દ્વારકામાં ડિમોલિશન થતું હતું કે, અચાનક સાક્ષાત હનુમાનજીએ આપી દીધા દર્શન, પોલીસે..

દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં વર્ષો જૂનું હનમાનજીનું મંદિર આવેલું છે અને ગેર કાયદેસર દબાણોના કારણે આ મંદિર અંદરની તરફ ઢંકાઈ ગયું હતું, જેને કારણે લોકો ભગવાનની પૂજા કરી શકતા નહોતા. ગુજરાત પોલીસને આ વાતની જાણ થઇ તો તેમણે મંદિરના તમામ અડચણો દૂર કરીને હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરી હતી અને તેનું બાલા હનુમાન નામ આપી નામકરણ કર્યું હતું.

કૃષ્ણ નગરી દ્વારકામાં હનુમાન દાદાનું મંદિર મળ્યા બાદ તેનો જીર્ણોદ્ધાર થતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર દબાણને કારણે મંદિરને ત્યજી દેવામાં આવ્યું હતું. સદભાગ્યે, ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપના માટે પહેલ કરી હતી. હનુમાન જયંતિના શુભ અવસર પર, મંદિરને લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક વારસો અને આધ્યાત્મિકતાનો એક ભાગ જીવંત થયો હતો.

Tample1
x.com/sanghaviharsh

મળતી મહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી, આ દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક મંદિર ખંડેર હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકો અન ભાવિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100-125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું જાણવા મળ્યું હતું. આ મંદિર લગભગ 40-50 વર્ષ અગાઉ ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાવાને કારણે અને સામાજિક તત્વોની ગતિવિધિને કારણે અહીં ભક્તો-દર્શનાર્થીઓનીએ આવવાનું ઓછું કરી દીધું હતું. પરંતુ આ મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી ત્યાંના ભાવિકોએ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને બીજી જગ્યાએ ખસેડી દીધી હતી. આ વાતની જાણ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવીને હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરી હતી અને તેનું બાલા હનુમાન નામથી નામકરણ કર્યું હતું.


તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર આ માહિતી આપી છે. તેમણે તસવીરો સાથે ટ્વીટ કરતા લખ્યું કે, દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં તાજેતરમાં એક મેગા ગેરકાયદેસર ડિમોલિશન ઝુંબેશ દરમિયાન, ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું, ભૂલાઈ ગયેલું હનુમાન મંદિર મળી આવ્યું.

About The Author

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.