CM સિવાય ગુજરાતના તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવાયા, સવારે 11.30એ શપથગ્રહણ

રાજ્યના રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. અચાનક જ મંત્રીઓ અને શાસક પક્ષના મહત્ત્વના ધારાસભ્યોને તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠકમાં હાજર થવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ અણધારી સૂચનાને પગલે ગાંધીનગરના રાજકીય ગલિયારામાં ભારે ગરમાવો આવી ગયો છે. રિપોર્ટ મુજબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે, જેમાં સૌથી પહેલા જગદીશ પંચાલે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા CM રાજ્યપાલને મોકલશે અને 17 તારીખે સવારે 11.30 કલાકે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાશે.

મુખ્ય હાઇલાઇટ્સ:

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી.

શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી અથવા પક્ષના મોવડી મંડળ તરફથી મંત્રીઓ અને કેટલાક મહત્ત્વના ધારાસભ્યોને તાત્કાલિક અસરથી કેબિનેટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ આદેશ મળતાંની સાથે જ મંત્રીઓ અને ધારાસભ્યોના ફોન સતત રણકવા લાગ્યા હતા. અનેક નેતાઓને સરકારી ગાડીઓ લઈને તાત્કાલિક ગાંધીનગર દોડી આવવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ તાત્કાલિક કાર્યવાહી પાછળ મોટું કારણ છુપાયેલું છે. રાજ્ય કેબિનેટમાં વ્યાપક ફેરબદલ અથવા સંગઠનમાં મોટા ફેરફારોની પૂરી સંભાવના છે.

About The Author

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.