ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન અરજી કર્યાના પછીના માસથી મળે છેઃ મંત્રી

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અરજદારનું પેન્શન અરજી કર્યાના પછીના માસથી શરૂ થાય છે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું છે. સુરત જિલ્લામાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે, કુલ 2925 અરજીઓ મળી હતી. જેમાંથી 2472 મંજૂર કરી રુા. 1,27,87,750/-ની સહાય ચૂકવવામાં આવી છે.

આ યોજનાના લાભ સંદર્ભે તેમણે જણાવ્યું કે, 60થી વધુ ઉંમરની વય ધરાવતા અરજદાર તાલુકા મામલતદાર, કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર તેમજ ઓનલાઇન અરજી પણ કરી શકે છે.

આ માટે અરજદારની ઉંમર 60 વર્ષ હોવાની સાથે બી.પી.એલ. યાદીમાં 0 થી 20ના સ્કોરમાં હોવો જરૂરી છે. તેમણે જણાવ્યું કે, 60 થી 89 વર્ષ સુધીનાને રાજ્ય સરકાર દ્વારા રૂા. 550/- અને કેન્દ્ર સરકાર દ્વારા રૂા. 200/- મળી કુલ રૂા. 750/-ની સહાય ચૂકવાય છે. તેમજ 90 વર્ષથી વધુને રાજ્ય સરકાર દ્વારા રૂા.500/- અને કેન્દ્ર સરકાર દ્વારા રૂા. 500/- મળી કુલ રૂા. 1000/-ની સહાય આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

લખનૌમાં ટ્રેનમાં માથા વગરનું શરીર મળી આવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહારના છપરાથી ગોરખપુર થઈને લખનૌ પહોંચેલી લખનૌ-છપરા...
National 
લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

શું ધોની આજે છેલ્લી મેચ રમવાનો છે? અશ્વિનના નિવેદનથી હોબાળો મચી ગયો

જેમણે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026માં હજુ સુધી એક પણ મેચ રમી નથી તે મહેન્દ્ર સિંહ ધોની હાલમાં...
Sports 
 શું ધોની આજે છેલ્લી મેચ રમવાનો છે? અશ્વિનના નિવેદનથી હોબાળો મચી ગયો

10 ગ્રામ સોના પર રૂ. 27000 તો ફક્ત ટેક્સ જ થશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું ગણિત અહીં સમજો

ભારતીય સંસ્કૃતિમાં સોનાનું મહત્વ ફક્ત ઘરેણાં પૂરતું મર્યાદિત નથી, તેને બચત અને સુરક્ષાનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે....
Business 
10 ગ્રામ સોના પર રૂ. 27000 તો ફક્ત ટેક્સ જ થશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું ગણિત અહીં સમજો

શું 13 નવેમ્બર, 2026ના રોજ દુનિયા ખતમ થવાની છે? 66 વર્ષ જૂની વૈજ્ઞાનિક ચેતવણી

1960માં, એક વૈજ્ઞાનિકે એક ચોંકાવનારી આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પર માનવ સભ્યતા 13...
Science 
શું 13 નવેમ્બર, 2026ના રોજ દુનિયા ખતમ થવાની છે? 66 વર્ષ જૂની વૈજ્ઞાનિક ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.