ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સીના એક અહેવાલમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ મુજબ, 2025માં ભારતનો સ્કોર સુધર્યો છે. ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભારત હવે વૈશ્વિક સ્તરે 91મા ક્રમે છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સી અનુસાર, ડેનમાર્ક એકમાત્ર એવો દેશ છે જ્યાં ભ્રષ્ટાચારના કેસ સૌથી ઓછા છે. દક્ષિણ સુદાન અને સોમાલિયા વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશો છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સીએ વિશ્વના 180 દેશોને લઈને આ અહેવાલ જાહેર કર્યો છે.

ભ્રષ્ટાચારને લઈને જાહેર કરાયેલા અહેવાલમાં માત્ર 7 દેશોનો સ્કોર 80થી વધુ છે. યુરોપિયન દેશોમાં ભ્રષ્ટાચારનો પગ પેસારો વધ્યો છે. બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોના સ્કોરમાં ઘટાડો જોવા મળ્યો છે. માત્ર જર્મનીમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રિટન ટોપ-20 દેશોમાંથી બહાર છે.

Corruption In India
x.com/i/grok

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરી રહ્યા હોવા છતા અમેરિકાના સ્કોરમાં પણ ઘટાડો થયો છ. 2024માં ભ્રષ્ટાચારના સંદર્ભમાં અમેરિકા વૈશ્વિક સ્તરે 28મા ક્રમે હતું, જે હવે 29મા ક્રમે પહોંચી ગયું છે. તમામ પ્રયાસો છતા ચીનમાં ભ્રષ્ટાચારના કેસ ઘટ્યા નથી. ચીનનો સ્કોર પહેલાની જેમ 43 પર જ રહ્યો છે. ભ્રષ્ટાચારના સંદર્ભમાં ચીન 76મા ક્રમે છે.

ભારતમાં ભ્રષ્ટાચારના કેસ ઘટ્યા

2023માં, ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભારત 93મા ક્રમે હતું. 2024માં, તેમાં એક પોઈન્ટનો ઘટાડો થયો. ભારત હવે 91મા ક્રમે છે. ભારતનો સ્કોર 39 છે. કુલ મળીને છેલ્લા ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચારના કેસોમાં ભારતનો ક્રમ સુધર્યો છે. જોકે, આ સુધારો કેમ અને કેવી રીતે થયો તેની વિગતો આપવામાં આવી નથી.આટલું જ નહીં, ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં ભારત હજુ પણ વિશ્વના અન્ય દેશો કરતા ખૂબ પાછળ છે. કરપ્શન ઇંડેક્શમાં 39નો સ્કોર ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

Corruption In India
x.com/i/grok

કયા આધારે સર્વે કરવામાં આવે છે?

આ સર્વે મુખ્યત્વે 4 પરિબળો પર આધારિત છે. તેમાં લોકશાહી સંસ્થાઓને  મળતુંરાજકીય દાન, સંસ્થાઓની સ્થિતિ, પહોંચ માટે રોકડ ચૂકવણી અને પત્રકારોને રાજ્ય દ્વારા નિશાન બનાવવાનું મુખ્ય રૂપથી સામેલ છે. અહેવાલ જાહેર કરતા ગ્લોબલ ટ્રાન્સપરન્સીએ લખ્યું કે, ‘મુખ્ય શક્તિઓ વચ્ચેની હરીફાઈ અને આંતરરાષ્ટ્રીય ધોરણોની ખતરનાક અવગણનાને કારણે વૈશ્વિક વ્યવસ્થા દબાણ હેઠળ છે. સશસ્ત્ર સંઘર્ષ અને આબોહવા કટોકટીની ઘાતક અસર થઈ રહી છે. સમાજ પણ વધુ ધ્રુવીકરણ થતા જઇ રહ્યા છે.

ગ્લોબલ ટ્રાન્સપરન્સી અનુસાર, આ પડકારોનો સામનો કરવા માટે, વિશ્વને સિદ્ધાંતવાદી નેતાઓ અને મજબૂત, સ્વતંત્ર સંસ્થાઓની જરૂર છે જે જાહેર હિતનું રક્ષણ કરવા માટે ઈમાનદારીથી કાર્ય કરે છે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.