વર્લ્ડ બેંક કહે છે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ, આંકડા પણ આપ્યા

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, દેશનો ગરીબી દર 2011-12માં 16.22 ટકાથી ઘટીને 2022-23માં માત્ર 5.25 ટકા થયો છે. વિશ્વ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન લગભગ 17 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર થઇ ગયા છે.

India-Poverty-Rate3
navbharattimes.indiatimes.com

વિશ્વ બેંકના અહેવાલ મુજબ, હવે ફક્ત તે લોકો જ 'અત્યંત ગરીબ' ગણાશે જેઓ દરરોજ 3 ડૉલર (લગભગ રૂ.250)થી ઓછો ખર્ચ કરે છે. જે અત્યાર સુધી 2.15 ડૉલર એટલે કે રૂ.185 હતું. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા (IPL)માં મહત્વપૂર્ણ સુધારા કર્યા. બેંકે IPLને 2.15 US ડૉલર પ્રતિ દિવસથી વધારીને 3.00 US ડૉલર પ્રતિ દિવસ કર્યો. જો આ પરિવર્તન ન આવ્યું હોત, તો વૈશ્વિક સ્તરે 'અતિશય ગરીબ' લોકોની સંખ્યામાં 22.6 કરોડનો વધારો થયો હોત. આ નવા સ્કેલ મુજબ, 2022-23માં ગરીબી દર 5.25 ટકા હતો. ભારતે 2011-12માં ગરીબી રેખા નીચે જીવતી તેની વસ્તી 20.59 કરોડથી ઘટાડીને 2022-23માં 7.52 કરોડ કરી દીધી છે.

India-Poverty-Rate2
agniban.com

અહેવાલમાં જણાવાયું છે કે, 2011-12માં, દેશના 'અતિશય ગરીબ' લોકોમાંથી 65 ટકા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ જેવા પાંચ રાજ્યોમાં રહેતા હતા. પરંતુ 2022-23 સુધીમાં, આ રાજ્યોમાં 'અતિશય ગરીબ' લોકોની સંખ્યા માત્ર 54 ટકા થઈ ગઈ છે.

World-Bank
tv9hindi.com

અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં 'અતિશય ગરીબી' 18.4 ટકાથી ઘટીને 2.8 ટકા થઈ ગઈ છે. જ્યારે, શહેરી વિસ્તારોમાં તે 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ ગઈ છે. એટલે કે, ગામડા અને શહેર વચ્ચેનો તફાવત પણ ઘણો ઓછો થયો છે. પહેલા આ તફાવત 7.7 ટકા હતો, હવે ફક્ત 1.7 ટકા છે. બીજી તરફ, બંને વચ્ચે વપરાશમાં તફાવત પણ ઓછો થયો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે વપરાશમાં તફાવત 2011-12માં 84 ટકાથી ઘટીને 2023-24માં 70 ટકા થયો છે.

India-Poverty-Rate1
amarujala.com

વિશ્વ બેંકનો આ અહેવાલ 100થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, વહેંચાયેલ સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે જણાવે છે. વિશ્વ બેંક જૂથ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની વસંત અને વાર્ષિક બેઠકો માટે વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવતી આ માહિતી, દેશની ગરીબી અને અસમાનતા વિશે ચિત્ર રજૂ કરે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો...
Governance 
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

US, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. તેલ અને ગેસના ભાવ...
World 
યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

સુરતની કેમિકલ બનાવતી એથર ઇન્ડસ્ટ્રિઝમાં (AETHER Industries) ફરી મોટી આગ લાગી. આ વખતની આગ વેરહાઉસમાં લાગી હોવાથી કંપનીના ઓપરેશન્સ પર...
Gujarat 
સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝમાં ફરી આગ, શેર ઉચકાયો, 2023માં 100 કરોડનો વીમો ક્લેઇમ 

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.