ગીતા રબારીનું ‘શ્રી રામ ઘર આયે’ ગીત સાંભળ્યું કે નહીં, 7 દિવસમાં દોઢ મિલિયન વ્યૂ

‘મેરે રામ પ્રભુજી ઘર આયે’ ગુજરાતની કોકિલ કંઠી ગાયિકા તરીકે જાણીતી સિંગર ગીતા રબારીએ ગાયેલા આ ભજનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર લખ્યું કે ગીતાબેન રબારીનં આ ભજન ભાવવિભોર કરી દે તેવું છે.

આખો દેશ અત્યારે રામ મય બની ગયો છે, કારણકે જે ઘટનાની લોકો વર્ષો વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા તે ઘડી હવે નજીક આવી રહી છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને આખો દેશ ઉત્સાહમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 22 જાન્યુઆરીને દિવાળીની જેમ ઉજવવા માટે લોકોને કહ્યું છે.

અયોધ્યામા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પહેલા ગીતાબેન રબારીના ભજન અંગે PM મોદીએ ટ્વીટ કર્યું છે. PMએ ટાંક્યુ છે કે, અયોધ્યામાં પ્રભૂ શ્રીરામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામલલ્લાના આગમની રાહ હવે પૂર્ણ થવા જઈ રહી છે. દેશભરમાં મારા પરિવારજનોમાં પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. તેમના સ્વાગતમા ગીતાબેન રબારીનુ આ ભજન ભાવ વિભોર થઈ જવાય એવું છે.

ગીતા રબારી ગુજરાતની સિંગર છે અને ગરબા, ભજનો અને ગુજરાતીમાં દેશ-દુનિયામાં ધૂમ મચાવે છે.જ્યારે PM મોદીએ ટ્વીટ કર્યુ તો ગીતા રબારીએ ખુશી વ્યકત કરતા કહ્યુ હતું કે, PMના ટ્વીટ દ્રારા મારું ગીત દેશના લાખો લોકો સુધી પહોંચ્યું એના માટે હું તેમનો આભાર માનું છું. ગીતા રબારીએ કહ્યું કે આ ગીત સુનિતા જોશીએ વર્ષો પહેલા લખેલું છે.

ગીતા રબારીએ કહ્યુ હતુ કે મારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે મને કહ્યુ હતું કે તમારા જેવી બહેનો દેશની દીકરીઓ માટે પ્રેરણા સમાન છે.

સિંગરે પોતાના એક અનુભવની પણ વાત કરી હતી. કે હું શાળાના એક કાર્યક્રમમાં મેં એક ગીત ગાયું હતું અને તે PM મોદીને પસંદ આવ્યુ હતું. તેમણે મને 250 રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું.

સિંગર ગીતા રબારી પહેલા PM નરેન્દ્ર મોદીએ જુબિન નૌટિયાલ, સ્વસ્તિ મેહુલ અને હંસરાજ રઘુવંશીના રામ ભજન પણ શેર કર્યા હતા.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવવાનો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી જુદા જુદા કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને...
Sports 
શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.