સુરતમાં લિફ્ટ ખોટકાતા 9 મહિનાના બાળક સહિત 11 ફસાયા, ફાયર વિભાગે તમામને હેમખેમ બહાર કાઢ્યા

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં આજે અચાનક લિફ્ટ ખોટકાવાની ઘટના સામે આવી હતી. લિફ્ટ ચાલુ હતી ત્યારે ટેકનિકલ ખામીને કારણે તે અધવચ્ચે જ થંભી ગઈ હતી, જેના પરિણામે તેમાં સવાર અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થતાની સાથે જ અંદર રહેલા લોકોમાં ગભરાઈ ગયા હતા અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક તંત્ર તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં 11 વ્યક્તિઓ લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે જામ થઈ ગઈ હતી. લિફ્ટમાં 9 મહિનાના બાળક સહિત કુલ 11 લોકો અંદર હતા. અંદર રહેલા લોકોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

312

આ ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ હતી કે લિફ્ટમાં માત્ર 9 મહિનાનું માસૂમ બાળક પણ ફસાયું હતું. માસૂમ બાળકની સાથે અન્ય બાળકો અને મોટેરાઓ પણ લિફ્ટની અંદર કેદ થઈ ગયા હતા. બંધ લિફ્ટમાં વેન્ટિલેશનના અભાવે ગૂંગળામણ અનુભવાતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની હતી.  અંદર ફસાયેલા લોકોના પરિવારજનો બહાર ચિંતાતુર હતા.

ઘટનાની ગંભીરતા જોઈ વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિશોર પટેલ સહિતના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લિફ્ટ પેક હોવાને કારણે અંદર રહેલા લોકો ગભરાઈ ગયા હતા અને ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર ઓફિસર અને તેમની ટીમે સમયસૂચકતા વાપરી લિફ્ટના દરવાજાને સાધનોથી ખોલ્યા હતા. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં તમામ તમામ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

31

લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બહાર નીકળ્યા બાદ પરિવારે ફાયર બ્રિગેડની કામગીરીનો આભાર માન્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ લિફ્ટમાં ઓવરલોડ અથવા મેન્ટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું અનુમાન છે.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, લિફ્ટ માંથી રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ લોકોમાં વિરડીયા પરિવારના 5થી વધુ સભ્યો હતા. જેમાં 9 મહિનાના બાળક તેના માતા-પિતા અને દાદા-દાદીનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.