ગીતા રબારીનું ‘શ્રી રામ ઘર આયે’ ગીત સાંભળ્યું કે નહીં, 7 દિવસમાં દોઢ મિલિયન વ્યૂ

‘મેરે રામ પ્રભુજી ઘર આયે’ ગુજરાતની કોકિલ કંઠી ગાયિકા તરીકે જાણીતી સિંગર ગીતા રબારીએ ગાયેલા આ ભજનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર લખ્યું કે ગીતાબેન રબારીનં આ ભજન ભાવવિભોર કરી દે તેવું છે.

આખો દેશ અત્યારે રામ મય બની ગયો છે, કારણકે જે ઘટનાની લોકો વર્ષો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા તે ઘડી હવે નજીક આવી રહી છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આખો દેશ ઉત્સાહમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 22 જાન્યુઆરીને દિવાળીની જેમ ઉજવવા માટે લોકોને કહ્યું છે.

અયોધ્યામા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પહેલા ગીતાબેન રબારીના ભજન અંગે PM મોદીએ ટ્વીટ કર્યું છે. PMએ ટાંક્યુ છે કે, અયોધ્યામાં પ્રભૂ શ્રીરામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમની રાહ હવે પૂર્ણ થવા જઈ રહી છે. દેશભરમાં મારા પરિવારજનોમાં પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. તેમના સ્વાગતમા ગીતાબેન રબારીનુ આ ભજન ભાવ વિભોર થઈ જવાય એવું છે.

ગીતા રબારી ગુજરાતની સિંગર છે અને ગરબા, ભજનો અને ગુજરાતીમાં દેશ-દુનિયામાં ધૂમ મચાવે છે.જ્યારે PM મોદીએ ટ્વીટ કર્યુ તો ગીતા રબારીએ ખુશી વ્યકત કરતા કહ્યુ હતું કે, PMના ટ્વીટ દ્રારા મારું ગીત દેશના લાખો લોકો સુધી પહોંચ્યું એના માટે હું તેમનો આભાર માનું છું. ગીતા રબારીએ કહ્યું કે આ ગીત સુનિતા જોશીએ વર્ષો પહેલા લખેલું છે.

ગીતા રબારીએ કહ્યુ હતુ કે મારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે મને કહ્યુ હતું કે તમારા જેવી બહેનો દેશની દીકરીઓ માટે પ્રેરણા સમાન છે.

સિંગરે પોતાના એક અનુભવની પણ વાત કરી હતી. કે હું શાળાના એક કાર્યક્રમમાં મેં એક ગીત ગાયું હતું અને તે PM મોદીને પસંદ આવ્યુ હતું. તેમણે મને 250 રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું.

સિંગર ગીતા રબારી પહેલા PM નરેન્દ્ર મોદીએ જુબિન નૌટિયાલ, સ્વસ્તિ મેહુલ અને હંસરાજ રઘુવંશીના રામ ભજન પણ શેર કર્યા હતા.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવવાનો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.