ગીતા રબારીનું ‘શ્રી રામ ઘર આયે’ ગીત સાંભળ્યું કે નહીં, 7 દિવસમાં દોઢ મિલિયન વ્યૂ

‘મેરે રામ પ્રભુજી ઘર આયે’ ગુજરાતની કોકિલ કંઠી ગાયિકા તરીકે જાણીતી સિંગર ગીતા રબારીએ ગાયેલા આ ભજનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર લખ્યું કે ગીતાબેન રબારીનં આ ભજન ભાવવિભોર કરી દે તેવું છે.

આખો દેશ અત્યારે રામ મય બની ગયો છે, કારણકે જે ઘટનાની લોકો વર્ષો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા તે ઘડી હવે નજીક આવી રહી છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આખો દેશ ઉત્સાહમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 22 જાન્યુઆરીને દિવાળીની જેમ ઉજવવા માટે લોકોને કહ્યું છે.

અયોધ્યામા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પહેલા ગીતાબેન રબારીના ભજન અંગે PM મોદીએ ટ્વીટ કર્યું છે. PMએ ટાંક્યુ છે કે, અયોધ્યામાં પ્રભૂ શ્રીરામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમની રાહ હવે પૂર્ણ થવા જઈ રહી છે. દેશભરમાં મારા પરિવારજનોમાં પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. તેમના સ્વાગતમા ગીતાબેન રબારીનુ આ ભજન ભાવ વિભોર થઈ જવાય એવું છે.

ગીતા રબારી ગુજરાતની સિંગર છે અને ગરબા, ભજનો અને ગુજરાતીમાં દેશ-દુનિયામાં ધૂમ મચાવે છે.જ્યારે PM મોદીએ ટ્વીટ કર્યુ તો ગીતા રબારીએ ખુશી વ્યકત કરતા કહ્યુ હતું કે, PMના ટ્વીટ દ્રારા મારું ગીત દેશના લાખો લોકો સુધી પહોંચ્યું એના માટે હું તેમનો આભાર માનું છું. ગીતા રબારીએ કહ્યું કે આ ગીત સુનિતા જોશીએ વર્ષો પહેલા લખેલું છે.

ગીતા રબારીએ કહ્યુ હતુ કે મારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે મને કહ્યુ હતું કે તમારા જેવી બહેનો દેશની દીકરીઓ માટે પ્રેરણા સમાન છે.

સિંગરે પોતાના એક અનુભવની પણ વાત કરી હતી. કે હું શાળાના એક કાર્યક્રમમાં મેં એક ગીત ગાયું હતું અને તે PM મોદીને પસંદ આવ્યુ હતું. તેમણે મને 250 રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું.

સિંગર ગીતા રબારી પહેલા PM નરેન્દ્ર મોદીએ જુબિન નૌટિયાલ, સ્વસ્તિ મેહુલ અને હંસરાજ રઘુવંશીના રામ ભજન પણ શેર કર્યા હતા.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવવાનો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.