ભરૂચ-અંકલેશ્વર પૂરને લઈને AAP MLA ચૈતર વસાવાએ કેમ કહ્યુ-ખેડૂત ભાઈઓ સાથે ક્રૂર...

હાલમાં જ ભરૂચ અંકલેશ્વરમાં આવેલા પૂર અને તેના લીધે થયેલા નુકસાનને લઈને આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, સરદાર સરોવર ડેમમાંથી 17 સપ્ટેમ્બરના રોજ 23 દરવાજા ખોલીને 18 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જ્યારે નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં એ પાણી એક એક માળ સુધી ઘૂસી ગયું અને તેના લીધે આજે ખેતીમાં ખૂબ મોટું નુકસાન થયું છે.

તેમણે આગળ કહ્યું કે, છેલ્લા 5 દિવસથી અમે અને અમારી ટીમ એ વિસ્તારમાં ફરી રહ્યા છીએ અને રાહતનું કામ કરીએ છીએ, ત્યારે અમને લાગે છે કે સરકારને કદાચ આ વિસ્તારની નુકસાનીનો અંદાજો નથી એટલે સરકારે ગઈ કાલે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેમાં બિન પિયત પાકો માટે હેક્ટરે 8,500, પિયત ખેતી માટે હેક્ટરે 25 હજાર અને બાગાયતી પાકો માટે હેકટરે 1 લાખ 25 હજાર અને એ પણ તમામ બે હેક્ટરની મર્યાદામાં અને 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેમને જ મળવા પાત્ર છે.

ત્યારે સરકારને કહેવા માગીએ છીએ કે આ અમારા ખેડૂત ભાઈઓ સાથે ક્રૂર મજાક છે અને આ વળતર વધારવામાં આવે. હેક્ટરની મર્યાદા દૂર કરવામાં આવે એવી અમારી માગ છે. સાથે સાથે સરકારને કહેવા માગીએ છીએ કે, લાખો લોકોના ઘરો નાશ થઈ ગયા, પશુઓના મોત થઈ ગયા, જાન-માલને નુકસાન થયું, તેમનો પણ સહાય પેકેજમાં સમાવેશ કરવામાં આવે. વળતર સહાય ચૂકવવામાં આવે. જો સરકાર એમ નહીં કરે તો આગામી દિવસોમાં પ્રજામાં આક્રોશ હશે અને સરકારને તેનો સામનો કરવો પડશે.

હાલમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુલાકાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી 18 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય હતી. હજારો લોકોની ઘરવખરીનો સામાન પાણીમાં તણાઇ જતા મોટું નુકસાન થયું છે. આ સાથે જ કેટલાક પશુપાલકોના ઢોર પાણીમાં તણાઇ જતા મોત થયા છે, જ્યારે અનેક ખેડૂતોનો પાક પૂરના પાણીથી નાશ તઇ ગયો છે.

એવામાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર, પાણેથા, તરસાલી ઓરપટાર, ટોઠીદ્રા અને જુનાપરા સહિતના અનેક વિસ્તારોમાં લોકોના મકાનો પાણીમાં ગરકાવ થઈ જવાથી લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ પણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે તંત્રની બેદરકારીના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય હોવાના સરકાર પર પ્રહારો કર્યા હતા.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.