ઓનલાઇન ઓર્ડર કરીને મગાવેલી બિરયાની ખાતા યુવતીનું મોત, મંત્રીએ આપ્યા તપાસના આદેશ

કેરળના કાસરગોડમાં ફૂડ પોઇઝનિંગથી 20 વર્ષીય એક યુવતીના મોતની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ, આ યુવતીએ સ્થાનિક હૉટલમાંથી બિરયાનીની એક વેરાયટી ‘કુંઝિમંથી’ મંગાવી હતી. જેને ખાધા બાદ શનિવારે તેનું મોત થઇ ગયું. આ છોકરીની ઓળખ પેરૂંબાલાની રહેવાસી અંજુ શ્રીપાર્વતીના રૂપમાં થઇ છે. આ ઘટનાને લઇને કાસરગોડના લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને હૉટલ મલિક પર સખત કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અંજુએ કુંઝિમંથીનું સેવન કર્યું હતું, જેને તેણે 31 ડિસેમ્બરના રોજ કાસરગોડમાં રોમાન્સિયા નામની એક રેસ્ટોરાંમાંથી મંગવી હતી. બિરયાની ખાધા બાદ તે બીમાર થઇ ગઇ અને ત્યારથી તેની સારવાર ચાલી રહી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, યુવતીના માતા-પિતાએ આ સંબંધમાં ફરિયાદ કરી છે અને ત્યારબાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. અંજુ શ્રીપાર્વતીની સારવાર એક ખાનગી હૉટલમાં ચાલી રહી હતી.

અહીંથી તેને કર્ણાટકના મંગલુરુમાં એક અન્ય હૉસ્પિટલમાં લઇ જવામાં આવી. અહીં તેનું મોત થઇ ગયું. હવે આ ઘટના પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે આ ઘટનાના સંબંધમાં તપાસના આદેશ આપી દીધા છે. તેમણે પથનમથિટ્ટામાં રિપોર્ટ્સથી કહ્યું કે, ખાદ્ય સુરક્ષા કમિશનરને ઘટનાના સંબંધમાં રિપોર્ટ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે કહ્યું કે, ઝેરી ભોજન માટેની આરોપી હૉટલનું લાઇસન્સ ખાદ્ય સુરક્ષા અને માનાંક અધિનિયમ (FSSA) હેઠળ રદ્દ કરવામાં આવશે.

આ અગાઉ આ જ અઠવાડિયાની શરૂઆતમાં કોટ્ટાયમ મેડિકલ કૉલેજમાં એક નર્સનું ઝેરી ભોજન કરવાથી મોતની ઘટના સામે આવી હતી. કહેવામાં આવ્યું કે, નર્સે કોઝિકોડમાં એક રેસ્ટોરાંમાંથી ભોજન મંગાવ્યું હતું. ત્યારબાદ તેને ખાધા બાદ તે બીમાર થઇ ગઇ અને તેનું મોત થઇ ગયું. નર્સ રેશમી રાજ (ઉંમર 33 વર્ષ)એ અહીંની હૉટલ પાર્કમાંથી અરબી ચિકન ડિશ ‘અલ ફહમ’નો ઓર્ડર કર્યો હતો.

જેને ખાધા બાદ તેની તબિયત ખરાબ થઇ ગઇ હતી, તેમે ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી, જ્યાં તેનું મોત થઇ ગયું. ત્યારબાદ એ જ હૉટલમાં ભોજન કરનારા 20 અન્ય લોકોની તબિયત બગડી ગઇ હતી, જેમની સારવાર અલગ-અલગ હૉસ્પિટલોમાં થઇ. આ ઘટના બાદ કેરળ ખાદ્ય સુરક્ષા વિભાગે કાર્યવાહી કરતા 40 હૉટલોને બંધ કરાવી દીધી, 62 હોટલોને દંડ કર્યો અને આખા રાજ્યમાં છાપેમારી બાદ 28 અન્ય હૉટલોને ચેતવણી આપવામાં આવી.

About The Author

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.