વિવાદમાં રહેતી કીર્તિ પટેલે મહાશિવરાત્રીની રાતે મૃગીકુંડમાં કર્યું સ્નાન, સાધુ-સંતોમાં રોષ, પોલીસનું પણ અપમાન કર્યું

સુરતની લેડી ડોન અને વિવાદાસ્પદ એન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરીથી વિવાદમાં આવી છે. જૂનાગઢ મહાશિવરાત્રિના છેલ્લા દિવસે રાતે મેળામાં મૃગીકુંડમાં કીર્તિ પટેલે ડૂબકી લગાવતા વિવાદ સર્જાયો છે. મહિલા પોલીસે કીર્તિ પટેલને મૃગીકુંડમાંથી બહાર કાઢી હતી.

સામાન્ય રીતે સાધુસંતો મોટી સંખ્યામાં આવીને મૃગીકુંડમાં ડૂબકી લગાવતા હોય છે. આ મેળો સાધુસંતો માટે ખૂબ જ આસ્થાનો વિષય છે. આવી પરિસ્થિતિમાં વિવાદીત ચહેરો કીર્તિ પટેલે સાધુસંતો જેવો વેશ ધારણ કરીને મહાશિવરાત્રીના દિવસે જ મહાપવિત્ર મૃગીકુંડમાં ડૂબકી લગાવતા વિવાદ સર્જાયો છે.

https://www.instagram.com/p/DUyiIywjUrs/

મૃગીકુંડમાં સ્નાન બાદ કિર્તી પટેલની દાદાગીરી સામે આવી હતી અને સાધુસંતોએ વિરોધ કરતા નફ્ફટાઇભર્યું વર્તન કર્યું હતું અને શું હું સનાતની નથી? તેમ કહી કીર્તિ પટેલે રૂઆબ બતાવ્યો હતો અને મીડિયા પર આક્ષેપ લગાવતા કહ્યું હતુ કે, TRP લેવા પાછળ પડી જાવ છો, તમને કવર કોણે આપ્યા છે. મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે જાહેરમાં કહ્યું છે કે, 'હું સનાતની છું હું તો સ્નાન કરીશ જ.' જોકે, બીજી બાજુ કીર્તિ પટેલના આવવાથી સાધુસંતો ભારે ગુસ્સે ભરાયા છે.

Kirti Patel
bhaskarenglish.in

સાધુઓનું કહેવું છે કે, કયા અખાડાએ કિર્તી પટેલને સ્નાન માટે આમંત્રણ આપ્યું અને કિર્તી પટેલ ઘણીવાર સુધી મૃગી કુંડમાં સ્નાન કરતી રહી અને રવેડીમાં પણ ફરી હતી. સાધુ સંતોના વિરોધ બાદ કિર્તી પટેલને બહાર કરવામાં આવી હતી.

કિર્તી પટેલના સ્નાન બાબતે નાયબ કલેકટરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, કિર્તી પટેલના સામે સાધુ સંતોમાં નારાજગી હતી અને ધાર્મિક લાગણી દુભાશે તો કિર્તી પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Kirti Patel
bhaskarenglish.in

 SDM, ચરણસિંહ ગોહિલે જણાવ્યું છે કે, કીર્તિ પટેલે સાધુના રૂપે છૂપી રીતે અહીં સાધુસંતોની વચ્ચે પ્રવેશ કર્યો છે. સાધુસંતોની વચ્ચે ભળી જઈને મૃગીકુંડમાં ડૂબકી લગાવી છે. સાધુસંતોએ અમારું ધ્યાન દોર્યું એટલે અમે તરત જ તેને બહાર કરી હતી. આ બાબતે ત્રણેય અખાડાના સાધુસંતોને પૂછીને જે પણ કાર્યવાહી આગળ કરવાની હશે તે કરવામાં આવશે. એ સાધુના કપડાં પહેરીને આવી હતી અને સાધુઓના ટોળાંની વચ્ચે છૂપી રીતે અંદર આવી ગઈ હતી એટલે પ્રશાસનને જાણ ન થઈ. આ બાબતે તંત્ર દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે કરવામાં આવશે. 

https://www.instagram.com/p/DUyhn9Kjax0/

ખાખી મઢીના મહંત સુખરામદાસનું કહ્યું કે, ‘કેટલાક સાંસારિક લોકોએ મૃગી કુંડને દૂષિત કર્યો છે અને વિવાદ થતા તંત્રએ કિર્તી પટેલને દૂર કરી હતી અને હું તંત્રનો આભાર માનું છું.

About The Author

Related Posts

Top News

આ ગામમાં 15 દિવસમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 5 બાળકો પણ, આખું હેલ્થ ડિપાર્ટમેન્ટ ગામમાં પહોંચ્યું

હરિયાણાના પલવલ જિલ્લાના એક ગામમાં છેલ્લા 15 દિવસમાં 12 લોકોના મોત થયા છે. આમાં પાંચ સ્કૂલના બાળકોનો પણ સમાવેશ થાય...
National 
આ ગામમાં 15 દિવસમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 5 બાળકો પણ, આખું હેલ્થ ડિપાર્ટમેન્ટ ગામમાં પહોંચ્યું

17 તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં સૂતક કાળ લાગૂ થશે? નોંધી લો ટાઈમિંગ

2026નું પહેલું સૂર્યગ્રહણ થવાનું છે. 17 ફેબ્રુઆરીએ કુંભ રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં સૂર્યગ્રહણ થશે. આ એક રિંગ સૂર્યગ્રહણ હશે....
Astro and Religion 
17 તારીખે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, શું ભારતમાં સૂતક કાળ લાગૂ થશે? નોંધી લો ટાઈમિંગ

પાક. કેપ્ટનની એક ભૂલ કેવી રીતે બની ગઈ ગેમ ચેન્જર, કેપ્ટન સૂર્યાએ કોલંબોની જીત બાદ રહસ્ય ખોલ્યું

ભારતે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. આ T20 વર્લ્ડ કપ મેચ અગાઉ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ...
Sports 
પાક. કેપ્ટનની એક ભૂલ કેવી રીતે બની ગઈ ગેમ ચેન્જર, કેપ્ટન સૂર્યાએ કોલંબોની જીત બાદ રહસ્ય ખોલ્યું

અદ્ભુત નીકળ્યો એક નાનો એવો શેયર... 1 લાખનું રોકાણ કરનારા માત્ર 22 મહિનામાં 6 કરોડ કમાયા!

શેરબજારમાં, એ કહેવું મુશ્કેલ છે કે ક્યારે કોઈ સ્ટોક અજાયબીઓ કરશે, તેના રોકાણકારોને ધનવાન બનાવી દેશે અને ક્યારે...
Business 
અદ્ભુત નીકળ્યો એક નાનો એવો શેયર... 1 લાખનું રોકાણ કરનારા માત્ર 22 મહિનામાં 6 કરોડ કમાયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.