એડવોકેટ મેહુલ બોઘરાને નોટિસ મામલે જુઓ પોલીસ ઇન્સ્પેક્ટરે શું કહ્યું

ટ્રાફીક પોલીસના તોડપાણીના અનેક વીડિયો વાયરલ કરીને જાણીતા બનેલા એડવોકેટ મેહુલ બોઘરાના 2 વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. મેહુલ બોઘરાએ એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે કે પોલીસ મફતમાં ફિરકી લેવા આવી હોવાથી બબાલ થઇ હતી. એની સામે ACP વી આર પટેલે ચોખવટ કરતા કહ્યું હતું કે, બોઘરાના આક્ષેપો પાયા વિહોણા છે, પોલીસ તો પોલીસનું કામ કરવા માટે ગઇ હતી. ઘટના એવી હતી કે 12 જાન્યુઆરીએ રવિ કાથલોતિયા નામના વ્યક્તિ સરથાણા પાસે ખુલ્લા પ્લોટમાં પતંગ વેચતા રાજુ ગજેરાની દુકાને ગયા હતા અને ફિરકી ખરીદી હતી. એ પછી 14 જાન્યુઆરીએ જ્યારે પતંગ ચગાવ્યા તો દોરી કાચી નિકળી હતી. રવિ કાથલોતિયા આની ફરિયાદ કરવા ગયા હતા પછી બબાલ થઇ હતી. ઘટના સ્થળે પોલીસની PCR વાન પહોંચી હતી. રવિ કથલોતિયા અને રાજુ ગજેરાની બબાલમાં મુકેશ સોંલકી નામનો વ્યકિત પણ પડ્યો હતો. પોલીસ બધાને સરથાણા પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. ત્યાં રાજુ અને રવિ વચ્ચે સમાધાન થઇ ગયું હતું, પરંતુ મુકેશ સોંલકી દારૂ પીધેલો હતો એટલે પોલીસે તેની સામે કેસ કર્યો હતો.

બીજા વીડિયોમાં પોલીસ મેહુલ બોઘરાની ઓફિસે નોટીસ લઇને પહોંચી હતી તો બોઘરાએ કહ્યું કે, પહેલા મારી સામે ગુનો નોંધો પછી નોટીસ લઇને આવો. પોલીસે વીલા મોઢે પાછા ફરવું પડ્યું હતું. આ બાબતે KhabarChhe.Comએ સરથામા પોલીસ સ્ટેશનના PI વી આઇ. પટેલ સાથે વાત કરી હતી. અમે વી. આઇ. પટેલને પુછ્યું હતું કે શું તમે મેહુલ બોઘરા સામે FIR કરવાનો છો? તો PIએ કહ્યું હતું કે હજુ નક્કી નથી. બીજો સવાલ અમે એ કર્યો હતો કે શું FIR પહેલા નોટીસ મોકલી શકાય? તો PIએ કહ્યું હતું કે હા મોકલી શકાય.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.