દ્વારકામાં ડિમોલિશન થતું હતું કે, અચાનક સાક્ષાત હનુમાનજીએ આપી દીધા દર્શન, પોલીસે..

દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં વર્ષો જૂનું હનમાનજીનું મંદિર આવેલું છે અને ગેર કાયદેસર દબાણોના કારણે આ મંદિર અંદરની તરફ ઢંકાઈ ગયું હતું, જેને કારણે લોકો ભગવાનની પૂજા કરી શકતા નહોતા. ગુજરાત પોલીસને આ વાતની જાણ થઇ તો તેમણે મંદિરના તમામ અડચણો દૂર કરીને હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરી હતી અને તેનું બાલા હનુમાન નામ આપી નામકરણ કર્યું હતું.

કૃષ્ણ નગરી દ્વારકામાં હનુમાન દાદાનું મંદિર મળ્યા બાદ તેનો જીર્ણોદ્ધાર થતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર દબાણને કારણે મંદિરને ત્યજી દેવામાં આવ્યું હતું. સદભાગ્યે, ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપના માટે પહેલ કરી હતી. હનુમાન જયંતિના શુભ અવસર પર, મંદિરને લોકો માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક વારસો અને આધ્યાત્મિકતાનો એક ભાગ જીવંત થયો હતો.

Tample1
x.com/sanghaviharsh

મળતી મહિતી મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી, આ દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક મંદિર ખંડેર હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકો અન ભાવિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100-125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું જાણવા મળ્યું હતું. આ મંદિર લગભગ 40-50 વર્ષ અગાઉ ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાવાને કારણે અને સામાજિક તત્વોની ગતિવિધિને કારણે અહીં ભક્તો-દર્શનાર્થીઓનીએ આવવાનું ઓછું કરી દીધું હતું. પરંતુ આ મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી ત્યાંના ભાવિકોએ મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને બીજી જગ્યાએ ખસેડી દીધી હતી. આ વાતની જાણ થતા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવીને હનુમાન જયંતિના શુભ અવસર પર મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરી હતી અને તેનું બાલા હનુમાન નામથી નામકરણ કર્યું હતું.


તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર આ માહિતી આપી છે. તેમણે તસવીરો સાથે ટ્વીટ કરતા લખ્યું કે, દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં તાજેતરમાં એક મેગા ગેરકાયદેસર ડિમોલિશન ઝુંબેશ દરમિયાન, ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું, ભૂલાઈ ગયેલું હનુમાન મંદિર મળી આવ્યું.

Related Posts

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.