અંકિતા લોખંડેને કાસ્ટ કરવા માગતો નહોતો રણદીપ, એક્ટ્રેસે જણાવ્યું શું હતું કારણ

બોલિવુડ એક્ટ્રેસ અંકિતા લોખંડે પોતાના નીડર અંદાજ માટે મોટા ભાગે ચર્ચામાં રહે છે. વાત પછી તેના દિવંગત એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપુતની હોય કે પછી તેના પર્સનલ લાઇફની. અંકિતા લોખંડે પોતાના વિચાર બિન્દાસ અંદાજમાં સામે રાખતી રહી છે. હવે એક્ટ્રેસે ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર' બાબતે જણાવ્યું છે કે રણદીપ હુડ્ડા શરૂઆતમાં ઈચ્છતો નહોતો કે અંકિતા ફિલ્મનો હિસ્સો બને. અંકિતાએ જણાવ્યું કે, રણદીપને લાગતું હતું કે તે યમુનાબાઈ સાવરકરનું પાત્ર નિભાવવાના હિસાબે વધારે સુંદર છે.

યમુનાબાઈ સાવરકર ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર'માં વીર સાવરકરની પત્ની છે. સિનેમાઘરોમાં રીલિઝ થવા જઇ રહેલી ફિલ્મ 'બિગ બોસ 17'માં બાદ અંકિતા લોખંડેનો પહેલો પ્રોજેક્ટ હશે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન દ્વારા હોસ્ટેડ રિયાલિટી ટીવી શૉ બિગ બોસ 17'માં અંકિતા લોખંડે ટોપ-5 સુધી પહોંચવામાં સફળ રહી હતી. ફિલ્મની વાત કરીએ તો હાલમાં જ એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન એક્ટ્રેસે રણદીપ હુડ્ડાના વખાણ કર્યા અને જણાવ્યું કે, કેવી રીતે તેણે ખૂબ સારી રીતે ફિલ્મનું ડિરેક્શન કર્યું છે.

અંકિતા લોખંડેએ મરાઠીમાં જણાવ્યું કે, રણદીપે તેના (અંકિતના) પાત્ર બાબતે ખૂબ સારી રીતે રિસર્ચ કર્યું હતું. અંકિતા લોખંડેએ કહ્યું કે, તેણે મને કહ્યું કે, મને નથી લાગતું કે હું ફિલ્મમાં તને કાસ્ટ કરવા માગું છું. મેં પૂછ્યું કેમ? તો તેણે કહ્યું તું એ પાત્રના હિસાબે ખૂબ જ સુંદર છે. તે એ વાતને લઈને ખૂબ શ્યોર હતો કે તેને ફિલ્મમાં શું જોઈએ છે અને શું નહીં. અંકિતા લોખંડેએ જણાવ્યું કે, રણદીપને યમુનાબાઈ સાવરકર બાબતે બધી જ ખબર હતી. તે એક સફળ પુરુષ પાછળ ઊભી સફળ મહિલા હતી.

ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર'નું ડિરેક્શન રણદીપ હુડ્ડાએ કર્યું છે અને તેને લખી છે રણદીપ હુડા અને ઉત્કર્ષ નૈથાનીએ. ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે અને તેને સોશિયલ મીડિયા પર ખૂબસ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મને સિનેમાઘરોમાં કેટલો પ્રેમ મળે છે.

Related Posts

Top News

જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી...
Politics 
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.