નડિયાદમાં સિંચાઇ વિભાગના કોન્ટ્રાક્ટરે નવા જ રોડની પથારી ફેરવી નાખી, લોકોમાં રોષ

નડિયાદ તાલુકામાં ચલાલી ગામ નામનું ગામ આવેલું છે. અહીં સિંચાઈ વિભાગના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. નહેરના કામ માટે લાવવામાં આવેલ હિટાચી મશીન સીધું નવા બનેલા રસ્તા પર ચલાવવામાં આવતા રોડ ખોદાઇ ગયો ક્ષતિગ્રસ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

road
vtvgujarati.com

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, શક્તિનગરને જોડતા નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જેના પર ભારે હિટાચી મશીન ચલાવવામાં આવ્યું હતું. મશીનના ભારે વજનના કારણે રોડ ઘણી જગ્યાએ ખોદાઇ ગયો હતો અને રોડ પર ખાડા પડી ગયા હતા. સ્થાનિકોમાં આ ઘટનાને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભારે હિટાચી મશીન રસ્તા પર ચાલતા રોડની હાલત ખરાબ થઇ રહી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે નુકસાન પામેલા રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

road1
vtvgujarati.com

સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રજાના ટેક્સના પૈસે બનાવવામાં આવેલા રસ્તાને લઇને આવી બેદરકારીપૂર્વક ન રાખવી જોઇએ. ઘટનાને લઈને સામાજિક અગ્રણી મહેન્દ્ર તળપદાએ કોન્ટ્રાક્ટરની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.