ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ નિર્ણય સાથે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે વકફ સંસ્થાઓ પણ અન્ય ધાર્મિક કે ખાનગી સંસ્થાઓની જેમ કોર્ટ ફી ચૂકવ્યા વગર ટ્રિબ્યુનલમાં ન્યાય મેળવી શકશે નહીં.

  • સમાનતાનો સિદ્ધાંત: સરકારી વકીલ જી.એચ. વિર્કે દલીલ કરી હતી કે જો હિન્દુ મંદિર ટ્રસ્ટો, ચેરિટેબલ સંસ્થાઓ અને સહકારી મંડળીઓને કોર્ટ ફી ભરવી પડતી હોય, તો વકફ સંસ્થાઓને કોઈ ખાસ છૂટછાટ આપી શકાય નહીં.
  • મોટા ટ્રસ્ટોને આંચકો: વડોદરાનું સુન્ની મુસ્લિમ ઇદગાહ મસ્જિદ ટ્રસ્ટ અને અમદાવાદની સરખેજ રોજા કમિટી જેવી મોટી સંસ્થાઓની અરજીઓ પણ કોર્ટે ફગાવી દીધી છે.
  • કાયદાકીય પ્રક્રિયા: હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વાદી કાયદાકીય પ્રક્રિયાથી ઉપર નથી. હવે વકફ મિલકતોના ભાડા વિવાદ કે કબજા સંબંધિત કેસો માટે નિયત ફી ભરવી અનિવાર્ય રહેશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, દેશના ઇતિહાસમાં આ સૌ પ્રથમ અને ઐતિહાસિક ચુકાદો છે. તમામ ધર્મો અને નાગરિકો માટે એકસરખો હક હોવો જોઈએ. અગાઉની સરકારોએ વોટબેંકની રાજનીતિ માટે વકફ પ્રોપર્ટીને છૂટ આપી હતી, પરંતુ હવે સમાનતા પ્રસ્થાપિત થઈ છે.

01

કેમ મહત્વનો છે આ નિર્ણય?

  1. દાયકાઓ જૂની માન્યતાનો અંત: અત્યાર સુધી વકફ સંચાલકો એવું માનતા હતા કે જૂના કાયદા મુજબ તેમને ફીમાંથી મુક્તિ છે, જે હવે રદબાતલ ઠરી છે.
  2. પારદર્શિતા: રાષ્ટ્રીય સ્તરે જ્યારે વકફ (સંશોધન) અધિનિયમ, 2025 અંગે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ ચુકાદો વહીવટી પારદર્શિતા માટે મહત્વનો માનવામાં આવે છે.
  3. ન્યાયિક સમાનતા: આ આદેશથી કાનૂની પ્રક્રિયામાં લાંબા સમયથી ચાલી આવતી અસંગતતા દૂર થઈ છે.

હવેથી ગુજરાતના તમામ વકફ ટ્રિબ્યુનલ કેસોમાં અરજદારોએ જે-તે મિલકતની કિંમત કે વિવાદ મુજબ કોર્ટ ફીના સ્ટેમ્પ લગાવવા પડશે, નહીંતર તેમની અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-03-2026    વાર - બુધવાર    મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ ઈંડા ઉત્પાદકોએ આગામી 1 એપ્રિલથી દરેક ઈંડા...
National 
દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ધર્મ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ 2026...
National 
BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ભૈરુપુરામાં ગ્રામજનોને અનોખા અંદાજથી દારૂથી...
Politics 
‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.