ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સીના એક અહેવાલમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ મુજબ, 2025માં ભારતનો સ્કોર સુધર્યો છે. ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભારત હવે વૈશ્વિક સ્તરે 91મા ક્રમે છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સી અનુસાર, ડેનમાર્ક એકમાત્ર એવો દેશ છે જ્યાં ભ્રષ્ટાચારના કેસ સૌથી ઓછા છે. દક્ષિણ સુદાન અને સોમાલિયા વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશો છે. ગ્લોબલ ટ્રાન્સપરન્સીએ વિશ્વના 180 દેશોને લઈને આ અહેવાલ જાહેર કર્યો છે.

ભ્રષ્ટાચારને લઈને જાહેર કરાયેલા અહેવાલમાં માત્ર 7 દેશોનો સ્કોર 80થી વધુ છે. યુરોપિયન દેશોમાં ભ્રષ્ટાચારનો પગ પેસારો વધ્યો છે. બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોના સ્કોરમાં ઘટાડો જોવા મળ્યો છે. માત્ર જર્મનીમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. બ્રિટન ટોપ-20 દેશોમાંથી બહાર છે.

Corruption In India
x.com/i/grok

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરી રહ્યા હોવા છતા અમેરિકાના સ્કોરમાં પણ ઘટાડો થયો છ. 2024માં ભ્રષ્ટાચારના સંદર્ભમાં અમેરિકા વૈશ્વિક સ્તરે 28મા ક્રમે હતું, જે હવે 29મા ક્રમે પહોંચી ગયું છે. તમામ પ્રયાસો છતા ચીનમાં ભ્રષ્ટાચારના કેસ ઘટ્યા નથી. ચીનનો સ્કોર પહેલાની જેમ 43 પર જ રહ્યો છે. ભ્રષ્ટાચારના સંદર્ભમાં ચીન 76મા ક્રમે છે.

ભારતમાં ભ્રષ્ટાચારના કેસ ઘટ્યા

2023માં, ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભારત 93મા ક્રમે હતું. 2024માં, તેમાં એક પોઈન્ટનો ઘટાડો થયો. ભારત હવે 91મા ક્રમે છે. ભારતનો સ્કોર 39 છે. કુલ મળીને છેલ્લા ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચારના કેસોમાં ભારતનો ક્રમ સુધર્યો છે. જોકે, આ સુધારો કેમ અને કેવી રીતે થયો તેની વિગતો આપવામાં આવી નથી.આટલું જ નહીં, ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં ભારત હજુ પણ વિશ્વના અન્ય દેશો કરતા ખૂબ પાછળ છે. કરપ્શન ઇંડેક્શમાં 39નો સ્કોર ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.

Corruption In India
x.com/i/grok

કયા આધારે સર્વે કરવામાં આવે છે?

આ સર્વે મુખ્યત્વે 4 પરિબળો પર આધારિત છે. તેમાં લોકશાહી સંસ્થાઓને  મળતુંરાજકીય દાન, સંસ્થાઓની સ્થિતિ, પહોંચ માટે રોકડ ચૂકવણી અને પત્રકારોને રાજ્ય દ્વારા નિશાન બનાવવાનું મુખ્ય રૂપથી સામેલ છે. અહેવાલ જાહેર કરતા ગ્લોબલ ટ્રાન્સપરન્સીએ લખ્યું કે, ‘મુખ્ય શક્તિઓ વચ્ચેની હરીફાઈ અને આંતરરાષ્ટ્રીય ધોરણોની ખતરનાક અવગણનાને કારણે વૈશ્વિક વ્યવસ્થા દબાણ હેઠળ છે. સશસ્ત્ર સંઘર્ષ અને આબોહવા કટોકટીની ઘાતક અસર થઈ રહી છે. સમાજ પણ વધુ ધ્રુવીકરણ થતા જઇ રહ્યા છે.

ગ્લોબલ ટ્રાન્સપરન્સી અનુસાર, આ પડકારોનો સામનો કરવા માટે, વિશ્વને સિદ્ધાંતવાદી નેતાઓ અને મજબૂત, સ્વતંત્ર સંસ્થાઓની જરૂર છે જે જાહેર હિતનું રક્ષણ કરવા માટે ઈમાનદારીથી કાર્ય કરે છે.

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.