ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓએ મોટો ફટકો, લોકો કનેક્શન કપાવી રહ્યા છે

ગુજરાતમાં બે મોબાઇલ કનેક્શન રાખવાની જગ્યાએ લોકો હવે બીજું કનેક્શન સરંડર કરી રહ્યાં છે પરિણામે એક વર્ષમાં 30 લાખથી વધુ કનેક્શન ઘટી ગયા છે. જો કે ગુજરાતની વસતીની સરખામણીએ મોબાઇલ કનેક્શનની સંખ્યા જુલાઇ 2021માં 7.03 કરોડ હતી જે ઘટીને 6.70 કરોડ થઇ છે.

બીએસએનલના લેન્ડલાઇન ટેલીફોન સરંડર કરી દેવામાં આવ્યા છે અને રાજ્યમાં મોબાઇલ કનેક્શનની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે. જીયો આવવાથી લોકોએ બે કનેક્શન લીધા હતા પરંતુ હવે ધીમે ધીમે લોકો બીજું કનેક્શન બંધ કરાવી રહ્યાં છે. અત્યારે સૌથી વધુ સ્પીડ જીયો પર મળી રહી છે તેથી લોકો તેને પોર્ટ કરાવી રહ્યાં છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા બહાર પાડેલા નવીનતમ ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન્સ રિપોર્ટ દર્શાવે છે કે, જુલાઈ 2021 માં 7.03 કરોડની સરખામણીમાં માર્ચ 2022 માં ગુજરાતમાં (Gujarat) ગ્રાહકોની સંખ્યા ઘટીને લગભગ 6.70 કરોડ થઈ ગઈ છે.

ટેલિકોમ ઉદ્યોગના સૂત્ર મુજબ, જુલાઈ પછી, લોકો ધીમે ધીમે ઓફિસોમાં પાછા ફર્યા, વધારાના કનેક્શન્સની જરૂરિયાત ઘટી ગઈ. પરિણામે, તેમાંથી ઘણાએ વધારાના કનેક્શન્સ રિચાર્જ કરવાનું બંધ કર્યું, અને કનેક્શન્સ સાથે પછીના મહિનાઓ દરમિયાન તેની સતત અસર જોવા મળી છે.

ડિસેમ્બરથી ટેલિકોમ ટેરિફમાં પણ 20% નો વધારો થયો છે, જેથી ઘણા લોકોએ વધારાના કનેક્શન્સ દૂર કર્યા છે, જ્યારે અન્ય લોકોએ સસ્તા વિકલ્પોની પસંદગી કરીને કંપની બદલી હતી. ટેરિફ વધવાથી અને ટેલિકોમ ઓપરેટરો આંતરિક મંથન તરફ આગળ વધી રહ્યા છે, સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરની સરખામણીમાં ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં ટેલિકોમ કંપનીઓની વપરાશકર્તા દીઠ સરેરાશ આવક 5.6 % વધી છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 26-05-2026 વાર- મંગળવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.