આ વિભાગના અધિકારીઓને સરકારનો આદેશ, નેતાઓ અને જનતાનો ફોન ફરજિયાત ઉપાડવા, નહિતર..

છેલ્લા કેટલાક સમયથી સરકારને સતત એવી ફરિયાદો મળી રહી હતી કે મહેસૂલ વિભાગના અધિકારીઓ લોકો અને તેમના પ્રતિનિધિઓના ફોન કોલ ઉપાડતા નથી, નજરઅંદાજ કરી રહ્યા છે, જેના કારણે સરકારી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ ગંભીર બાબતની નોંધ લઈને સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્ય સરકારે આ અંગે એક પરિપત્ર જાહેર પાડીને મહેસૂલ વિભાગના વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ માટે કડક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, મહેસૂલ વિભાગ એ રાજ્ય સરકારના સ્તંભરૂપ તંત્રમાંનો એક મુખ્ય વિભાગ છે. મહેસૂલ વિભાગ હસ્તકના   વર્ગ-1 અને 2 સંવર્ગ અધિકારીઓનું કાર્યક્ષેત્ર વ્યાપક રીતે રાજ્યના નાગરિકોના જીવનને સ્પર્શે છે. આથી મહેસૂલ વિભાગ હસ્તકના વર્ગ-1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય  અધિકારીઓ તેમની સેવાઓ અસરકારક રીતે બજાવી શકે તે માટે આ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

revenue-officers4
gujaratsamachar.com

મહેસૂલ વિભાગના હસ્તકના વર્ગ 1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ સરકારો ફોન નંબર/ જો સરકારી ફોન નંબર મેળવેલ ન હોય તો સંજોગોમાં તેમના નંબર પર આવતા ફોન કોલનો જવાબ આપવાનો રહેશે.

મહેસૂલ વિભાગ હસ્તકના વર્ગ 1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓએ તેમને ફાળવવામાં આવેલ સરકારી ફોન નંબર સંદર્ભે/ જો સરકારી ફોન નંબર મેળવેલ ન હોય તો તે મેળવવા પરત્વે ઉક્ત સંદર્ભ દર્શિત (3)માં નિર્દિષ્ટ પરિપત્રની જોગવાઈ ધ્યાનમાં લેવાની રહેશે.

મહેસૂલ વિભાગ હસ્તક વર્ગ 1 અને 2 સંવર્ગના ક્ષેત્રિય અધિકારીઓએ તેમાંની ફરજો દરમિયાન અનુપસ્થિતિ કે અનુપલબ્ધતાને કારણે અથવા તો મીટિંગ કે અન્ય રીતે વ્યસ્ત હોવાને કારણે (મોબાઈલ/ કચેરી ફોન) ઉપાડી ન શકે તેવા સંજોગોમાં આવા અધિકારીઓએ બનતી ત્વરાએ સામેથી કોલ કરી પદાધિકારીએશ્રી/ઉચ્ચ અધિકારીશ્રી/ અન્ય અધિકારીશ્રીને યોગ્ય તે પ્રત્યુત્તર અચૂક આપવાનો રહેશે.

revenue-officers
gujaratsamachar.com

ફોનાના જવાબ આપવા સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે અને સુયોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ સૂચનાઓ તેમના તાબા હેઠળના તમામ કચેરીઓના વડાઓને જાણ કરવા તથા અમલવારી માટે જરૂરી સૂચનાઓ આપવા જણાવે છે.  

રાજ્યમાં બેજવાબદાર સરકારી અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક વલણ અપનાવી રહી છે. ખાસ કરીને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પંચાયત પ્રમુખો અને સામાન્ય જનતાના ફોન ન ઉપાડવાની વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે લાલ આંખ કરી છે. આ નિર્ણયથી સરકારી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધશે તેવી અપેક્ષા છે.

About The Author

Top News

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં...
National 
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

આ PIને સલામ! એક વ્યક્તિને બચાવવા વીજ પોલ પર ચઢ્યા, જણાવ્યું- કંઈ વાતનો ડર હતો

થોડા દિવસ અગાઉ મેઘરાજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓની નદીઓ...
Gujarat 
આ PIને સલામ! એક વ્યક્તિને બચાવવા વીજ પોલ પર ચઢ્યા, જણાવ્યું- કંઈ વાતનો ડર હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.