નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ

બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આખરે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે લાંબી પૂછપરછ બાદ લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.

બે કલાકની સઘન પૂછપરછ બાદ કાર્યવાહી

આજે બપોરે જયરાજ આહીરને ફરી એકવાર રેન્જ આઈજી કચેરી ખાતે નિવેદન નોંધાવવા તેડું મોકલવામાં આવ્યું હતું. SIT દ્વારા સતત બે કલાક સુધી કરવામાં આવેલી કડક પૂછપરછ અને ટેકનિકલ પુરાવાઓના આધારે તેની સંડોવણી સ્પષ્ટ જણાતા આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડને પગલે આઈજી કચેરી ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવાયો હતો.

04

કયા પુરાવાઓએ વધારી મુશ્કેલી?

SITની તપાસમાં જયરાજ વિરુદ્ધ અનેક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે:

  • ડિજિટલ પુરાવા: આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો અને ઘટના સમયના લોકેશનની વિગતો.
  • ભોગ બનનારનો દાવો: નવનીત બાલધિયાએ SITને 15 જેટલા પુરાવા સોંપ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરો હુમલા સમયે કોની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા તેની તપાસ થવી જોઈએ.
  • નિવેદનોમાં વિરોધાભાસ: અગાઉની સાડા ત્રણ કલાકની પૂછપરછ અને આજના નિવેદનોની કડીઓ જોડતા જયરાજ આહીર મુખ્ય સૂત્રધાર હોવાના પૂરતા પુરાવા મળ્યા છે.

શું છે મામલો?

આ વિવાદની શરૂઆત બગદાણા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીના નામ અંગે થઈ હતી.

  1. વીડિયો વિવાદ: મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે ટ્રસ્ટી તરીકે એક નામનો ઉલ્લેખ કર્યો હતો, જે બાબતે નવનીતે સ્પષ્ટતા કરતા માયાભાઈએ માફી માંગતો વીડિયો મોકલ્યો હતો.
  2. ષડયંત્રનો આક્ષેપ: નવનીતનો દાવો છે કે પિતાએ માફી માંગવી પડી તે બાબત જયરાજને ગમી ન હતી, જેના કારણે બદલો લેવા માટે 29 ડિસેમ્બર, 2025ની રાત્રે 8 શખ્સો દ્વારા નવનીત પર હુમલો કરાવવામાં આવ્યો હતો.

નવનીત બાલધિયાએ કહ્યું હતું કેજો અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સમાજનું સંમેલન બોલાવવામાં આવશે. આ મામલો એટલો ચગ્યો હતો કે કોળી સમાજના નેતાઓ CM સુધી પહોંચી ગયા હતા અને ત્યાર બાદ આ કેસની તપાસ SITને સોપવામાં આવી હતી.

02

આ કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ હાઈપ્રોફાઈલ કેસમાં જયરાજ આહીરની ધરપકડ બાદ હવે આ હુમલામાં અન્ય કયા મોટા માથાઓની સંડોવણી ખુલે છે તેના પર સૌની નજર ટકેલી છે.

 

About The Author

Top News

90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, ...
Business 
90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે...
National 
બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.