દ્વારકામાં ડિમોલિશન થતું હતું કે, અચાનક સાક્ષાત હનુમાનજીએ આપી દીધા દર્શન, પોલીસે..

દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં વર્ષો જૂનું હનમાનજીનું મંદિર આવેલું છે અને ગેર કાયદેસર દબાણોના કારણે આ મંદિર અંદરની તરફ ઢંકાઈ ગયું હતું, જેને કારણે લોકો ભગવાનની પૂજા કરી શકતા નહોતા. ગુજરાત પોલીસને આ વાતની જાણ થઇ તો તેમણે મંદિરના તમામ અડચણો દૂર કરીને હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરી હતી અને તેનું બાલા હનુમાન નામ આપી નામકરણ કર્યું હતું.

કૃષ્ણ નગરી દ્વારકામાં હનુમાન દાદાનું મંદિર મળ્યા બાદ તેનો જીર્ણોદ્ધાર થતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર દબાણને કારણે મંદિરને ત્યજી દેવામાં આવ્યું હતું. સદભાગ્યે, ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપના માટે પહેલ કરી હતી. હનુમાન જયંતિના શુભ અવસર પર, મંદિરને લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક વારસો અને આધ્યાત્મિકતાનો એક ભાગ જીવંત થયો હતો.

Tample1
x.com/sanghaviharsh

મળતી મહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી, આ દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક મંદિર ખંડેર હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકો અન ભાવિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100-125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું જાણવા મળ્યું હતું. આ મંદિર લગભગ 40-50 વર્ષ અગાઉ ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાવાને કારણે અને સામાજિક તત્વોની ગતિવિધિને કારણે અહીં ભક્તો-દર્શનાર્થીઓનીએ આવવાનું ઓછું કરી દીધું હતું. પરંતુ આ મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી ત્યાંના ભાવિકોએ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને બીજી જગ્યાએ ખસેડી દીધી હતી. આ વાતની જાણ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવીને હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરી હતી અને તેનું બાલા હનુમાન નામથી નામકરણ કર્યું હતું.


તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર આ માહિતી આપી છે. તેમણે તસવીરો સાથે ટ્વીટ કરતા લખ્યું કે, દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં તાજેતરમાં એક મેગા ગેરકાયદેસર ડિમોલિશન ઝુંબેશ દરમિયાન, ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું, ભૂલાઈ ગયેલું હનુમાન મંદિર મળી આવ્યું.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.