- Gujarat
- 12000ના પગારે નોકરી કરતા ઈડરના યુવક પાસે ITએ 115 કરોડ રૂપિયાનો હિસાબ માગ્યો
12000ના પગારે નોકરી કરતા ઈડરના યુવક પાસે ITએ 115 કરોડ રૂપિયાનો હિસાબ માગ્યો

થોડા દિવસ અગાઉ અમદાવાદમાં 12000 રૂપિયાના પગારે નોકરી કરનાર ઈડરના રતનપુર ગામના યુવકને આવકવેરા વિભાગે નોટિસ ફટકારીને તેના નામે થયેલા 36 કરોડનો હિસાબ રજૂ કરવા જણાવ્યું હતું. હવે આવું જ કંઇક ગીર સોમનાથના કોડિનારમાં રહેતા એક યુવક સાથે પણ થયું છે.
આસિફભાઈ મહમ્મદભાઈ શેખ નામનો યુવક ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રહે છે અને એક રેસ્ટોરાંમાં કામ કરે છે. રેસ્ટોરાંમાં કામ કરવા બદલ તેને મહિને 10,000 રૂપિયાનો પગાર મેળે છે, પરંતુ હવે તેને આવકવેરા વિભાગે 3 નોટિસ આપીને તેના નામે થયેલા 115 રૂપિયા કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા કહ્યું છે. 10,000 રૂપિયા મહિને કમાતા આ શખ્સને આટલા બધા કરોડનો ખુલાસો કરવા કહેતા તેના હાથ-પગ ફૂલી ગયા છે.

આસિફે કહ્યું કે, તે પોતે અશિક્ષિત છે અને તેણે ક્યારેય 2 લાખ રૂપિયા પણ જોયા નથી. જ્યારે નોટિસ મળી ત્યારે તેના બેન્ક એકાઉન્ટમાં માત્ર 475 રૂપિયા હતા. આસિફે આ મામલે કોડિનાર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ મામલે નોટિસ આપવામાં આવકવેરા વિભાગની કોઇ ભૂલ થઇ છે કે પછી કોઈ મોટી છેતરપિંડીનું કૌભાંડ છે, તેને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. આ સમગ્ર મામલે એક અખબાર દ્વારા વિભાગના અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે બિનસત્તાવાર નિવેદન આપતા કહ્યું હતું કે આ યુવકના પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના નામે કોઈએ નાણાકીય વ્યવહારો કરાયા હોઈ શકે છે અને તેની સાથે ફ્રોડ થયું હોઈ શકે છે. બીજી તરફ આ મામલે એક મહત્ત્વપૂર્ણ વાત એ પણ સામે આવી છે કે આસિફ મહમ્મદ શેખના પાન કાર્ડ નંબર પર થયેલા આર્થિક વ્યવહારને આધારે વેરાવળ ઇનકમટેક્સ વિભાગે આ નોટિસ ફટકારી છે.
થોડા દિવસ અગાઉ જ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામે ઇન્દિરા આવાસ યોજનાથી બનેલા ઘરમાં રહેતા પરિવારને IT વિભાગે 36 કરોડનો હિસાબ આપવાની નોટીસ ફટકારી હતી, જેને કારણે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. યુવકે નોટીસ જ આવતા ગામના વડીલોને બતાવ્યા બાદ પોલીસ સ્ટેશન, સાયબર પોલીસ સ્ટેશન અને IT વિભાગમાં પણ ગયો, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું. આ યુવક મહિને 12,000 રૂપિયાના પગાર પર નોકરી કરે છે.

આવા છેતરપિંડીના ઘણી ઘટના સામે આવી રહી છે તો તમારે પણ પાનકાર્ડનો ઉપયોગ સંભાળીને કરવો જોઇએ અને બિનજરૂરી અને અજાણ્યા ઇસમો સાથે પાન કાર્ડ કે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો શેર કરતા બચો કેમ કે આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. તો લોકોએ પોતાના પાન કાર્ડની પણ ગુપ્તતા જાળવવી જોઈએ.
Top News
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી
Opinion
