ગુજરાત સરકારે જન્મ-મરણના પ્રમાણપત્રમાં સુધારાને લઈને નવા નિયમો બહાર પાડ્યા

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં સુધારા અંગે મોટો ફેરફાર કર્યો છે. જે અનુસાર જન્મના પ્રમાણપત્રમાં બાળકના જૈવિક પિતાનું નામ દાખલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સાથે છૂટાછેડા લીધેલા દંપતીઓ, સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માગતા અરજદારો માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

માર્ગદર્શિકા અનુસાર, જો દંપતી વચ્ચે છૂટાછેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક). આ ફેરફાર માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જોકે પિતાના નામની કૉલમમાં જૈવિક પિતાનું નામ લખવું ફરજિયાત રહેશે.

correction
gujaratsamachar.com

આ સાથે જો અરજદાર ઈચ્છે તો બાળકના નામ પાછળ પિતાનું નામ અને અટક લખવાની ટાળી શકે છે અને માત્ર બાળકનું નામ જ લખાવી શકશે. આ સાથે અરજદાર ક્રમાંક પણ નક્કી કરી શકે છે. એટલે કે પહેલા અટક લખવી હોય, પછી બાળકનું નામ અને પછી પિતાનું નામ લખવું હોય તો પણ લખી શકાશે.

હવેથી બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ (દા.ત. અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવું હોય તો તે પણ માન્ય ગણાશે. જો બાળક વચ્ચે પિતાનું નામ રાખવા ન માગે તો તેને તે કાઢવાની મંજૂરી આપવામાં આવશે.

નવી માર્ગદર્શિકા મુજબ, મરણના દાખલામાં મૃત્યુ પામનારાના નામ પાછળ પિતા કે પતિનું નામ વૈકલ્પિક છે, એટલે કે ફરજિયાત નથી. આવી જ રીતે પિતા કે પતિની અટક પણ ફરજિયાત નથી, તેમ જણાવે છે. આ સાથે જો સંજોગો અને નિયમો બદલાય અને જરૂર પડે તો જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા એક કરતા વધારે વાર ફેરફાર કરી શકાશે.

correction
gujaratsamachar.com

અગાઉ 2007ના નિયમો મુજબ જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. પરંતુ હવે નવા પરિપત્ર મુજબ, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ માર્દર્શિકાનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.