પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી, અને આખા રાજ્યની નજરો પરિણામો પર મંડાઈ ગઈ હતી. આ ચૂંટણીઓને ગ્રામીણ રાજકારણના ભવિષ્ય અને પાયાના સ્તરે રાજકીય શક્તિનો પુરાવો માનવામાં આવે છે. રાજ્યમાં 2,682 બ્લોક સમિતિ અને 342 જિલ્લા પરિષદ બેઠકો માટે મતદાન યોજાયું હતું. બ્લોક સમિતિ બેઠકો માટે 8,314 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે જિલ્લા પરિષદ બેઠકો માટે 1,265 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. આ રીતે બંને સ્તરે કુલ 9,579 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આમાંથી, 196 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા અને તેમને મતદાન પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું ન હતું.

પંજાબમાં શાસક પક્ષને ભટિંડામાં મોટો ઝટકો લાગ્યો છે. કુલ 15 બ્લોક સમિતિ બેઠકોમાંથી, શિરોમણી અકાલી દળ (SAD)13 બેઠકો પર જંગી જીત મેળવી. AAPએ માત્ર બે બેઠકો મેળવી. પરંપરાગત અકાલી દળનો ગઢ ગણાતા ભટિંડામાં શિરોમણી અકાલી દળના કાર્યકરોમાં જોશ ફરી જાગ્યો છે.

Punjab Local Body Election
tv9hindi.com

પંજાબ ચૂંટણી પરિણામો: AAP-481, શિરોમણી અકાલી દળ-100, કોંગ્રેસ-97, BJP-4, અન્ય-51

પૂર્વ CM ચરણજીત સિંહ ચન્નીએ આમ આદમી પાર્ટી (AAP) પર મત ગણતરીમાં છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ચમકૌર સાહિબ વિધાનસભા મતવિસ્તારમાં ચાર રાઉન્ડની મતગણતરી પછી, કોંગ્રેસ પાર્ટી વધુ સારું પ્રદર્શન કરી રહી હતી, પરંતુ ગણતરી બંધ કરી દેવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, પંજાબ સરકાર પ્રક્રિયામાં છેડછાડ કરવાનો અને અધિકારીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

શિરોમણી અકાલી દળે માલૌટ વિધાનસભા મતવિસ્તારમાં મજબૂત લીડ સ્થાપિત કરી છે, જ્યાં અકાલી દળ 12 બેઠકો પર આગળ છે. જ્યારે, આમ આદમી પાર્ટી બે બેઠકો પર આગળ છે.

Punjab Local Body Election
amarujala.com

પંજાબ વિધાનસભાના અધ્યક્ષ કુલતાર સિંહના પૈતૃક ગામ સંધવાનમાં અકાલી દળના ઉમેદવારે જંગી જીત નોંધાવી છે. આ બેઠક પર અકાલી દળ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. અકાલી દળના ઉમેદવારે AAPને 171 મતોથી હરાવ્યું હતું. આ બેઠક પર આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ઝટકો છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારે સતૌજથી ધરમગઢ બ્લોક સમિતિની બેઠક જીતી છે. AAPના હરવિંદરપાલ ઋષિએ આ બેઠક જીતી છે. સતૌજ CM ભગવંત માનનું પૈતૃક ગામ છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.