એડવોકેટ મેહુલ બોઘરાને નોટિસ મામલે જુઓ પોલીસ ઇન્સ્પેક્ટરે શું કહ્યું

ટ્રાફીક પોલીસના તોડપાણીના અનેક વીડિયો વાયરલ કરીને જાણીતા બનેલા એડવોકેટ મેહુલ બોઘરાના 2 વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. મેહુલ બોઘરાએ એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે કે પોલીસ મફતમાં ફિરકી લેવા આવી હોવાથી બબાલ થઇ હતી. એની સામે ACP વી આર પટેલે ચોખવટ કરતા કહ્યું હતું કે, બોઘરાના આક્ષેપો પાયા વિહોણા છે, પોલીસ તો પોલીસનું કામ કરવા માટે ગઇ હતી. ઘટના એવી હતી કે 12 જાન્યુઆરીએ રવિ કાથલોતિયા નામના વ્યક્તિ સરથાણા પાસે ખુલ્લા પ્લોટમાં પતંગ વેચતા રાજુ ગજેરાની દુકાને ગયા હતા અને ફિરકી ખરીદી હતી. એ પછી 14 જાન્યુઆરીએ જ્યારે પતંગ ચગાવ્યા તો દોરી કાચી નિકળી હતી. રવિ કાથલોતિયા આની ફરિયાદ કરવા ગયા હતા પછી બબાલ થઇ હતી. ઘટના સ્થળે પોલીસની PCR વાન પહોંચી હતી. રવિ કથલોતિયા અને રાજુ ગજેરાની બબાલમાં મુકેશ સોંલકી નામનો વ્યકિત પણ પડ્યો હતો. પોલીસ બધાને સરથાણા પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ત્યાં રાજુ અને રવિ વચ્ચે સમાધાન થઇ ગયું હતું, પરંતુ મુકેશ સોંલકી દારૂ પીધેલો હતો એટલે પોલીસે તેની સામે કેસ કર્યો હતો.

બીજા વીડિયોમાં પોલીસ મેહુલ બોઘરાની ઓફિસે નોટીસ લઇને પહોંચી હતી તો બોઘરાએ કહ્યું કે, પહેલા મારી સામે ગુનો નોંધો પછી નોટીસ લઇને આવો. પોલીસે વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું. આ બાબતે KhabarChhe.Comએ સરથામા પોલીસ સ્ટેશનના PI વી આઇ. પટેલ સાથે વાત કરી હતી. અમે વી. આઇ. પટેલને પુછ્યું હતું કે શું તમે મેહુલ બોઘરા સામે FIR કરવાનો છો? તો PIએ કહ્યું હતું કે હજુ નક્કી નથી. બીજો સવાલ અમે એ કર્યો હતો કે શું FIR પહેલા નોટીસ મોકલી શકાય? તો PIએ કહ્યું હતું કે હા મોકલી શકાય.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.