ગુજરાતે ગયા વર્ષે અદાણી પાસેથી 8160 કરોડની વીજળી ખરીદી, AAPના સવાલથી ખુલાસો

આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ વિધાનસભામાં એક સવાલ પુછ્યો હતો જેના જવાબમાં ખબર પડી કે ગુજરાક સરકારે ગયા વર્ષે અદાણી પાસેથી 8160 કરોડ રૂપિયાની વીજળી ખરીદી હતી.

અદાણી જૂથ સામે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર અદાણી ગ્રુપને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યો છે. દરમિયાન ગુજરાત વિધાનસભામાંથી એક મોટી માહિતી બહાર આવી છે. ગુજરાત સરકારનું કહેવું છે કે તેણે 2021 થી 2022 વચ્ચે અદાણી પાવર લિમિટેડ પાસેથી 8,160 કરોડ રૂપિયાની વીજળી ખરીદી હતી, જેના ટેરિફ દરો રૂ. 2.83 થી બદલીને રૂ. 8.83 પ્રતિ યુનિટ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે શનિવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી.

આમ આદમી પાર્ટીના જામ જોધપુરના ધારાસભ્ય હેમંત આહિર (ખવા)ના એક સવાલના જવાબમાં, રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારે 2021-22માં અદાણી પાવર પાસેથી રૂ. 8,160 કરોડમાં 11,596 મિલિયન યુનિટ વીજળી ખરીદી હતી. એટલું જ નહીં,  દર મહિને રૂ. 2.83 થી રૂ. 8.83 પ્રતિ યુનિટની રેન્જમાં ટેરિફમાં સુધારો કરવામાં આવ્યો હતો.

ગુજરાતના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2007માં અદાણી પાવર લિમિટેડ પાસેથી 25 વર્ષ માટે યુનિટ દીઠ રૂ. 2.89 અને રૂ. 2.35ના ટેરિફ દરે વીજ ખરીદવા માટે કરાર કર્યા હતા. આયાતી કોલસાની કિંમતમાં થયેલા વધારાને કારણે રાજ્ય સરકારે કંપની સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટના દરોમાં સુધારો કર્યો છે.

કનુ દેસાઈએ ગૃહને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ કોલસા આધારિત હોવાથી વીજ કંપની 2011 પછી ઈન્ડોનેશિયાથી મંગાવવામાં આવતા કોલસાની કિંમતમાં વધારો થવાને કારણે સંપૂર્ણ ક્ષમતાથી વીજ ઉત્પાદન કરી રહી નહોતી. રાજ્ય સરકારે આ મુદ્દે તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. બાદમાં સરકારે કમિટીની ભલામણોને કેટલાક સુધારા સાથે સ્વીકારી હતી અને વીજ ખરીદ દરમાં વધારાને મંજૂરી આપી હતી.

સમિતિની ભલામણોના આધારે, 5 ડિસેમ્બર, 2018 ના રોજ અદાણી પાવર સાથે પૂરક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા 12 એપ્રિલ, 2019 ના રોજના આદેશ દ્વારા આને મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય કોલસાના ભાવમાં વધારાને કારણે કરારમાં સુધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારનું કહેવું છે કે બધા ઉપલબ્ધ સ્ત્રોતોથી રાજ્યની વીજળીની માંગને પુરી કરવા માટે યોગ્યતા ક્રમને ધ્યાનમાં રાખીને  મુંદ્રામાં આવેલા અદાણી પાવર પાસેથી વીજળી ખરીદવામાં આવી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.