતો, તો જ્યારે તેઓ મને મળવા આવ્યા, ત્યારે મેં કહ્યું કે હું પછી જવાબ આપીશ. પરંતુ મેં મારા સેક્રેટરીને કહી દીધું કે હું આ ફિલ્મ નહીં કરી શકું કારણ કે જો તે મને ગાળો આપી, તો હું પણ પણ મારામારી કરી બેસીશ અથવા થપ્પડ મારી દઇશ કેમ કે હું પણ એટલો જ ગુસ્સાળું છુ. હું કોઈ સાથે પોતાના સંબંધો બગાડવા માગતો નહોતો.

રેડિયો નશા સાથેની વાતચીતમાં સુનિલે આગળ કહ્યું કે, જેપી એટલા જિદ્દી હતા કે તેઓ બોર્ડરમાં મને જ ભૈરવ સિંહના પાત્રમાં ઇચ્છતા હતા. એટલે તેમણે ભરત શાહનો સંપર્ક કર્યો, જે મારી સાસુને જાણતા હતા. જ્યારે ફિલ્મ મારી સાસુના મધ્યમથી મારી પાસે આવી અને તેમણે મને બેસાડીને સમજાવ્યો, ત્યારે મેં હા પાડી. પરંતુ મેં એક શરત રાખી કે જો તેમણે મને શૂટિંગ દરમિયાન ગાળો આપી તો હું ફિલ્મ છોડી દઈશ. પરંતુ પહેલા જ દિવસથી, અમે એટલા સારા બની ગયા કે એવું લાગતું હતું કે અમે વર્ષોથી મિત્રો છીએ. મને ખરેખર લાગે છે કે તે એકમાત્ર વ્યક્તિ છે જેમણે મને પોતાની ફિલ્મમાં ત્યારે લીધો જ્યારે હું પોતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો.

sunil-shetty2
facebook.com/SunielVShetty

 

તેમણે ક્યારેય મારી ફિલ્મોની કોમર્શિયલ વેલ્યૂ ન જોઈ, તે જ એક સાચો મિત્ર હોય છે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે, મેં કદાચ પોતાની જિંદગીમાં ઘણા સંબંધો અને સુંદર લોકો માત્ર એટલે ગુમાવી દીધા કારણ કે મેં તેમની બાબતે કંઈક સાંભળ્યું છે અથવા કોઈ ધારણા બનાવી લીધી છે. ત્યારે મેં નક્કી કર્યું કે હવેથી હું દરેક સંબંધનો જાતે જ પારખીશ અને બીજા કોઈના અભિપ્રાયને મારા નિર્ણયોમાં દખલ નહીં થવા દઉં. ત્યારથી, મારી જિંદગીમાં એવો બદલાવ આવ્યો છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

rohit
cricket.one

 

સુનિલ શેટ્ટીની આગામી ફિલ્મ કેસરી વીર’ 23 મે 2025ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. આ ઐતિહાસિક એક્શન-ડ્રામા 14મી સદીમાં સોમનાથ મંદિરની રક્ષા કરનારા વીરોની કહાની પર આધારિત છે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રિન્સ ધીમને કર્યું છે અને તેમાં સુનિલ શેટ્ટી સાથે, સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય અને આકાંક્ષા શર્મા મહત્ત્વની ભૂમિકામાં છે. તો, જે.પી. દત્તા 1997માં રીલિઝ થયેલી બોર્ડરની સિક્વલબોર્ડર 2 પર કામ કરી રહ્યા છે, જેમાં સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી પણ નજરે પડશે. આ ફિલ્મમાં સની દેઓલ, દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને પરમવીર સિંહ ચીમા જેવા કલાકાર પણ સામેલ છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ પ્રજાસત્તાક દિવસના અવસર પર રીલિઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.