કોંગ્રેસના ધારાસભ્યની માગ-જૂનાગઢમાં યુવકોને મારનાર પોલીસકર્મીઓ પર થાય કાર્યવાહી

જૂનાગઢમાં 16 જૂનની રાત્રે ભડકેલી હિસાની ઘટના વેગ પકડતી નજરે પડી રહી છે. પોલીસે આ ઘટનામાં જ્યાં 31 લોકો વિરુદ્ધ નામિત FIR નોંધી છે તો બીજી તરફ હવે દરગાહ બાદ યુવકોને મારનારા પોલીસકર્મીઓ પર કાર્યવાહીની માગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર દરગાહ બહાર યુવકોને મારવાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ માગ કરી છે. આ ઘટના પર ઓલ ઇન્ડિયન મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસી પહેલાથી જ પ્રહાર કરી રહ્યા છે.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમારા પર જ અત્યાચાર થશે, અમે લોકો જ જાલિમ કહેવાઈશું. જૂનાગઢના મજેવાડી ગેટ પાસે સ્થિત એક દરગાહને નોટિસ આપ્યા બાદ ઉપજેલા વિવાદમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અમદાવાદના જમાલપુર ખાડિયા સીટથી ધારાસભ્યના ઈમરાન ખેડાવાલાએ માગ કરી છે કે આ ઘટનામાં ખુલ્લેઆમ યુવકોને મારનારા પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી. ઈમરાન ખેડવાલાએ હુમલો કરનાર લોકો વિરુદ્ધ સખત કાર્યવાહીની માગ કરી છે.

ઈમરાન ખેડાવાલાએ પોલીસને નિષ્પક્ષ કામ કરવા અને લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. આ ઘટનામાં એક વટેમાર્ગુનું મોત પણ થઈ ગયું હતું. જૂનાગઢમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બાદ એક વીડિયો સામે આવ્યો હતો કે જેમાં 2 લોકો મોઢા પર રૂમાલ બાંધીને દરગાહ બહાર ઊભા કરીને કેટલાક યુવકોને નિર્દયી માર મારવામાં આવી રહ્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મારનારા પોલીસકર્મી છે, જો કે, પોલીસે આ વીડિયોને લઈને કોઈ નિવેદન આપ્યું નથી.

આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ગયા વર્ષે નવરાત્રી દરમિયાન ખેડામાં આ પ્રકારે સ્થાનિક પોલીસે યુવકોને મારવામાં આવી હતી. ત્યારે આખો મામલો હાઇ કોર્ટ પહોંચ્યો હતો. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ હુમલો કરનાર લોકો સામે સખત પગલા લેવામાં આવે તેવી પણ માગ કરી હતી. પોલીસને ન્યાયપૂર્ણ કામગિરી કરવા અને પ્રજાને શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસે 302, 307, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા સહિત રાયોટિંગ અને પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની IPCની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 500થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. ટોળાએ કરેલી મારામારીમાં ઈજાગ્રસ્ત PSI ફરિયાદી બન્યા છે અને મારામારી તેમજ તોડફોડ કરનારા તમામ લોકો સામે મજેવડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ટોળાએ કરેલા બેફામ પથ્થરમારામાં એક રાહદારીને પથ્થર વાગવાથી તેનું મોત થયુ છે. પોલીસે 170થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા છે. હાલ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે, દરગાહના ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ બાદ થયેલી હિંસા અંગે કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે. પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસરે જણાવ્યુ છે કે નોટિસ માત્ર આધાર પુરાવા માટે જ આપી હતી. કુલ 8 ધાર્મિક જગ્યાને નોટિસ અપાઈ હતી. પાલિકાની જગ્યા પર ગેરકાયદે દબાણ અંગે આધાર પુરાવા રજૂ કરવા નોટિસ અપાઈ હતી. દબાણ હટાવવાનો કોઈ નિર્ણય હજુ લેવાયો નથી. સાથે જ જણાવ્યુ છે કે જે નડતરરૂપ મંદિરો અને દરગાહો છે તેને જ નોટિસ અપાઈ છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.