પોરબંદરમાં જૂની કોર્ટમાં હજારો ચૂંટણી-આધાર કાર્ડ રઝળતા મળી આવ્યા, અધિકારી જણાવ્યું કારણ

પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગના હસ્તક આવેલી જૂની કોર્ટ બિલ્ડિંગમાંથી હજારોની સંખ્યામાં નાગરિકોના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બિનવારસી હાલતમાં મળી વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને આ સાથે જ તંત્રની ઘોર બેદરકારી છતી થઇ ગઇ છે.

મળતી માહિતી મુજબ, શહેરના મધ્યમાં આવેલી આ ઐતિહાસિક ઇમારતમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ ઉપરાંત અનેક મહત્ત્વની સરકારી ફાઈલો અને રેકર્ડ પણ વેરવિખેર પડેલા જોવા મળ્યા હતા. જે દસ્તાવેજોને સુરક્ષિત સ્થળે રાખવા જોઈએ, તે અહીં ધૂળ ખાઈ રહ્યા છે. આ સંવેદનશીલ દસ્તાવેજો ખુલ્લી હાલતમાં હોવાથી તેની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

porbandar-court1
divyabhaskar.co.in

મોટો પ્રશ્ન એ છે કે બિલ્ડિંગની અંદર ચૂંટણીકાર્ડ કોણે અને કયા હેતુસર નાખ્યા? શું આ માત્ર બેદરકારી છે કે પછી કોઈ ગંભીર ગેરરીતિનો ભાગ છે? આ મુદ્દે તંત્ર તરફથી હજી સુધી સ્પષ્ટ જવાબ મળ્યો નથી. જૂવર્ષોથી બિનઉપયોગી બનેલી આ ઇમારતમાં સંવેદનશીલ દસ્તાવેજો મળતા તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે.

જો આ કાર્ડ્સનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થશે તો તેની જવાબદારી કોની રહેશે તે મોટો પ્રશ્ન છે.આ ઘટના અંગે જવાબદાર વિભાગને આટલા મોટા જથ્થામાં પડેલા રેકર્ડની જાણ ન હોવા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વહીવટી તંત્ર તાત્કાલિક આ રેકર્ડને સુરક્ષિત સ્થળે ખસેડી, જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આ અંગે માહિતી મળતા મમામલતદાર બી. વી. સંચાણિયાએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ચૂંટણીકાર્ડ 1996-97ના છે. શરૂઆતમાં 2 નકલમાં બનાવવામાં આવતા હતા, એક નકલ મતદારને અને બીજી નકલ કચેરીમાં O/C તરીકે રાખવામાં આવતી હતી. કચેરીમાં એકત્ર થયેલી ચૂંટણીકાર્ડની નકલોનો ટૂંક સમયમાં નાશ કરવાનો હોય છે, પરંતુ જે-તે સમયે આ થયું નથી.

election-card3
divyabhaskar.co.in

હવે તમામ ચૂંટણીકાર્ડ એકત્ર કરીને અત્રેની કચેરીમાં રાખવામાં આવ્યાં છે અને મંજૂરી માંગી નાશ કરવામાં આવશે. આ સિવાય જૂની ફાઈલો અને જૂના 7/12ના કાગળોને એકત્ર કરી યોગ્ય જગ્યાએ રાખવામાં આવશે. જે જીર્ણ થઈ ગયેલો રેકર્ડ છે, જે બિનઉપયોગી છે તેને પણ મંજૂરી માંગી નાશ કરવામાં આવશે. આ કચેરી હાલ સ્ટેટ હસ્તક છે. જૂના ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ પેક કરીને અમારી હસ્તક લેવામાં આવ્યાં છે.

આ અંગે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરાએ પોરબંદરની જૂની કોર્ટના બિલ્ડિંગ જેવી ઐતિહાસિક વિરાસતોની દુર્દશા માટે સરકારી તંત્ર અને નેતાઓની નીતિઓને જવાબદાર ઠેરવી છે. રાજુ ઓડેદરાના જણાવ્યા મુજબ, રોડ અને બિલ્ડિંગ (R&B) વિભાગ અને સરકારી તંત્ર આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવામાં નિષ્ફળ રહ્યું છે.

election-card2
divyabhaskar.co.in

જો આ જૂની ઇમારતોનું પુરાતત્વીય દૃષ્ટિકોણથી નવીનીકરણ કરવામાં આવ્યું હોત, તો પોરબંદર વિશ્વ કક્ષાએ એક મોટું પ્રવાસન કેન્દ્ર બની શક્યું હોત. આ સ્થળો પર ગાંધીજીના વિચારો અથવા ટૂરિઝ્મને લગતા અભ્યાસક્રમો શરૂ કરવા જોઈએ, જેથી વિદેશી વિદ્યાર્થીઓ પણ પોરબંદર તરફ આકર્ષાય. જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હોત, તો સ્થાનિક સ્તરે કુશળ ગાઈડ્સ તૈયાર થયા હોત અને મોટા પાયે રોજગારીની તકો ઊભી થઈ હોત.

સ્થાનિકોના મતે, બિલ્ડિંગની જાળવણીના અભાવે અહીં અવારનવાર આવારા તત્વોનો જમાવડો રહે છે અને બારી-દરવાજા જેવી કિંમતી વસ્તુઓની ચોરી પણ થઈ છે. હવે જ્યારે નાગરિકોના વ્યક્તિગત અને મહત્ત્વના દસ્તાવેજો આ રીતે બિનવારસી મળ્યા છે, ત્યારે તેનો દુરુપયોગ થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, ચૂંટણીકાર્ડ નાખનારા જવાબદાર વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં, કે પછી આ ગંભીર મામલો પણ દબાવી દેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.