સમાજનું બંધારણ તોડવાના મામલે DJ વગાડનાર ગબ્બર અને અર્જૂન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કાઢી મુકાયા

થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે સામાજિક સુધારા માટે એક મોટું પગલું ભર્યું હતું. ઓગડધામ યોજાયેલા બંધારણ મહાસંમેલનમાં નવા સામાજિક બંધારણનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનોએ તેના અમલ માટે શપથ લીધા હતા. આ બંધારણમાં લગ્ન, સગાઈ, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને રોકવા માટે લગભગ 16 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. આ નિયમોનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દેવું કરીને ખોટા ખર્ચ કરતા અટકાવવાનો છે.

હાલમાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. જાણીતા લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોર પર આરોપ છે કે તેમણે DJ સાથે વરઘોડો કાઢી તેમણે સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આ મામલે ભારે ચર્ચા જાગી છે કે શું આ કલાકારોએ સમાજના નીતિ-નિયમોનું ઉલ્લંઘન કર્યું છે?

Gabbard & Arjun
sandesh.com

આજે જાબડીયા ગામે આ મામલે સમાજની બેઠક યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પહોંચ્યા હતા. બંધારણના ઉલ્લંઘન બાદ જાબડીયા ખાતેની બેઠકમાં ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર મુકાયા છે.  આ ઉપરાંત  લહેરાજી રતનજી ઠાકોરને પણ સમાજ બહાર કરાયા છે. ત્રણેય પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા છે. એક વર્ષ બાદ ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને પરત લેવાનો વિચાર કરશે. ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકી અને ગુણદોષને આધારે યોગ્ય દંડ પણ કરવામાં આવશે. સામાજિક આર્થિક અને ધંધાકીય કોઈપણ બાબતોનો સાથ સહકાર સમાજ આપશે નહીં, જો સાથ આપશે તો તે પણ દોષિત ગણાશે. ગબ્બર અને અર્જૂન ઠાકોરને સોશિયલ મીડિયામાંથી ઠાકોર સમાજમાંથી અનફોલો કરવા કહેવામાં આવ્યું છે.

સાંસદ ગેનીબેન ઠાકોરે વીડિયો કોલના માધ્યમથી બેઠકને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અર્જૂન અને ગબ્બર ઠાકોર સાથે કોઈ વ્યવહાર નહીં કરવામાં આવે અને સમાજના આગેવાનો જે કહે તે પ્રમાણે કરવાનું રહેશે. સમાજ સારું બંધારણ બનાવ્યું હતું. DJનો ઉપયોગ ન કરવાનું હતું. તમામ સમાજોય અનુકરણ કર્યું છે છતા નિયમો તોડ્યા છે. ગબ્બર અને અર્જૂનને સમાજ બહાર મૂકી અને બરાબર એક વર્ષ બાદ અભિપ્રાય બાદ વિચારણા કરવામાં આવશે.

Gabbard & Arjun
divyabhaskar.co.in

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરે આ વાતોને કલાકારોએ આ બાબતને સદંતર નકારી કાઢી છે. ગબ્બર ઠાકોરે  જણાવ્યું હતું કે, ‘અમે બંધારણનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. 42 ગોળ ઠાકોર સમાજના બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જાનમાં DJ લઈને જવું નહીં. અમે જાનમાં DJ લઈ ગયા નથી. બંધારણ મુજબ, DJ માત્ર ઘરે વગાડી શકાય છે, અને તેમણે તે જ નિયમનું પાલન કર્યું છે. આટલો વિરોધ જો દારૂ કે અન્ય બદીઓ સામે કરવામાં આવ્યો હોત, તો સમાજને મોટો ફાયદો થયો હોત. 150 મકાનો તૂટ્યા ત્યારે કોઈ ન બોલ્યું, અને અત્યારે DJના નામે વિવાદ કરવામાં આવી રહ્યો છે.’ તો અર્જૂન ઠાકોરે કહ્યું કે, તેઓ ક્યારેય સમાજની વિરુદ્ધ ન જઈ શકે. સમાજ અમારો મા-બાપ છે. આજે લાઈવ DJ અને પ્રોગ્રામો બધે જ ચાલુ છે, પરંતુ લોકોને માત્ર ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોર જ કેમ દેખાય છે?’

ગબ્બર અને અર્જૂન ઠાકોરના પરિવારો દ્વારા ઠાકોર સમાજના સામાજિક બંધારણનું ઉલ્લંઘનના મામલે સમાજના આગેવાન મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે બંધારણ તોડનારાઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે. સામાજિક કાયદા મુજબ લગ્ન પ્રસંગોમાં DJ રાખવા પર પ્રતિબંધ છે. તેમ છતા ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરે DJ વગાડીને આ નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઘટનાથી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મુકેશ ઠાકોરે સમાજની એકતા જાળવી રાખવા માટે દરેક વ્યક્તિને આ 16 નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી.

About The Author

Related Posts

Top News

ભારત-શ્રીલંકા સંબંધો મજબૂત થશે, પહેલી વખત ગુજરાતથી શ્રીલંકા મોકલાયા ભગવાન બુદ્ધના અવશેષો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 63 વર્ષમાં પહેલી વાર એમ.એસ. યુનિવર્સિટીમાંથી ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા અવશેષો કાઢીને શ્રીલંકા માટે રવાના કર્યા....
Gujarat 
ભારત-શ્રીલંકા સંબંધો મજબૂત થશે, પહેલી વખત ગુજરાતથી શ્રીલંકા મોકલાયા ભગવાન બુદ્ધના અવશેષો

ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને મૂળમાંથી કાપીને ચોરો લઇ ગયા

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમાની ચોરી થઈ છે. ચોરો પગમાંથી કાપીને આ પ્રતિમાને લઈ ગયા. પ્રતિમાનું વજન 426 કિલોગ્રામ...
World 
ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને મૂળમાંથી કાપીને ચોરો લઇ ગયા

સરેન્ડર કરે રાજપાલ યાદવ, હાઈ કોર્ટે આપ્યો કડક નિર્દેશ; જાણો શું છે મામલો

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે, કારણ કે દિલ્હી હાઈકોર્ટે મંગળવારે (...
Entertainment 
સરેન્ડર કરે રાજપાલ યાદવ, હાઈ કોર્ટે આપ્યો કડક નિર્દેશ; જાણો શું છે મામલો

સમાજનું બંધારણ તોડવાના મામલે DJ વગાડનાર ગબ્બર અને અર્જૂન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કાઢી મુકાયા

થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે સામાજિક સુધારા માટે એક મોટું પગલું ભર્યું હતું. ઓગડધામ યોજાયેલા બંધારણ મહાસંમેલનમાં નવા...
Gujarat 
સમાજનું બંધારણ તોડવાના મામલે DJ વગાડનાર ગબ્બર અને અર્જૂન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કાઢી મુકાયા

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.