કેજરીવાલે ગુજરાતના 4 ધારાસભ્યોનું કદ વધારી દીધું, નેશનલ લેવલની જવાબદારી આપી

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સામેના કેસના ટેન્શન વચ્ચે અરવિંદ કેજરીવાલે ગુજરાતના 4 ધારાસભ્યોને મોટી જવાબદારી સોંપીને તેમનું રાજકીય કદ વધારી દીધું છે. તેમાં પણ બે ધારાસભ્યોને તો અન્ય જવાબદારી પણ આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ચૂંટણી પ્રચારથી સૌનું ધ્યાન ખેંચનારી આમ આદમી પાર્ટી સંગઠનના વિસ્તરણમાં વ્યસ્ત છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ડો.સંદીપ પાઠકે ગુજરાતના ચાર ધારાસભ્યોને રાષ્ટ્રીય ટીમમાં સમાવેશ કર્યો છે. પાર્ટીએ ગુજરાતમાંથી બે ધારાસભ્યો હેમંત  ખવા અને ચૈતર દેસાઇને રાજસ્થાનના સહ પ્રભારી પણ બનાવ્યા છે.

હેમંત ખવા

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતે ચાર ધારાસભ્યોની પદોન્નિત કરીને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરી છે. જેમાં ભૂપત ભાયાણી, હેમંત ખવા, સુધીર વાઘાણી અને ઉમેશ મકવાણાના નામ ધારાસભ્યોમાં સામેલ છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ડો.સંદીપ પાઠકે આ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી.

ભુપત ભાયાણી

પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ ડો.સંદીપ પાઠકે આ જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. પાર્ટીએ તેના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભામાં નેતાની જવાબદારી આપી છે. નવી જાહેરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજસ્થાનના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ રાજસ્થાન માટે કુલ સાત પ્રભારીઓની નિમણૂક કરી છે. જેમાં ચૈતર વસાવા સાથે હેમંત ખવાના નામનો સમાવેશ થાય છે.

ચૈતર વસાવા

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી વિપશ્યનાની સાધના કરીને પરત ફર્યા છે, તાજેતરમાં તેમણે વડોદરામાં પાર્ટી સંગઠનની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મનોજ સોરઠીયા, અલ્પેશ કથીરિયા હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડોદરાના AAPના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. વડોદરમાં અત્યારે પ્રતિમા વ્યાસને શહેર અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે.

ઉમેશ મકવાણા

આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલિયાને હટાવીને ઇસુદાન ગઢવીને જવાબદારી સોંપી હતી. ઇસુદાન પ્રમુખ બન્યા પછી પાર્ટીમાં ખાસ્સા બદલાવ જોવા મળી રહ્યા છે.

ઇસુદાન ગઢવી સામે પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓની સાથે લોકસભાની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરવાનું દબાણ છે. આદમી પાર્ટીનો રોડમેપ અને ભવિષ્ય લોકસભા ચૂંટણી દ્વારા જ નક્કી થાય તેવી અપેક્ષા છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને લગભગ 13 ટકા વોટ મળ્યા હતા. આ વોટ બચાવવાની સાથે સાથે વોટ શેર  વધારવાનો પણ મોટો પડકાર છે

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.