રાજપૂત જાગીરદાર સમાજ પોતાનું બંધારણ જાહેર કર્યું, લગ્નમાં ડીજે-બેન્ડ લાવવું નહીં, દાગીનો પણ...

બનાસકાંઠા જિલ્લાના ઓગડના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને દેશવટો આપવો અને પ્રસંગોમાં થતા બિનજરૂરી આર્થિક ખર્ચને અટકાવવાનો હતો. સમાજે 7 વિભાગોમાં વહેંચાયેલા 15 મુખ્ય મુદ્દાઓ સાથેનું એક નવું સામાજિક બંધારણ જાહેર કર્યું છે.

03

સામાજિક બંધારણના મુખ્ય નિયમો:

સગાઈ અને લગ્ન પ્રસંગના નિયમો:

  • સગાઈ: દીકરા-દીકરીની સગાઈમાં માત્ર એક દાગીનો, સાડી અને શ્રીફળ આપવું. પહેરામણી તરીકે મહત્તમ 2100 રૂપિયાની મર્યાદા નક્કી કરાઈ છે અને સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જ લોકોએ જવું.
  • ભેટ-સોગાદ: વરરાજાને એક વીંટી, ઘડિયાળ અને કપડાંની સાથે ચાંદલામાં માત્ર 1100 રૂપિયા લેવા-આપવા. લગ્નમાં 11 જોડી કપડાંની મર્યાદા રાખવી.
  • પ્રથાઓ પર પ્રતિબંધ: લગ્નમાં હલ્દી પ્રથા, વરઘોડામાં ઘોળ પ્રથા અને ઝાપા શીખની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. બારણું રોકવા માટે દાગીનાને બદલે મર્યાદિત રોકડ આપવી.
  • મનોરંજન અને શિસ્ત: લગ્ન પ્રસંગે ડીજે, બેન્ડ કે કલાકારો લાવવા નહીં. તેમજ પ્રસંગોમાં જુગાર રમવા પર કડક પ્રતિબંધ મુકાયો છે.

મરણ પ્રસંગના નિયમો:

  • મરણ પ્રસંગે ભાતી, બારા કે તેરસની લેવડ-દેવડ કરવી નહીં.
  • આવતા મહેમાનોને ભાડા આપવા નહીં અને સાડી આપવાને બદલે માત્ર 20 કે 50 રૂપિયા આપવા.
  • અસ્થિ વિસર્જન માટે માત્ર કુટુંબના સભ્યોએ જ જવું જેથી બિનજરૂરી ખર્ચ ટાળી શકાય.

02

નિયમ ભંગ બદલ કડક સજા

સમાજના અગ્રણીઓએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ આ સામાજિક બંધારણના નિયમોનો ભંગ કરશે, તો તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. નિયમ તોડનારના ઘરે કોઈએ જવું નહીં તેવો સામૂહિક નિર્ણય લેવાયો છે.

આ ઐતિહાસિક પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરથી દેવાનો બોજ ઘટશે અને સમાજમાં એક સકારાત્મક પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

 

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.