આસારામને લઈને ગુજરાત હાઈકોર્ટે સંભળાવ્યો મોટો નિર્ણય

ગુજરાત હાઈ કોર્ટે શુક્રવાર (27 જૂન) 2013ના રોજ બળાત્કાર કેસમાં આસારામને મોટી રાહત આપી હતી. તેના અસ્થાયી જામીનને 7 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યા છે. આ કેસમાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. જસ્ટિસ ઈલેશ વોરા અને સંદીપ ભટ્ટની ખંડ પીઠે અરજીની સુનાવણી દરમિયાન આસારામના અસ્થાયી જામીન 3 મહિના વધારી દેવામાં આવ્યા હતા, જે અગાઉ 28 માર્ચના રોજ આપવામાં આવ્યા હતા. તેની અવધિ 30 જૂને સમાપ્ત થઈ રહી છે.

આસારામ (86)ને સ્વાસ્થ્યના આધારે પર જામીન આપવામાં આવ્યા છે. જામીનની અવધિ એટલે વધારવામાં આવી છે કે જેથી તેના વકીલ અરજીમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકે. કેસની આગામી સુનાવણી 2 જુલાઈના રોજ થશે. આસારામના વકીલે દસ્તાવેજો જમા કરવા માટે થોડા દિવસનો સમય માગતા દાવો કર્યો હતો કે, કોર્ટે 28 માર્ચે અસ્થાયી જામીન આપ્યા બાદ, જોધપુર હાઈ કોર્ટમાંથી આદેશ મેળવવાની પ્રક્રિયાને કારણે 10 દિવસ બરબાદ થઈ ગયા હતા અને આસારામને 7 એપ્રિલે મુક્ત કરવામાં આવ્યો હતો. એટલે હું 2 દિવસનો સમય આપવાનો અનુરોધ કરું છું, જેથી જો સોમવારે આ કેસની સુનાવણી થાય છે, તો હું દસ્તાવેજ રેકોર્ડ પર રાખી શકું અને તેઓ (પ્રતિવાદીઓ) પણ તેની ચકાસણી કરી શકે.

Asaram1

કોર્ટે શું કહ્યું?

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, વર્તમાન કેસના વિશિષ્ટ તથ્યો, ખાસ કરીને નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) પાસેથી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખતા, અમે અસ્થાયી જામીન 7 જુલાઈ સુધી વધારી રહ્યા છીએ. હાઇકોર્ટે 28 માર્ચના રોજ આસારામને 3 મહિના માટે અસ્થાયી જામીન આપ્યા હતા કેમ કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેને આપવામાં આવેલા વચગાળાના જામીન 31 માર્ચના રોજ સમાપ્ત થઈ રહ્યા હતા.

Asaram

હાઇકોર્ટની એક ખંડપીઠે વિભાજિત નિર્ણય સંભળાવ્યો હતો, ત્યારબાદ આ મામલો ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો, જેમણે આસારામને 3 મહિનાના અસ્થાયી જામીન આપવાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. ગાંધીનગરની એક કોર્ટે જાન્યુઆરી 2023માં બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. આસારામ વર્ષ 2013માં રાજસ્થાનમાં પોતાના આશ્રમમાં એક સગીર છોકરીના જાતીય શોષણના બીજા કેસમાં પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. વર્તમાન કેસમાં તેને સુરતની એક મહિલા અનુયાયી સાથે વર્ષ 2001 થી વર્ષ 2006 દરમિયાન વારંવાર બળાત્કાર કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.