નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આખરે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે લાંબી પૂછપરછ બાદ લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.

બે કલાકની સઘન પૂછપરછ બાદ કાર્યવાહી

આજે બપોરે જયરાજ આહીરને ફરી એકવાર રેન્જ આઈજી કચેરી ખાતે નિવેદન નોંધાવવા તેડું મોકલવામાં આવ્યું હતું. SIT દ્વારા સતત બે કલાક સુધી કરવામાં આવેલી કડક પૂછપરછ અને ટેકનિકલ પુરાવાઓના આધારે તેની સંડોવણી સ્પષ્ટ જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડને પગલે આઈજી કચેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવાયો હતો.

04

કયા પુરાવાઓએ વધારી મુશ્કેલી?

SITની તપાસમાં જયરાજ વિરુદ્ધ અનેક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે:

  • ડિજિટલ પુરાવા: આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો અને ઘટના સમયના લોકેશનની વિગતો.
  • ભોગ બનનારનો દાવો: નવનીત બાલધિયાએ SITને 15 જેટલા પુરાવા સોંપ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો હુમલા સમયે કોની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા તેની તપાસ થવી જોઈએ.
  • નિવેદનોમાં વિરોધાભાસ: અગાઉની સાડા ત્રણ કલાકની પૂછપરછ અને આજના નિવેદનોની કડીઓ જોડતા જયરાજ આહીર મુખ્ય સૂત્રધાર હોવાના પૂરતા પુરાવા મળ્યા છે.

શું છે મામલો?

આ વિવાદની શરૂઆત બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નામ અંગે થઈ હતી.

  1. વીડિયો વિવાદ: મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે ટ્રસ્ટી તરીકે એક નામનો ઉલ્લેખ કર્યો હતો, જે બાબતે નવનીતે સ્પષ્ટતા કરતા માયાભાઈએ માફી માંગતો વીડિયો મોકલ્યો હતો.
  2. ષડયંત્રનો આક્ષેપ: નવનીતનો દાવો છે કે પિતાએ માફી માંગવી પડી તે બાબત જયરાજને ગમી ન હતી, જેના કારણે બદલો લેવા માટે 29 ડિસેમ્બર, 2025ની રાત્રે 8 શખ્સો દ્વારા નવનીત પર હુમલો કરાવવામાં આવ્યો હતો.

નવનીત બાલધિયાએ કહ્યું હતું કેજો અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સમાજનું સંમેલન બોલાવવામાં આવશે. આ મામલો એટલો ચગ્યો હતો કે કોળી સમાજના નેતાઓ CM સુધી પહોંચી ગયા હતા અને ત્યાર બાદ આ કેસની તપાસ SITને સોપવામાં આવી હતી.

02

આ કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ હાઈપ્રોફાઈલ કેસમાં જયરાજ આહીરની ધરપકડ બાદ હવે આ હુમલામાં અન્ય કયા મોટા માથાઓની સંડોવણી ખુલે છે તેના પર સૌની નજર ટકેલી છે.

 

About The Author

Related Posts

Top News

કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી વિજ્ઞાન અને સામાન્ય જનતા બંનેને ચોંકાવી દીધા...
National 
કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

પશ્ચિમ બંગાળ અને આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની નિમણૂંકને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ...
National 
બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

(ઉત્કર્ષ પટેલ)આજના વૈશ્વિકયુગમાં કોઈ પણ દેશની સમૃદ્ધિ તેની કંપનીઓની વૈશ્વિક હાજરી પર આધારિત છે. સરકાર દ્વારા પોતાની કંપનીઓને વિદેશમાં...
Opinion 
સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ

ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના શીર્ષકને લઈને થયેલા વિવાદ બાદ, 'પંડિત' શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો...
National 
 ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષામાં 'પંડિત' શબ્દને લઇને બબાલ; નાયબ મુખ્યમંત્રી નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.