શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન ગુલાબભાઈ દેસાઈ સ્મૃતિ દર્શન પથ” સાકારિત શ્રેયસ દેસાઈ પરિવાર તરફથી અગાઉ નિર્માણ માટે રૂ. 3.5 લાખ અને તાજેતરમાં રિનોવેશન માટે રૂ. 2.5 લાખનું દાન અનાવિલ જ્ઞાતિના કુલદેવતા ગણાતા શુક્લેશ્વર ધામ, અનાવલ ખાતે વર્ષભર મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. વરસાદી ઋતુ તથા ઉનાળાની ગરમીમાં દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે લગભગ 12 વર્ષ પહેલાં એડવોકેટ શ્રેયસ દેસાઈ પરિવાર દ્વારા રૂ. 3.5 લાખનું દાન આપવામાં આવ્યું હતું, જેના દ્વારા મંદિર પરિસરમાં કવર્ડ “દર્શન પથનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

14

તાજેતરમાં આ ‘દર્શન પથ'ના નવીનીકરણ અને વિસ્તરણ માટે ફરીથી શ્રેયસ દેસાઈ અને દીપ્તિ શ્રેયસ દેસાઈ દ્વારા રૂ. 2.5 લાખનું દાન આપવામાં આવ્યું છે. તેમના આ સહયોગથી “શ્રીમતી ગજરાબેન ગુલાબભાઈ દેસાઈ સ્મૃતિ દર્શન પથ” નું નવ-નિર્માણ સાકાર થયું છે, જેના કારણે હવે દર્શનાર્થીઓને વધુ સુવિધાપૂર્વક દર્શન કરવાનો લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં શુક્લેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મંદિર પરિસરનું સુંદર વિકાસ કાર્ય કરવામાં આવ્યું છે. ભક્તો માટે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી મંદિરના વિશાળ સંકુલમાં 32 એરકન્ડીશન્ડ રહેણાંક રૂમ, બે વિશાળ હોલ તેમજ કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેના કારણે દર્શનાર્થીઓને રહેઠાણ અને અન્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બની રહી છે.

 

About The Author

Related Posts

Top News

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.