AAPના આ યુવા નેતાની રાજ્યસભાથી માંડી રાજ્યો સુધી પકડ, કેજરીવાલની ગુડ બુકમાં છે

લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ CA જેવું પદ શોભાવવુ. 23 વર્ષની વ્યક્તિ આ સફળતા સંતોષી સાબિત થાય છે. પરંતુ દિલ્હીમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્ના આંદોલને આ યુવાનને નવા રાહ તરફ લઈ ગયું અને તેના માટે જીવનની કાંઈક વધુ સફળતા રાહ જોઈ રહી હતી.જેનું નામ છે.

રાઘવ ચઢ્ઢા. જેઓ એક દાયકા અગાઉ વોશિંગટનમાં અરવિંદ કેજરીવાલ સાથે જોડાયા હતા. જે આજે કેજરીવાલના સૌથી વિશ્વાસુ રાજનીતિકારોમાના એક છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે પાર્ટી દ્વારા તેમને સોંપવામાં આવેલ મુશ્કેલ કામ પૂર્ણ કરવામાં અને દરેક જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવવામાં સફળ રહ્યા છે.

રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં સહ-પ્રભારી તરીકેની જવાબદારી

34 વર્ષે રાજ્યસભાના સભ્ય બનેલા રાઘવ ચઢ્ઢાને હવે ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગુજરાતમાં સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ પંજાબમાં પણ રાઘવે સહ-પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારી છે એટલું જ નહીં જેમાં દિલ્હીની બહાર પહેલી વાર અન્ય રાજ્યમાં AAPની સરકાર રચવામાં તેમની યશસ્વી ભૂમિકા મનાઈ રહી છે. રાઘવ ચઢ્ઢાએ પગેલા દિલ્હીમાં અને બાદમાં પંજાબમાં એક સારા આયોજક તરીકે પોતાની ઓળખ ઉભી કરી હતી. ત્યારબાદ પાર્ટીમાં પણ તેમનું કદ આપોઆપ મોટું થઈ ગયું હતું.

શરૂઆતથી અરવિંદ કેજરીવાલની ગુડ બુકમાં રહ્યા રાઘવ ચઢ્ઢા

2015માં આપના પ્રવક્તા બનેલા રાઘવ ચઢ્ઢા જાણીતો ચહેરો બની ચુક્યા છે. આર્થિક અને કાયદાકીય બાબતોમાં તેઓની કુશળતાનો લાભ પાર્ટીને સલાહ પેટે મળતો રહે છે. રાઘવ ચઢ્ઢાને જે તે વખતે પક્ષના સાથીદારો દ્વારા ચોકલેટ બોય તરિકે પણ બોલાવવામાં આવતા હતાં.રાઘવ ચઢ્ઢા એક એવા નેતાઓમાંના એક છે જે પ્રારંભથી જ અરવિંદ કેજરીવાલની ગુડ બુકમાં રહ્યા છે અને તેઓની ગણના પાર્ટીના મોટા ગજાના નેતાઓમાં થાય છે. તેઓને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના નજીકના અને વિશ્વાસુ મનાઈ છે.

રાઘવ ચઢ્ઢાએ જવાબદારી સમર્પણથી નિભાવી

કેજરીવાલ દ્વારા સોંપવામાં આવેલ કામને રાઘવ ચઢ્ઢાએ પૂરા ખંત સાથે નિભાવ્યું છે. હવે ગુજરાતમાં પણ સહ-પ્રભારી બનાવાયા બાદ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના જીવની બાજી લગાવી દેશે. હાલ ગુજરાતમાં aap એ આક્રમક શરૂઆત કરી છે. આટલું જ નહીં, ભાજપ અને કોંગ્રેસ પહેલા આપે લગભગ બે ડઝન જેટલા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દિધી છે. તેવામા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મફત વીજળી, રોજગાર, મહિલાઓને આર્થિક સહાય જેવી ગેરંટી આપીને પાર્ટીને મજબૂત પક્ષ તરીકે લોકોની વચ્ચે ઉભી કરી છે.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.