M.Comનો અભ્યાસ કરેલો યુવક મધમાખીનો ઉછેર કરીને કમાય છે લાખો રૂપિયા

એક તરફ ઘણા લોકો ભણીગણીને નોકરીની શોધ કરી રહ્યા છે અને બીજી તરફ M.Com સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને એક યુવક મધમાખી ઉછેરના ધંધામાં પડ્યો છે. આ ધંધાથી ઓછી મહેનતે એક વર્ષે તે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. આ યુવકનું નામ પંકજ દેસાઈ છે.

પંકજ દેસાઈ ડીસાના નાગફણા ગામનો વતની છે. M.Comનો અભ્યાસ કરીને 22 વર્ષની ઉમરે પંકજે ખેતીના વ્યવસાયમાં જંપલાવ્યું હતું. પહેલા પંકજ પારંપરિક ખેતી કરતો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મધનો વ્યવસાય કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. પંકજે 10 મધમાખી પેટીથી મધનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ત્રણ વર્ષના સમયમાં પંકજની પાસે 450 જેટલી મધની પેટીઓ છે. આ એક પેટીની કિંમત 3500 રૂપિયા છે.

પંકજ જે મધનું ઉત્પાદન કરે તે મધને બનાસ ડેરી દ્વારા 150 રૂપિયા પ્રતિકિલોના ભાવે લેવામાં આવે છે. આ ઉપરાંત બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા, રાધનપુર અને સાંતલપુરના 381 જેટલા ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવે છે. પંકજ દેસાઈ 450 મધની પેટીમાંથી આ વર્ષે 18 લાખ રૂપિયાની કમાણી કરવાની આશા વ્યક્ત કરી રહ્યો છે.

પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, તેને M.Com સુધીનો અભ્યાસ કર્યો છે પણ તેને નોકરી કરવામાં કોઈ રસ નહોતો. નોકરી કરતા વધારે ખેતી સારી લગતી હતી, એટલે અભ્યાસ પૂર્ણ કરીને ખેતી કરવા લાગ્યો. જેમાં ત્રણ વર્ષ પહેલા 10 પેટીથી મધ ઉછેરની શરૂઆત કરી હતી અને આજે 450 પેટી થઇ ગઈ છે. ગત વર્ષે 11 લાખ રૂપિયાનું મધ થયું હતું અને આ વર્ષે 18 લાખ રૂપિયાનુ મધ થવાનો અંદાજ છે.

આ ઉપરાંત તેને વધુમાં જણાવ્યું હતું કે, ખેતરમાં મધમાખીની પેટીઓ રાખવાથી પરાગ નયનની પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે અને તેનાથી ખેડૂતોને પાકમાં 20થી 30% વધારે ઉત્પાદન મળે છે. એટલા માટે ખેડૂતો મધમાખીની પેટીઓ ભાડેથી લઇ જાય છે. આ વર્ષે 150 મધમાખીની પેટી ભાડે આપવાનો ઓર્ડર છે, જેનો નફો અલગથી મળશે.

 

 

About The Author

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.