ભારતમાં તેલની અછતનો ભય, મિત્ર રશિયાની એક મહત્ત્વપૂર્ણ ઓફર! પરંતુ સમસ્યા છે.....

US-ઇઝરાયલ સંઘર્ષને કારણે, ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર ખુબ મોટી અસર પડી છે. આનાથી ભારતની ઉર્જા જરૂરિયાતો અંગે તણાવ પણ વધ્યો છે. ભારત તેના ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનો નોંધપાત્ર હિસ્સો આ જ દરિયાઈ માર્ગ દ્વારા આરબ દેશોમાંથી આયાત કરે છે. જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે, તો દેશને ક્રૂડ ઓઇલ અને ગેસની અછતનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, શું ભારત ફરી એકવાર તેની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તેના જૂના મિત્ર રશિયા તરફ વળશે?

રશિયા પાસેથી તેલ ખરીદવું પણ સરળ નથી. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેનાથી કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો હતો. ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના કરારમાં, ભારતને ફક્ત રશિયા પાસેથી તેલ ન ખરીદવાની શરત પર દંડમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જો રશિયા પાસેથી તેલ ખરીદી વધારવામાં આવે છે, તો USની ખરાબ નજરનો ભોગ બનવાનું જોખમ છે.

Russia-Crude-Oil1
ndtv.in

ઉદ્યોગના સૂત્રોનો ઉલ્લેખ કરીને એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, રશિયા કટોકટીના સમયમાં ભારતને ક્રૂડ ઓઇલ સપ્લાય કરવા તૈયાર છે. જો ભારત સરકાર વિનંતી કરે છે, તો ભારતીય પાણીની નજીક જહાજોમાં આશરે 95 લાખ બેરલ રશિયન તેલ હોય છે, જે થોડા જ અઠવાડિયામાં આવી શકે છે.

જો કે સૂત્રોએ બિન-રશિયન કાફલાના આ કાર્ગો કઈ જગ્યાએ જતા હતા તેનો ખુલાસો કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે તે થોડા અઠવાડિયામાં ભારતમાં આવી શકે છે. તેનાથી ભારતીય રિફાઇનરીઓને તાત્કાલિક રાહત મળી શકે એમ છે. અહેવાલમાં જણાવાયું છે કે, રશિયા ભારતને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સપ્લાય કરવા પણ તૈયાર છે. તાજેતરના સંઘર્ષને કારણે ભારતના સૌથી મોટા LNG નિકાસકાર કતારએ ઉત્પાદન બંધ કરી દીધું છે.

Russia-Crude-Oil2
navbharattimes.indiatimes.com

મીડિયા સૂત્રએ અહેવાલ આપ્યો છે કે, ભારત તેલની અછતને ટાળવા માટે રશિયા પાસેથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે. આનાથી ભારતનો તેલ પુરવઠો સુનિશ્ચિત તો થઇ જશે, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે નવો રાજદ્વારી વિવાદ શરૂ થઈ શકે છે. તે જ વચગાળાનો સોદો અને દંડ ટેરિફ વિવાદ.

હોર્મુઝ સ્ટ્રેટએ ઈરાન અને ઓમાન વચ્ચેનો દરિયાઈ માર્ગ છે. તે પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત અને પછી અરબી સમુદ્ર સાથે જોડે છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો આશરે 40 ટકા આ દરિયાઈ માર્ગે આયાત કરે છે. સાઉદી અરેબિયા, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત અને કુવૈત જેવા પશ્ચિમ એશિયાઈ દેશો પણ આ માર્ગે ભારતમાં ક્રૂડ ઓઇલ મોકલે છે.

Russia-Crude-Oil3
theindiadaily.com

ભારત યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન પછી ક્રૂડ ઓઇલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ખરીદદાર છે. દેશની રિફાઇનરીઓ દરરોજ આશરે 56 લાખ બેરલ ક્રૂડ ઓઇલ રિફાઇન કરે છે. એક ઉદ્યોગ સૂત્રએ નામ ન આપવાની શરતે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, રશિયા ભારતની ક્રૂડ ઓઇલની 40 ટકા સુધીની જરૂરિયાતોને પુરી કરવા માટે મદદ કરવા તૈયાર છે.

ઉદ્યોગના ડેટા દર્શાવે છે કે, જાન્યુઆરી 2026માં ભારતની રશિયન ક્રૂડ ઓઇલની આયાત ઘટીને આશરે 11 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ, જે નવેમ્બર 2022 પછી સૌથી ઓછી છે. નવી દિલ્હીએ US ટેરિફમાંથી રાહત માંગી, જેના કારણે કુલ તેલ આયાતમાં મોસ્કોનો હિસ્સો 21.2 ટકા થઈ ગયો. ફેબ્રુઆરી 2026માં, આ હિસ્સો ફરી વધીને લગભગ 30 ટકા થઈ ગયો.

About The Author

Related Posts

Top News

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-03-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.