શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન ગુલાબભાઈ દેસાઈ સ્મૃતિ દર્શન પથ” સાકારિત શ્રેયસ દેસાઈ પરિવાર તરફથી અગાઉ નિર્માણ માટે રૂ. 3.5 લાખ અને તાજેતરમાં રિનોવેશન માટે રૂ. 2.5 લાખનું દાન અનાવિલ જ્ઞાતિના કુલદેવતા ગણાતા શુક્લેશ્વર ધામ, અનાવલ ખાતે વર્ષભર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. વરસાદી ઋતુ તથા ઉનાળાની ગરમીમાં દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે લગભગ 12 વર્ષ પહેલાં એડવોકેટ શ્રેયસ દેસાઈ પરિવાર દ્વારા રૂ. 3.5 લાખનું દાન આપવામાં આવ્યું હતું, જેના દ્વારા મંદિર પરિસરમાં કવર્ડ “દર્શન પથનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

14

તાજેતરમાં આ ‘દર્શન પથ'ના નવીનીકરણ અને વિસ્તરણ માટે ફરીથી શ્રેયસ દેસાઈ અને દીપ્તિ શ્રેયસ દેસાઈ દ્વારા રૂ. 2.5 લાખનું દાન આપવામાં આવ્યું છે. તેમના આ સહયોગથી “શ્રીમતી ગજરાબેન ગુલાબભાઈ દેસાઈ સ્મૃતિ દર્શન પથ” નું નવ-નિર્માણ સાકાર થયું છે, જેના કારણે હવે દર્શનાર્થીઓને વધુ સુવિધાપૂર્વક દર્શન કરવાનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં શુક્લેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર પરિસરનું સુંદર વિકાસ કાર્ય કરવામાં આવ્યું છે. ભક્તો માટે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી મંદિરના વિશાળ સંકુલમાં 32 એરકન્ડીશન્ડ રહેણાંક રૂમ, બે વિશાળ હોલ તેમજ કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેના કારણે દર્શનાર્થીઓને રહેઠાણ અને અન્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.

 

About The Author

Related Posts

Top News

બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસ પુરવઠો ખોરવાયા બાદ, સરકાર અને તેલ કંપનીઓએ ગભરાટ ટાળવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા...
Business 
બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન
Copyright (c) Khabarchhe All Rights Reserved.