વર્લ્ડ બેંક કહે છે ભારતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ, આંકડા પણ આપ્યા

છેલ્લા દાયકામાં ભારતમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, દેશનો ગરીબી દર 2011-12માં 16.22 ટકાથી ઘટીને 2022-23માં માત્ર 5.25 ટકા થયો છે. વિશ્વ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન લગભગ 17 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર થઇ ગયા છે.

India-Poverty-Rate3
navbharattimes.indiatimes.com

વિશ્વ બેંકના અહેવાલ મુજબ, હવે ફક્ત તે લોકો જ 'અત્યંત ગરીબ' ગણાશે જેઓ દરરોજ 3 ડૉલર (લગભગ રૂ.250)થી ઓછો ખર્ચ કરે છે. જે અત્યાર સુધી 2.15 ડૉલર એટલે કે રૂ.185 હતું. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા (IPL)માં મહત્વપૂર્ણ સુધારા કર્યા. બેંકે IPLને 2.15 US ડૉલર પ્રતિ દિવસથી વધારીને 3.00 US ડૉલર પ્રતિ દિવસ કર્યો. જો આ પરિવર્તન ન આવ્યું હોત, તો વૈશ્વિક સ્તરે 'અતિશય ગરીબ' લોકોની સંખ્યામાં 22.6 કરોડનો વધારો થયો હોત. આ નવા સ્કેલ મુજબ, 2022-23માં ગરીબી દર 5.25 ટકા હતો. ભારતે 2011-12માં ગરીબી રેખા નીચે જીવતી તેની વસ્તી 20.59 કરોડથી ઘટાડીને 2022-23માં 7.52 કરોડ કરી દીધી છે.

India-Poverty-Rate2
agniban.com

અહેવાલમાં જણાવાયું છે કે, 2011-12માં, દેશના 'અતિશય ગરીબ' લોકોમાંથી 65 ટકા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ જેવા પાંચ રાજ્યોમાં રહેતા હતા. પરંતુ 2022-23 સુધીમાં, આ રાજ્યોમાં 'અતિશય ગરીબ' લોકોની સંખ્યા માત્ર 54 ટકા થઈ ગઈ છે.

World-Bank
tv9hindi.com

અહેવાલ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં 'અતિશય ગરીબી' 18.4 ટકાથી ઘટીને 2.8 ટકા થઈ ગઈ છે. જ્યારે, શહેરી વિસ્તારોમાં તે 10.7 ટકાથી ઘટીને 1.1 ટકા થઈ ગઈ છે. એટલે કે, ગામડા અને શહેર વચ્ચેનો તફાવત પણ ઘણો ઓછો થયો છે. પહેલા આ તફાવત 7.7 ટકા હતો, હવે ફક્ત 1.7 ટકા છે. બીજી તરફ, બંને વચ્ચે વપરાશમાં તફાવત પણ ઓછો થયો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે વપરાશમાં તફાવત 2011-12માં 84 ટકાથી ઘટીને 2023-24માં 70 ટકા થયો છે.

India-Poverty-Rate1
amarujala.com

વિશ્વ બેંકનો આ અહેવાલ 100થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, વહેંચાયેલ સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે જણાવે છે. વિશ્વ બેંક જૂથ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની વસંત અને વાર્ષિક બેઠકો માટે વર્ષમાં બે વાર બહાર પાડવામાં આવતી આ માહિતી, દેશની ગરીબી અને અસમાનતા વિશે ચિત્ર રજૂ કરે છે.

About The Author

Related Posts

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.