- Gujarat
- ગુજરાતમાં શું છે તણાવની સ્થિતિ CM પટેલે આપી તમામ માહિતી
ગુજરાતમાં શું છે તણાવની સ્થિતિ CM પટેલે આપી તમામ માહિતી

CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મારી ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કહ્યુ વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.

CMએ કહ્યું- ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી. ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે, તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી.
ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, પ્રવર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના દિશાનિર્દેશો આપ્યા. હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સંવેદશીલ વિસ્તારો અને સુરક્ષિત સ્થાનોની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી.

પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પૂરતા સંગ્રહ, આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગની વ્યવસ્થાઓ તેમજ હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા કોમ્યુનિકેશનના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરવા અંગેના જરૂરી સૂચન કર્યા. લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિના પ્રયાસો માટેની સૂચના પણ આપી.
આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ સતર્કતાપૂર્વક કામગીરી કરી રહી છે, ત્યારે તેમને દરેક પ્રકારની મદદ ત્વરાએ આપવા રાજ્ય સરકાર ખડે પગે છે.
Related Posts
Top News
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે
Opinion
