શું ધોની આજે છેલ્લી મેચ રમવાનો છે? અશ્વિનના નિવેદનથી હોબાળો મચી ગયો

જેમણે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026માં હજુ સુધી એક પણ મેચ રમી નથી તે મહેન્દ્ર સિંહ ધોની હાલમાં સમાચારમાં છવાઈ ગયો છે. સોમવારે (18 મે) ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચ હવે ફક્ત પ્લેઓફની લડાઈ નથી, પરંતુ હવે સંપૂર્ણપણે ધોનીની વાપસીની આસપાસ ફરે છે. ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું 'કેપ્ટન કૂલ' ફરી એકવાર ચેન્નાઈના મેદાન પર પીળી જર્સીમાં જોવા મળશે?

સીઝન શરૂ થાય તે પહેલાં, ચેન્નાઈ સુપર કિંગ્સે જાહેરાત કરી હતી કે, એમએસ ધોની પગની પીંડીઓમાં સ્નાયુઓના ખેંચાઈ જવાથી પીડાઈ રહ્યો છે અને શરૂઆતની મેચો નહીં રમી શકે. જોકે, આ રાહ ધીમે ધીમે લાંબી થતી ગઈ. આ મુદ્દો ફક્ત બેટિંગ પૂરતો મર્યાદિત નહોતો. ટીમ ધોનીની દોડવાની ક્ષમતા, વિકેટકીપિંગ હલનચલન અને મેચ ફિટનેસ અંગે ખૂબ જ સતર્ક રહી.

MS Dhoni
instagram.com

ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ધોની નેટ્સમાં સારી બેટિંગ કરી રહ્યો છે. પરંતુ ખરી ચિંતા તેની દોડ અને ફિટનેસની હતી. જ્યારે, મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ખુલાસો કર્યો કે, ટીમે તેને વહેલા પાછો લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક વોર્મ-અપ મેચમાં તેની ઇજા ફરી સામે આવી.

હવે, ભારતના ભૂતપૂર્વ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનના એક નિવેદને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાની યુટ્યુબ ચેનલ પર અશ્વિને કહ્યું, 'મને લાગે છે કે ધોની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે તેવી સારી તક છે. જ્યાં સુધી મેં સાંભળ્યું છે, તે છેલ્લી 2-3 મેચથી રમવા માટે તૈયાર છે.' આ નિવેદન પછી, #DhoniReturn સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું, જેનાથી ચાહકોની આશાઓ ફરી જાગી.

આ મેચને ખાસ બનાવતી બાબત ધોનીનું અગાઉનું નિવેદન છે. 2021 સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટાઇટલ જીત પછી, ધોનીએ કહ્યું હતું, 'આશા છે કે, મારી છેલ્લી T20 મેચ ચેન્નાઈમાં હશે.' હવે, લગભગ 5 વર્ષ પછી, CSKની છેલ્લી લીગ મેચ ચેન્નાઈમાં રમાઈ રહી છે, અને ધોની આખી સીઝન માટે મેદાનથી ગેરહાજર રહ્યો છે. આ કારણે, ચાહકો આ મેચને સંભવિત વિદાય મેચ તરીકે જોઈ રહ્યા છે, ભલે પછી ધોનીએ પોતાની નિવૃત્તિ વિશે કંઈ કહ્યું ન હોય.

MS Dhoni
instagram.com

જો MS ધોની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરે છે, તો CSKએ તેની ભૂમિકા કાળજીપૂર્વક નક્કી કરવી પડશે. તે વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમી શકે છે, પરંતુ તેની ફિટનેસના આધારે, તેનો ઉપયોગ ફિનિશર અથવા ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ થઈ શકે છે.

MS ધોનીની હાજરી માત્ર બેટિંગ પર જ નહીં, પરંતુ ટીમના આત્મવિશ્વાસ પર પણ ઘણી મોટી અસર કરે છે. CSK હજુ પણ પ્લેઓફની દોડમાં છે. તેથી, આ મેચ ફક્ત લાગણીઓ વિશે જ નહીં પરંતુ ટીમ માટે 'કરો યા મરો'ની પરિસ્થિતિ પર છે. જો ધોની મેદાનમાં ઉતરે છે, તો ચેપોકનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

હાલમાં, CSK તરફથી ધોનીની વાપસી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ અશ્વિનનું નિવેદન, ચેપોકનું વાતાવરણ અને ધોનીના જૂના વચનોએ આ મેચને અતિ ખાસ બનાવી દીધી છે. હવે, સમગ્ર ક્રિકેટ જગત ટોસની રાહ જોઈ રહ્યું છે, કારણ કે તે નક્કી કરશે કે ચાહકોને આખરે માહીની વાપસી જોવા મળશે કે નહીં.

About The Author

Related Posts

Top News

લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

લખનૌમાં ટ્રેનમાં માથા વગરનું શરીર મળી આવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહારના છપરાથી ગોરખપુર થઈને લખનૌ પહોંચેલી લખનૌ-છપરા...
National 
લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

શું ધોની આજે છેલ્લી મેચ રમવાનો છે? અશ્વિનના નિવેદનથી હોબાળો મચી ગયો

જેમણે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026માં હજુ સુધી એક પણ મેચ રમી નથી તે મહેન્દ્ર સિંહ ધોની હાલમાં...
Sports 
 શું ધોની આજે છેલ્લી મેચ રમવાનો છે? અશ્વિનના નિવેદનથી હોબાળો મચી ગયો

10 ગ્રામ સોના પર રૂ. 27000 તો ફક્ત ટેક્સ જ થશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું ગણિત અહીં સમજો

ભારતીય સંસ્કૃતિમાં સોનાનું મહત્વ ફક્ત ઘરેણાં પૂરતું મર્યાદિત નથી, તેને બચત અને સુરક્ષાનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે....
Business 
10 ગ્રામ સોના પર રૂ. 27000 તો ફક્ત ટેક્સ જ થશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું ગણિત અહીં સમજો

શું 13 નવેમ્બર, 2026ના રોજ દુનિયા ખતમ થવાની છે? 66 વર્ષ જૂની વૈજ્ઞાનિક ચેતવણી

1960માં, એક વૈજ્ઞાનિકે એક ચોંકાવનારી આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પર માનવ સભ્યતા 13...
Science 
શું 13 નવેમ્બર, 2026ના રોજ દુનિયા ખતમ થવાની છે? 66 વર્ષ જૂની વૈજ્ઞાનિક ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.