‘KGF’ના શૂટિંગ દરમિયાન સંજય દત્તે યશને કેમ કહ્યું, ભાઈ મારું અપમાન નહીં કરતો

હાલમાં જ સંજય દત્તનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થયો છે, જેમાં ઇવેન્ટ દરમિયાન યશે ફિલ્મ સાથે જોડાયેલી અનેક વાતો કહી, જેમાં તેને જણાવ્યું કે, ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય દત્ત સેટ પર કેવી રીતે કામ કરતો હતો. અહિંયા સુધી કે, સંજયે યશને આ પણ કહ્યું હતું કે, ‘ભાઈ મારું અપમાન ન કરતો.’ સંજયની આ વાતની ઘટના કહેતા યશએ જણાવ્યું કે, ‘જેવી રીતે સંજય દત્તે પોતાના સ્વાસ્થ્યની સાથે આ ફિલ્મ માટે પોતાને કમિટેડ કર્યું છે. તે પ્રશંસાપાત્ર છે.’

 
 
 
View this post on Instagram

A post shared by Sanjay Dutt (@duttsanjay)

સાથે જ ‘રોકી ભાઈ’એ ‘અધીરા’ની પ્રશંસા કરતા કહ્યું કે, ‘તેમાં એમનું ડેડીકેશન જોવા મળે છે. અમે બધા જાણીએ છીએ કે કેવી રીતે તેમને પોતાને એક્શન સિક્વન્સ માટે સમર્પિત કર્યું છે. હું તેના માટે ખૂબ ગભરાયેલો હતો અને મેં બધાને સાવધાન રહેવા માટે કહ્યું હતું, પણ પછી એ મારી પાસે આવ્યા અને કહ્યું, યશ પ્લીઝ, મારું અપમાન ન કરતો. હું કરીશ અને હું આ કરવા ઈચ્છું છું, હું પોતાનું બેસ્ટ આપવા ઈચ્છું છું.’ સંજય દત્ત જે સમયે ‘KGF 2’ની શૂટિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન તે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યો હતો.

આ દરમિયાન તેને પોતાની ફિલ્મોની શૂટિંગ કરવી છોડી નથી અને પૂરી મહેનત અને ઉત્સાહ સાથે કામ ખતમ કર્યું હતું. પોતાની વાત ખતમ કરતા સમયે યશે કહ્યું કે, ‘સંજય સર તમે સાચે જ યોદ્ધા છો, તેઓ ખૂબ જ ડાઉન ટૂ અર્થ છે અને દયાળુ છે, તે મને યશ ભાઈ કહે છે.’

 
 
 
View this post on Instagram

A post shared by Sanjay Dutt (@duttsanjay)

આના પહેલા ફિલ્મ ‘KGF ચેપ્ટર 1’ વર્ષ 2018મા રીલિઝ થઇ હતી અને બીજો ભાગ 2022મા રીલિઝ થયો હતો. આ ફિલ્મને લઈને લોકોની વચ્ચે ક્રેઝ આટલો બધો છે કે, લોકો ત્રણ વર્ષથી આનો ત્રીજો પાર્ટ રીલિઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.