અમદાવાદની 9 હોસ્પિટલોને AMCએ કરી દીધી સીલ, જાણો શું છે આખો મામલો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને BU પરમિશન ન હોય તેવી હોસ્પિટલ સામે લાલ આંખ કરી છે અને આજે સવારે આવી હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ કોર્પોરેશન તરફથી નોટિસ ફટકારી BU પરમિશના પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. છતા કોઈ પુરાવા રજૂ કરવામાં ન આવતાં છેવટે તંત્રએ હોસ્પિટલોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના હદ વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલોને નિર્માણના નિયમાનુસાર BU મેળવી લેવા તેમજ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2022 (GRUDA-2022) હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા માટે અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, કોર્પોરેશન દ્વારા વારંવાર મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

hospital2
gujaratsamachar.com

જોકે, આ હોસ્પિટલોના સંચાલકો દ્વારા વપરાશ પરવાનગી મેળવી લીધી હોવાથી બાંધકામ નિયમિત કરાવી લીધું હોવાથી તે અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા અને તેમ છતા તેઓ દ્વારા હોસ્પિટલનો વપરાશ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે અને જાહેર સલામતીના ભાગરૂપે AMC દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આ 9 હોસ્પિટલોને આજે સીલ કરવામાં આવી છે.

જે હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં ૩૩-સરખેજ દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ, 34-મક્તમપુરા મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા, નૌશીન હોસ્પિટલ,  34-મક્તમપુરા રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા, 34-મક્તમપુરા હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ, જોધપુર-2 સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ, જોધપુર-૨ મમતા હોસ્પિટલ, સાઉથ બોપલ, જોધપુર-2 આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ અને જોધપુર-2 દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલનો સમાવેશ થાય છે.

hospital
divyabhaskar.co.in

દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, આગામી સમયમાં પણ જે પ્રોપટીના માલિકે BU મેળવી ના હોય કે ઇમ્પેક્ટ ફી અંતર્ગત બાંધકામ નિયમિત કરાવેલ ન હોય તેવા મલ્ટીપ્લેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ વિગેરે જેવા એસેમ્બલી પ્રકારના એકમોનો વપરાશ બંધ કરાવવા અંગે સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વિરાટનગરના કોમ્પ્લેક્સમાં લાગેલી આગ બાદ તંત્ર ખાસ સજાગ બન્યું છે. આ ઘટના પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટી તેમજ બીયુ પરમિશનન છે કે નહી તે મામલે હોસ્પિટલોમાં તપાસ શરૂ કરી છે.

About The Author

Top News

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.