નરોડા હત્યા કાંડઃ માયા કોડનાની-બાબુ બજરંગી સહિત તમામ 69 આરોપીઓ નિર્દોષ જાહેર

અમદાવાદની સ્પેશિયલ કોર્ટે  ગુજરાત રમખાણો સાથે જોડાયેલા નરોડા ગામ હત્યાકાંડ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.. 21 વર્ષની લાંબી રાહ જોયા બાદ કોર્ટે ગુરુવારે સાંજે આ ચુકાદો આપ્યો છે. કોર્ટના ચુકાદા પહેલા તમામ આરોપીઓને કડક સુરક્ષા હેઠળ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને જ એન્ટ્રી આપવામાં આવી હતી. 2002માં નરોડા ગામમાં હિંસામાં એક સમુદાયના 11 લોકોનો મોત થયા હતા. એ પછી ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી   સહિત 86 લોકો સામે ગુનો દાખલ થયો હતો. 13 વર્ષ લાંબી ચાલેલી આ ટ્રાયલમાં કેસમાં સામેલ 18 લોકોના મોત થયા હતા. વિશેષ અદાલતે ગુરુવારે તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા. કોર્ટમાંથી નિર્દોષ છુટ્યા પછી બહાર આવેલા લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.

આ મામલાની સુનાવણી 16 એપ્રિલે પૂરી થઈ હતી. આ દરમિયાન પીડિત પક્ષ તરફથી ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આ પછી સ્પેશિયલ કોર્ટના પ્રિન્સિપલ સેશન્સ જજ એસ કે બક્ષીએ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને 20 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. બે દાયકાથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલમાં ફરિયાદ પક્ષે 182 સાક્ષીઓ રજૂ કર્યા હતા. રમખાણો અને હત્યા ઉપરાંત, 67 વર્ષના માયા કોડનાની પર નરોડા ગામ કેસમાં ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સપ્ટેમ્બર 2017માં કોડનાનીના બચાવ પક્ષના સાક્ષી તરીકે હાજર થયા હતા.

નરોડા ગામ હત્યા કેસની વાત કરીએ તો તમને ગોધરા કાંડની ઘટના યાદ હશે. 27 ફ્રેબુઆરી 2002ના દિવસે અયોધ્યાથી સાબરમતી ટ્રેનમાંપરત ફરી રહેલા કાર સેવકોને ગોધરા ખાતે પેટ્રોલ નાંખીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 28 ફ્રેબ્રુઆરીએ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યા હતું અને સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા. આ તોફાનમાં અમદાવાદના નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં પૂર્વ મંત્રી માયા કોડનાની,જયદીપ પટેલ સહિત કુલ 86 લોકો સામે કેસ થયા હતા.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.