વર્લ્ડ બેંક કહે છે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ, આંકડા પણ આપ્યા

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, દેશનો ગરીબી દર 2011-12માં 16.22 ટકાથી ઘટીને 2022-23માં માત્ર 5.25 ટકા થયો છે. વિશ્વ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન લગભગ 17 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર થઇ ગયા છે.

India-Poverty-Rate3
navbharattimes.indiatimes.com

વિશ્વ બેંકના અહેવાલ મુજબ, હવે ફક્ત તે લોકો જ 'અત્યંત ગરીબ' ગણાશે જેઓ દરરોજ 3 ડૉલર (લગભગ રૂ.250)થી ઓછો ખર્ચ કરે છે. જે અત્યાર સુધી 2.15 ડૉલર એટલે કે રૂ.185 હતું. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા (IPL)માં મહત્વપૂર્ણ સુધારા કર્યા. બેંકે IPLને 2.15 US ડૉલર પ્રતિ દિવસથી વધારીને 3.00 US ડૉલર પ્રતિ દિવસ કર્યો. જો આ પરિવર્તન ન આવ્યું હોત, તો વૈશ્વિક સ્તરે 'અતિશય ગરીબ' લોકોની સંખ્યામાં 22.6 કરોડનો વધારો થયો હોત. આ નવા સ્કેલ મુજબ, 2022-23માં ગરીબી દર 5.25 ટકા હતો. ભારતે 2011-12માં ગરીબી રેખા નીચે જીવતી તેની વસ્તી 20.59 કરોડથી ઘટાડીને 2022-23માં 7.52 કરોડ કરી દીધી છે.

India-Poverty-Rate2
agniban.com

અહેવાલમાં જણાવાયું છે કે, 2011-12માં, દેશના 'અતિશય ગરીબ' લોકોમાંથી 65 ટકા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ જેવા પાંચ રાજ્યોમાં રહેતા હતા. પરંતુ 2022-23 સુધીમાં, આ રાજ્યોમાં 'અતિશય ગરીબ' લોકોની સંખ્યા માત્ર 54 ટકા થઈ ગઈ છે.

World-Bank
tv9hindi.com

અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં 'અતિશય ગરીબી' 18.4 ટકાથી ઘટીને 2.8 ટકા થઈ ગઈ છે. જ્યારે, શહેરી વિસ્તારોમાં તે 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ ગઈ છે. એટલે કે, ગામડા અને શહેર વચ્ચેનો તફાવત પણ ઘણો ઓછો થયો છે. પહેલા આ તફાવત 7.7 ટકા હતો, હવે ફક્ત 1.7 ટકા છે. બીજી તરફ, બંને વચ્ચે વપરાશમાં તફાવત પણ ઓછો થયો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે વપરાશમાં તફાવત 2011-12માં 84 ટકાથી ઘટીને 2023-24માં 70 ટકા થયો છે.

India-Poverty-Rate1
amarujala.com

વિશ્વ બેંકનો આ અહેવાલ 100થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, વહેંચાયેલ સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે જણાવે છે. વિશ્વ બેંક જૂથ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની વસંત અને વાર્ષિક બેઠકો માટે વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવતી આ માહિતી, દેશની ગરીબી અને અસમાનતા વિશે ચિત્ર રજૂ કરે છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.