CM સિવાય ગુજરાતના તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવાયા, સવારે 11.30એ શપથગ્રહણ

રાજ્યના રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. અચાનક જ મંત્રીઓ અને શાસક પક્ષના મહત્ત્વના ધારાસભ્યોને તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠકમાં હાજર થવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ અણધારી સૂચનાને પગલે ગાંધીનગરના રાજકીય ગલિયારામાં ભારે ગરમાવો આવી ગયો છે. રિપોર્ટ મુજબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે, જેમાં સૌથી પહેલા જગદીશ પંચાલે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા CM રાજ્યપાલને મોકલશે અને 17 તારીખે સવારે 11.30 કલાકે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાશે.

મુખ્ય હાઇલાઇટ્સ:

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી.

શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી અથવા પક્ષના મોવડી મંડળ તરફથી મંત્રીઓ અને કેટલાક મહત્ત્વના ધારાસભ્યોને તાત્કાલિક અસરથી કેબિનેટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ આદેશ મળતાંની સાથે જ મંત્રીઓ અને ધારાસભ્યોના ફોન સતત રણકવા લાગ્યા હતા. અનેક નેતાઓને સરકારી ગાડીઓ લઈને તાત્કાલિક ગાંધીનગર દોડી આવવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ તાત્કાલિક કાર્યવાહી પાછળ મોટું કારણ છુપાયેલું છે. રાજ્ય કેબિનેટમાં વ્યાપક ફેરબદલ અથવા સંગઠનમાં મોટા ફેરફારોની પૂરી સંભાવના છે.

About The Author

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.