સુરતમાં પાટીદાર યુવતી માટે હજારો લોકો રસ્તા પર ઉતર્યા

સુરતના કતારગામની રહેવાસી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાત બાદ સમગ્ર શહેરમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાના વિરોધમાં અને નેનુને શ્રદ્ધાંજલિ આપવા માટે ગઈકાલે કતારગામના ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને યુવતી માટે ન્યાયની માંગ કરી હતી.

518593539_1345358226946610_3432899887450055991_n

કેન્ડલ માર્ચમાં 10,000થી વધુ લોકો જોડાયા

ડભોલી ચાર રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ અંદાજે બે કિલોમીટર લાંબી હતી અને પાટીદાર સમાજની વાડી સુધી પહોંચી હતી. માર્ચમાં 10,000થી વધુ લોકો જોડાયા હોવાનો અંદાજ છે. લોકોએ હાથમાં મીણબત્તી અને મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને નેનુ વાવડિયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો.

https://www.facebook.com/watch/?v=1232661895326233

પાટીદાર અને રાજકીય આગેવાનો પણ જોડાયા

આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને વિજય માંગુકિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત જેવા રાજકીય આગેવાનો પણ આ માર્ચમાં જોડાયા હતા અને મૃતક યુવતીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

suicide
divyabhaskar.co.in

ટ્યૂશન શિક્ષિકા નેનુએ જીવન ટૂંકાવ્યું

કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી 19 વર્ષીય નેનુ રજનીભાઈ વાવડિયા છેલ્લાં બે વર્ષથી એક ટ્યૂશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. તેના પિતા રજનીભાઈના જણાવ્યા મુજબ, 13 જુલાઈના રોજ તેમના પુત્ર યશે ઘરે પહોંચીને જોયું તો નેનુએ પોતાના રૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવાર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

518344175_1345358180279948_2122982350423677460_n

14 જુલાઈના રોજ યુવતીની અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ ઘટનાથી સુરતમાં શોક અને રોષનું વાતાવરણ છે અને લોકો ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.