ગોપાલ ઈટાલીયા સહિત 5 સામે માનહાનીનો દાવો, પોરબંદર કોર્ટમાં કેસ થયો

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 5 લોકો સામે પોરબંદર ચીફ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લાના આમ આદમી પાર્ટીના સંયોજક કેયુર જોષીને કોઇપણ કારણદર્શક નોટીસ આપ્યા વિના કે જાણ કર્યા વીના તેમને પક્ષમાંથી બરખાસ્ત કર્યા બાદ તેનો લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઇને આ બદનક્ષીનો દાવો પોરબંદરની કોર્ટમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પોરબંદરના કેયુર જોષીએ એવું જણાવ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી પોરબંદર જિલ્લાના સંયોજક તરીકે કામ કરી રહ્યાં હતા. પરંતુ કોઇ પણ કારણદર્શક નોટીસ કે જાણ કર્યા વીના સામાજીક, રાજકીય કારકીર્દિ સમાપ્ત કરવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી બરખાસ્ત લેટર વાયરલ કરવામાં આવ્યો હતો.

ગત તા.3-9-2021ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા તેમજ અન્યો દ્વારા સોશ્યલ મીડિયામાં બરખાસ્તનો લેટર વાયરલ કરવામાં આવ્યો હતો અને રાજકીય, સામાજીક કારકીર્દિ ખરડાય એ રીતે કેયુર જોષીને સમાજમાં બદનામ કરવાના ઇરાદે જાણીજોઇને સસ્પેન્શન લેટર કે પાર્ટી નિયમ મુજબ કારણદર્શક નોટીસ આપ્યા વગર સોશ્યલ મીડિયામાં લેટર વાયરલ કરવામાં આવ્યો છે. આથી ગોપાલ ઇટાલીયા તેમજ અન્ય 5 વિરૂદ્ધ ચિફ કોર્ટ પોરબંદરમાં માનહાનીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ

તમે વીમા કંપનીઓ દ્વારા મનસ્વી વર્તન અને દાવાઓને સેટલ ન કરવાના તમામ કિસ્સાઓ જોયા હશે. જોકે, આજે અમે તમારા...
National 
વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ

પુનર્જન્મની એક ચોંકાવનારી કહાની, 25 વર્ષીય યુવક 85 વર્ષીય 'પત્ની'ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો

હરિયાણાના હોડલના મિત્રોલ ગામમાં 85 વર્ષીય પત્નીના અંતિમ સંસ્કારમાં 25 વર્ષીય એક યુવકનું પહોંચવું ચર્ચાનો વિષય બની ગયું છે. ગામલોકોનું...
National 
પુનર્જન્મની એક ચોંકાવનારી કહાની, 25 વર્ષીય યુવક 85 વર્ષીય 'પત્ની'ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો

ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે

ભારતમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20 ઇંધણ)ને લગતો વિવાદ ચાલુ છે. તાજેતરના એક સર્વે મુજબ, જો પેટ્રોલ વાહન માલિકોને લાગે...
Tech and Auto 
ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે

ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસર, UNની ચેતવણીમાં કોલકાતા અને મુંબઈ પર મોટો ખતરો છે

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના એક રિપોર્ટે હંગામો મચાવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે, સમુદ્રનું સ્તર વધવાથી કોલકાતા અને...
National 
ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસર, UNની ચેતવણીમાં કોલકાતા અને મુંબઈ પર મોટો ખતરો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.