સુરતમાં પાટીદાર યુવતી માટે હજારો લોકો રસ્તા પર ઉતર્યા

સુરતના કતારગામની રહેવાસી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાત બાદ સમગ્ર શહેરમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાના વિરોધમાં અને નેનુને શ્રદ્ધાંજલિ આપવા માટે ગઈકાલે કતારગામના ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને યુવતી માટે ન્યાયની માંગ કરી હતી.

518593539_1345358226946610_3432899887450055991_n

કેન્ડલ માર્ચમાં 10,000થી વધુ લોકો જોડાયા

ડભોલી ચાર રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ અંદાજે બે કિલોમીટર લાંબી હતી અને પાટીદાર સમાજની વાડી સુધી પહોંચી હતી. માર્ચમાં 10,000થી વધુ લોકો જોડાયા હોવાનો અંદાજ છે. લોકોએ હાથમાં મીણબત્તી અને મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને નેનુ વાવડિયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે સુનિશ્ચિત કરવાનો હતો.

https://www.facebook.com/watch/?v=1232661895326233

પાટીદાર અને રાજકીય આગેવાનો પણ જોડાયા

આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને વિજય માંગુકિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત જેવા રાજકીય આગેવાનો પણ આ માર્ચમાં જોડાયા હતા અને મૃતક યુવતીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

suicide
divyabhaskar.co.in

ટ્યૂશન શિક્ષિકા નેનુએ જીવન ટૂંકાવ્યું

કતારગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી 19 વર્ષીય નેનુ રજનીભાઈ વાવડિયા છેલ્લાં બે વર્ષથી એક ટ્યૂશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. તેના પિતા રજનીભાઈના જણાવ્યા મુજબ, 13 જુલાઈના રોજ તેમના પુત્ર યશે ઘરે પહોંચીને જોયું તો નેનુએ પોતાના રૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવાર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

518344175_1345358180279948_2122982350423677460_n

14 જુલાઈના રોજ યુવતીની અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ ઘટનાથી સુરતમાં શોક અને રોષનું વાતાવરણ છે અને લોકો ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.