10 ગ્રામ સોના પર રૂ. 27000 તો ફક્ત ટેક્સ જ થશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું ગણિત અહીં સમજો

ભારતીય સંસ્કૃતિમાં સોનાનું મહત્વ ફક્ત ઘરેણાં પૂરતું મર્યાદિત નથી, તેને બચત અને સુરક્ષાનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે. જોકે, સોનું ખરીદવું હવે પહેલા કરતાં વધુ મોંઘું થવા જઈ રહ્યું છે. ભારત સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. ડૉલર સામે રૂપિયાના ઘટતા મૂલ્યને રોકવા અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું. ચાલો આપણે તેને વિગતવાર જાણી લઈએ.

સરકારે આયાત ડ્યુટી માળખામાં ફેરફાર કર્યો છે, જેનાથી તે ખુબ વધારે મોંઘું થશે. સોનું હવે 10 ટકા મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને 5 ટકા AIDCને આકર્ષિત કરશે, જેની સીધી અસર ગ્રાહકો પર પડશે. પહેલાં, 10 ગ્રામ સોના પરનો ટેક્સ આશરે રૂ. 13,500 હતો, જે હવે વધીને આશરે રૂ. 27,000 થશે. આનો અર્થ એ થયો કે ફક્ત ટેક્સને કારણે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 13,500નો વધારો થઈ શકે છે.

Gold-Import-Duty
upstox.com

આ નિર્ણય PM નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં નાગરિકોને બિન-આવશ્યક સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ મુલતવી રાખવાની અપીલને અનુસરીને લેવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ઈરાન યુદ્ધે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધારી છે, જેના કારણે ભારતની વેપાર ખાધ વધી છે. સરકાર ઇચ્છે છે કે લોકો સોનામાં રોકાણ કરવાને બદલે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં ફાળો આપે.

આ સમાચારથી શેરબજારમાં ભારે આંચકો લાગ્યો. ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સ જેવી મોટી જ્વેલરી કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. નિષ્ણાતો માને છે કે, સોનાની માંગમાં ઓછામાં ઓછો 10 ટકા ઘટાડો થઈ શકે છે.

Gold-Import-Duty
upstox.com

હળવા વજનના જ્વેલરીનો ટ્રેન્ડ:- માલાબાર ગ્રુપ અને સેન્કો ગોલ્ડ જેવા મુખ્ય જ્વેલરી નિર્માતાઓ માને છે કે, લોકો હવે ભારે ઘરેણાં કરતાં હલકા ઘરેણાં પસંદ કરશે.

જૂના સોનાને બદલી લો:- 'વિનિમય' (જૂનું સોનુ આપીને નવું સોનુ લેવાનું)ની પ્રથા વધશે, કારણ કે નવી ખરીદી ખૂબ મોંઘી થઈ ગઈ છે.

સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય રૂપિયાના ઘટાડાને રોકવાનો છે. જોકે, ભારતીય રૂપિયા પર દબાણ સતત ચાલુ છે. બુધવારે, ડૉલર સામે રૂપિયો 0.1 ટકા નબળો પડીને 95.7450ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો, જે અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ છે. મંગળવારે અગાઉ, રૂપિયો 95.7375ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. ભારત તેની લગભગ બધી સોનાની જરૂરિયાતો આયાત કરે છે. ગયા વર્ષે, 710 ટન આયાત કરવામાં આવી હતી, અને ભારે આયાતને કારણે દેશમાંથી ઘણું ખરું વિદેશી ચલણ (ડૉલર) બહાર ગયું હતું. સરકાર માને છે કે, આયાત ડ્યુટીમાં વધારો સોનાની આયાતમાં ઘટાડો કરશે, જેનાથી વેપાર ખાધ ઘટશે અને રૂપિયો મજબૂત થશે.

Gold-Import-Duty
hindi.moneycontrol.com

ઉદ્યોગ નિષ્ણાતોએ મોટી ચિંતા વ્યક્ત કરી છે કે, કર વધારાથી સોનાની દાણચોરી ફરી શરૂ થઈ શકે છે. 2024માં સરકારે કર ઘટાડ્યા ત્યારે દાણચોરીમાં ખુબ મોટો ઘટાડો થયો હતો, પરંતુ 15 ટકા ડ્યુટી હવે ગેરકાયદેસર રીતે સોનુ લાવવાનું ફરી શરુ થઇ શકે છે.

જો તમે લગ્ન અથવા રોકાણ માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારી વ્યૂહરચના બદલવી પડી શકે છે. આ કડક સરકારી નિર્ણયની અસર ઓછામાં ઓછા એક વર્ષ સુધી રહેવાની ધારણા છે, જ્યાં સુધી વૈશ્વિક પરિસ્થિતિઓ સામાન્ય ન થાય.

About The Author

Top News

લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

લખનૌમાં ટ્રેનમાં માથા વગરનું શરીર મળી આવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બિહારના છપરાથી ગોરખપુર થઈને લખનૌ પહોંચેલી લખનૌ-છપરા...
National 
લખનૌમાં રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના, ટ્રેનમાં ટ્રંકમાં મહિલાની માથા વગરની બોડી મળી

શું ધોની આજે છેલ્લી મેચ રમવાનો છે? અશ્વિનના નિવેદનથી હોબાળો મચી ગયો

જેમણે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026માં હજુ સુધી એક પણ મેચ રમી નથી તે મહેન્દ્ર સિંહ ધોની હાલમાં...
Sports 
 શું ધોની આજે છેલ્લી મેચ રમવાનો છે? અશ્વિનના નિવેદનથી હોબાળો મચી ગયો

10 ગ્રામ સોના પર રૂ. 27000 તો ફક્ત ટેક્સ જ થશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું ગણિત અહીં સમજો

ભારતીય સંસ્કૃતિમાં સોનાનું મહત્વ ફક્ત ઘરેણાં પૂરતું મર્યાદિત નથી, તેને બચત અને સુરક્ષાનું સૌથી મોટું સાધન માનવામાં આવે છે....
Business 
10 ગ્રામ સોના પર રૂ. 27000 તો ફક્ત ટેક્સ જ થશે, 15 ટકા આયાત ડ્યુટી પાછળનું ગણિત અહીં સમજો

શું 13 નવેમ્બર, 2026ના રોજ દુનિયા ખતમ થવાની છે? 66 વર્ષ જૂની વૈજ્ઞાનિક ચેતવણી

1960માં, એક વૈજ્ઞાનિકે એક ચોંકાવનારી આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પર માનવ સભ્યતા 13...
Science 
શું 13 નવેમ્બર, 2026ના રોજ દુનિયા ખતમ થવાની છે? 66 વર્ષ જૂની વૈજ્ઞાનિક ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.