પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવાની તકલીફ, બાયપાસ...

ગુજરાતના દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર ચુડાસમાની મધરાતે તબિયત બગડી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરતા ભાજપના નેતાઓ ચિંતામાં મુકાઇ ગયા છે. તેમને શ્વાસની તકલીફ ઉભી થતા તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા પડ્યા હતા.

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાંની મંગળવારે મોડી રાત્રે તબિયત લથડી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તેમને શ્વાસની તકલીફ ઉભી થઇ હતી. તબીબોએ કહ્યું છે કે, તેમની નળીમાં બ્લોકેજ હોવાને કારણે બાયપાસ સર્જરી કરાવવામાં આવશે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં શિક્ષણ મંત્રી રહેલા ભૂપેન્દ્ર ચુડાસમાં ભાજપના સિનિયર નેતા છે અને મંગળવારે રાત્રે બે વાગ્યે જ્યારે તેઓ ગાંધીનગરમાં તેમના નિવાસ સ્થાને હતા ત્યારે તબિયત બગડી હતી. તેમને તાત્કાલિક યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તબીબોની એક ખાસ ટીમ ભૂપેન્દ્ર ચુડાસમાની સારવારમાં તૈનાત કરી દેવામાં આવી છે અને તેમની નળીમાં બ્લોકેજ માલૂમ પડતા બુધવારે સાંજે તેમની બાયપાસ સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તબીબોએ કહ્યું કે, બાયપાસ સર્જરી બાદ તેમને 3 દિવસ સુધી  ICUમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

ગુજરાત ભાજપમાં ‘બાપુ’ હુલામણા નામથ જાણીતા ભૂપેન્દ્ર ચુડાસમાની 30 વર્ષ કરતા વધારેની કારકિર્દીમાં ત્યારે ડાઘ લાગ્યો હતો જ્યારે ગુજરાત હાઇકોર્ટે વિધાનસભાની ચૂંટણીમાં થયેલી તેમની જીતને રદ કરી દીધી હતી.

 આમ તો ભાજપના આ દિગ્ગજ નેતા 74 વર્ષની વયે પહોંચ્યા છે, પરંતુ તેમણે 33 વર્ષ કરતા વધારે રાજકીય ઇનિંગ રમી છે. ચુડાસમાને એક શાંત, સૌમ્ય અને સિનયર આગેવાન તરીકે ઓળખવામાં આવે છે.તેઓ અનેક હોદ્દાઓ પર જવાબદારી સંભાળી ચૂક્યા છે.

ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાં 1990થી વર્ષ 2020 સુધી મંત્રી પદે રહી ચૂક્યા છે. વર્ષ 2019ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચુડાસમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકરામાં ભૂપેન્દ્ર ચુડાસમા સામે અનેક વિવાદો અને આરોપો પણ લાગ્યા હતા.

ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર ચુડાસમાની બીજી અન્ય એક ઓળખ એ પણ છે કે તેઓ સરકાર કોઇની પણ હોય, ડેમેજ કંટ્રોલ કરવામાં માહિર છે. ભૂતકાળમાં સ્વ. કેશુભાઇ પટેલની સરકાર હો, નરેન્દ્ર મોદીની સરકાર હોય , આનંદીબેન પટેલની કે વિજય રૂપાણીની સરકાર હોય, દરેક વખતે તેમણે ડેમેજ કંટ્રોલ કરવાની સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકાર વચ્ચે સમન્વય સાધવામાં મોટી ભૂમિકા નિભાવી છે.

Top News

વર્લ્ડ બેંક કહે છે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ, આંકડા પણ આપ્યા

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, દેશનો ગરીબી દર 2011-12માં 16.22...
National 
વર્લ્ડ બેંક કહે છે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ, આંકડા પણ આપ્યા

PoK અંગે રાજનાથ સિંહે કહ્યું- 'તે મારો જ ભાઈ છે, મારાથી દૂર ક્યાં જશે'

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાનને પડકાર ફેંકતા મોટું નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે POK પર એવું નિવેદન...
National 
PoK અંગે રાજનાથ સિંહે કહ્યું- 'તે મારો જ ભાઈ છે, મારાથી દૂર ક્યાં જશે'

‘મને અંગ્રેજી નથી આવડતી..’, આટલું બોલીને શિક્ષણમંત્રીએ હાથ જોડ્યા અને પકડ્યા કાન’ દામિનીએ પૂછ્યો હતો સવાલ

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર શનિવારે અચાનક ચર્ચામાં આવી ગયા. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક દિવસ અગાઉ...
National  Politics 
‘મને અંગ્રેજી નથી આવડતી..’, આટલું બોલીને શિક્ષણમંત્રીએ હાથ જોડ્યા અને પકડ્યા કાન’ દામિનીએ પૂછ્યો હતો સવાલ

2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથીઃ સી.આર.પાટીલ

સુરતને મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જ્યારે પણ રાજનીતિક વાતાવરણ ઊભું થાય તો સુરત મહત્ત્વનું કેન્દ્ર બની જાય...
Politics  Gujarat 
2012, 2017 અને 2022માં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથીઃ સી.આર.પાટીલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.