સુરતમાં પેઢી ખોલીને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14 લોકોનું કરી નાખ્યું, હરી ભક્તો ઠગાયા, ત્રણની ધરપકડ

સુરતમાં ફરી એકવાર ઓનલાઈન રોકાણના નામે મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. એપીક ઇનોવેશન LLP નામની પેઢી ખોલી ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણના નામે ઊંચું વળતર આપવાની લાલચ આપી સોલંકી પરિવારના પિતા-પુત્ર અને પુત્રી તથા એક ભાગીદારે સ્વામિનારાયણ સંપ્રદાયના 14 હરિભક્તોને ઝાંસો આપી 2.05 કરોડ રુપિયાનું ઉઠમણું કરી નાખ્યું હતું. જે અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે 3ણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક મુખ્ય આરોપી હાલ ફરાર છે.

સંદેશના અહેવાલ મુજબ, ડભોલી ચાર રસ્તા ખાતે સ્વામિનારાયણ નગરમાં રહેતા અનિલભાઈ રામજીભાઈ બલર ઓનલાઇન કપડાનો વેપાર કરે છે.તે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલો છે. તે નિયમિત ડભોલી સ્થિત સ્વામિનારાયણ મંદિરે જતો હતો. મંદિરમાં અશોક મુળજી સોલંકી તેનો પુત્ર જય, પુત્રી જ્યોતિ પણ આવતા હોવાથી પરિચય થયો હતો. સોલંકી પરિવાર મંદિરમાં હરિભક્તોને કાજુ-બદામની પ્રસાદી વહેંચી દેખાડો કરતો હતો. આ રીતે હરિભક્તોને આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા હતા. માર્ચ 2024માં અશોક સોલંકી અને જય સોલંકીએ મંદિરમાં અનિલભાઈ સાથે વાતચીત કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ પોતાની એપક ઇનોવેશન LLP નામની ભાગીદારી પેઢી હોવાનું જણાવી તેને ફોરેક્સ ટ્રેડિંગની સ્કીમ સમજાવી હતી.

ફોરેક્સમાં રોકાણ કરવાથી દર મહિને 4-5 ટકા વળતર આપવાની લાલચ આપી હતી. વેપારી અનિલ બલરની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે અશોક મુળજીભાઇ સોલંકી, તેનો પુત્ર જય, પુત્રી અને ભાગીદાર ઋષિ પટેલ સામે ગુનો નોંધ્યો હતો. ઇકો સેલના PI ચૌહાણે તપાસ કરી જય સોલંકી, તેની બહેન જ્યોતિની ધરપકડ કરી લીધી છે અને તેમનં બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મુખ્ય આરોપી અશોક સોલંકીને પણ મંગળવારે રાત્રે ભાવનગરથી ઊંચકી લેવાયો હતો.સોલંકી બાપ-દીકરાએ મોટા વરાછાના લજામણી ચોક ખાતે મેરેડિયન બિઝનેસ સેન્ટર ખાતે નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે અનિલ બલરને બોલાવી વિશ્વાસમાં લીધા હતા. અનિલ બલર ઉદ્ઘાટનમાં ગયા તો પેઢીના ભાગીદાર ઋષિ પટેલ હોવાનું પણ જાણવા મળ્યું હતું.અહીં રોકાણની લોભામણી સ્કીમ સમજાવાઇ હતી.અનિલભાઇએ ટુકડે-ટુકડે કુલ 35 લાખનું રોકાણ કર્યુ હતું.

utran-police-station
gujarati.news18.com

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ ફોરેક્સ ટ્રેડિંગના નામે રોકાણકારોને દર મહિને 4થી 5 ટકા સુધીના ખાતરીયુક્ત નફાનો વાયદો કર્યો હતો. શરૂઆતમાં કેટલાક રોકાણકારોને નાની રકમ પર વળતર આપીને વિશ્વાસ જીત્યો હતો. આ રીતે ધીમે-ધીમે લોકો મોટી રકમ રોકાણ કરવા પ્રેરાયા. જ્યારે આરોપીઓ પાસે લાખો રૂપિયાની મોટી રકમ એકઠી થઈ ગઈ, ત્યારે અચાનક તેમની ઓફિસ બંધ કરી દેવામાં આવી અને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા. રોકાણકારો ઓફિસ પર પહોંચ્યા ત્યારે તેમને છેતરાયા હોવાની ખબર પડી, જેના કારણે હાહાકાર મચી ગયો હતો.

આ કેસમાં ઉત્રાણ પોલીસે અશોક મૂળજીભાઈ સોલંકી, જય સોલંકી અને જ્યોતિ સોલંકીની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડનો ભાગીદાર ઋષિ સુરેશભાઈ પટેલ હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસના મતે, આ છેતરપિંડીનો આંકડો હજુ વધવાની શક્યતા છે. વધુ લોકો આ કૌભાંડના ભોગ બન્યા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોને આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગેંગે અન્ય શહેરોમાં પણ આવું જ કૌભાંડ ચલાવ્યું છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.સોલંકી પરિવારે લોભામણી સ્કીમ આપી 40-50 લોકોના 40 કરોડ ઓહિયા કર્યા હોવાની વાત છે.ભોગ બનનારા પીડિતોમાં વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. થોડા દિવસો બાદ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર અનિલભાઈ જ નહીં, પરંતુ અન્ય 13 જેટલા રોકાણકારોએ પણ આ ઠગ ટોળકીની વાતોમાં આવીને લાખો રૂપિયા ગુમાવ્યા છે.

utran-police-station2
firstglobalsec.com

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વધુ નફાની લાલચમાં આવીને અજાણ્યા પ્લેટફોર્મમાં રોકાણ કરવું જોખમી બની શકે છે. નિષ્ણાતો કહે છે કે કોઈપણ રોકાણ કરતા પહેલા તેની વિશ્વસનીયતા ચકાસવી ખૂબ જ જરૂરી છે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.