વિધાનસભા-લોકસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપો, મહિલાઓને બંદૂક આપોઃ MLA ગેનીબેન

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે શુક્રવારે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે. ગેનીબેને મહિલા અનામતનો મુદ્દો ઉઠાવી વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામતની માગ કરી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ ગેનીબેને મહિલા અનામત મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, શુક્રવારે વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૃહમાં કહ્યું હતું કે, લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપવામાં આવે. તેમણે વધુમા કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર છે. છતાં આ અંગે નિર્ણય લેવાતો નથી. તેમણે કહ્યું કે, વિધાનસભા અને લોકસભામાં 33 ટકા મહિલા અનામત મામલે ચર્ચા કરી જલ્દી કાયદો બનાવવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર વિધાનસભામાં સમયાંતરે મહિલા સશક્તિકરણ માટેના મહત્ત્વના મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરતા હોય છે. પરંતુ, અગાઉ તેમણે મહિલાઓને હથિયાર આપવા મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આત્મસુરક્ષા માટે મહિલાને હથિયાર આપવાની મંજૂરીની માગ તેમણે કરી હતી. તેમણે સરકારને સવાલ કર્યો હતો કે, મહિલાઓની સુરક્ષા મામલે હથિયારની મંજૂરી આપવા માટે સરકારે શું નિર્ણય કર્યો? ત્યારે પ્રત્યુત્તરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં તાત્કાલિક ન્યાય મળે છે. મહિલાઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને કડક સજા કરવામાં આવશે.

આ પહેલા ધારાસભ્ય ગેનીબેને કહ્યું હતું કે, રાજ્યમાં હાલની સ્થિતિને જોતા બાળકીઓ માટે કરાટેની ટ્રેનિંગ પૂરતી નથી. કેટલાક વિસ્તારમાં હાલ પણ અસામાજિક તત્વો અને બુટલેગરોને કારણે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, પરંતુ જ્યાર પીડિત મહિલા ફરિયાદ કરવા જાય તો પોલીસ પણ કોઈ કાર્યવાહી કરતી નથી. આથી મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકોનું મનોબળ વધે છે. તેમણે કહ્યું હતું કે, આવી ઘટનાઓમાંથી 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.