CM સિવાય ગુજરાતના તમામ 16 મંત્રીઓના રાજીનામા લેવાયા, સવારે 11.30એ શપથગ્રહણ

રાજ્યના રાજકારણમાં આજે મોટો ભૂકંપ આવ્યો છે. અચાનક જ મંત્રીઓ અને શાસક પક્ષના મહત્ત્વના ધારાસભ્યોને તાત્કાલિક ધોરણે કેબિનેટ બેઠકમાં હાજર થવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ અણધારી સૂચનાને પગલે ગાંધીનગરના રાજકીય ગલિયારામાં ભારે ગરમાવો આવી ગયો છે. રિપોર્ટ મુજબ મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે, જેમાં સૌથી પહેલા જગદીશ પંચાલે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામા CM રાજ્યપાલને મોકલશે અને 17 તારીખે સવારે 11.30 કલાકે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાશે.

મુખ્ય હાઇલાઇટ્સ:

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી.

શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી અથવા પક્ષના મોવડી મંડળ તરફથી મંત્રીઓ અને કેટલાક મહત્ત્વના ધારાસભ્યોને તાત્કાલિક અસરથી કેબિનેટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ આદેશ મળતાંની સાથે જ મંત્રીઓ અને ધારાસભ્યોના ફોન સતત રણકવા લાગ્યા હતા. અનેક નેતાઓને સરકારી ગાડીઓ લઈને તાત્કાલિક ગાંધીનગર દોડી આવવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ તાત્કાલિક કાર્યવાહી પાછળ મોટું કારણ છુપાયેલું છે. રાજ્ય કેબિનેટમાં વ્યાપક ફેરબદલ અથવા સંગઠનમાં મોટા ફેરફારોની પૂરી સંભાવના છે.

About The Author

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.