આ વિભાગના અધિકારીઓને સરકારનો આદેશ, નેતાઓ અને જનતાનો ફોન ફરજિયાત ઉપાડવા, નહિતર..

છેલ્લા કેટલાક સમયથી સરકારને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે મહેસૂલ વિભાગના અધિકારીઓ લોકો અને તેમના પ્રતિનિધિઓના ફોન કોલ ઉપાડતા નથી, નજરઅંદાજ કરી રહ્યા છે, જેના કારણે સરકારી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ ગંભીર બાબતની નોંધ લઈને સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર જાહેર પાડીને મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ માટે કડક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, મહેસૂલ વિભાગ એ રાજ્ય સરકારના સ્તંભરૂપ તંત્રમાંનો એક મુખ્ય વિભાગ છે. મહેસૂલ વિભાગ હસ્તકના   વર્ગ-1 અને 2 સંવર્ગ અધિકારીઓનું કાર્યક્ષેત્ર વ્યાપક રીતે રાજ્યના નાગરિકોના જીવનને સ્પર્શે છે. આથી મહેસૂલ વિભાગ હસ્તકના વર્ગ-1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય  અધિકારીઓ તેમની સેવાઓ અસરકારક રીતે બજાવી શકે તે માટે આ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

revenue-officers4
gujaratsamachar.com

મહેસૂલ વિભાગના હસ્તકના વર્ગ 1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ સરકારો ફોન નંબર/ જો સરકારી ફોન નંબર મેળવેલ ન હોય તો સંજોગોમાં તેમના નંબર પર આવતા ફોન કોલનો જવાબ આપવાનો રહેશે.

મહેસૂલ વિભાગ હસ્તકના વર્ગ 1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ સરકારી ફોન નંબર સંદર્ભે/ જો સરકારી ફોન નંબર મેળવેલ ન હોય તો તે મેળવવા પરત્વે ઉક્ત સંદર્ભ દર્શિત (3)માં નિર્દિષ્ટ પરિપત્રની જોગવાઈ ધ્યાનમાં લેવાની રહેશે.

મહેસૂલ વિભાગ હસ્તક વર્ગ 1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓએ તેમાંની ફરજો દરમિયાન અનુપસ્થિતિ કે અનુપલબ્ધતાને કારણે અથવા તો મીટિંગ કે અન્ય રીતે વ્યસ્ત હોવાને કારણે (મોબાઈલ/ કચેરી ફોન) ઉપાડી ન શકે તેવા સંજોગોમાં આવા અધિકારીઓએ બનતી ત્વરાએ સામેથી કોલ કરી પદાધિકારીએશ્રી/ઉચ્ચ અધિકારીશ્રી/ અન્ય અધિકારીશ્રીને યોગ્ય તે પ્રત્યુત્તર અચૂક આપવાનો રહેશે.

revenue-officers
gujaratsamachar.com

ફોનાના જવાબ આપવા સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે અને સુયોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ સૂચનાઓ તેમના તાબા હેઠળના તમામ કચેરીઓના વડાઓને જાણ કરવા તથા અમલવારી માટે જરૂરી સૂચનાઓ આપવા જણાવે છે.  

રાજ્યમાં બેજવાબદાર સરકારી અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક વલણ અપનાવી રહી છે. ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત પ્રમુખો અને સામાન્ય જનતાના ફોન ન ઉપાડવાની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે લાલ આંખ કરી છે. આ નિર્ણયથી સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધશે તેવી અપેક્ષા છે.

About The Author

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.