શું છે એનીમિયાના લક્ષણ, જાણો કારણો અને કેવી રીતે દૂર કરશો

એનીમિયા એક લોહી સંબંધિત બીમારી છે. આ બીમરીનો શિકાર મોટેભાગે મહિલઓ બને છે. એનીમિયા થવાથી શરીરમાં આયર્નની કમી થાય છે અને તેના લીધે આગળ જતા હિમોગ્લોબીન બનવાનું પણ ઓછું થઈ જાય છે. જેના લીધે શરીરમાં લોહીની કમી ઊભી થાય છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબીન ઓછું થાય તો, નસોમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જેનાથી એનીમિયાની બીમારી થવાના ચાન્સીસ વધી જાય છે.

આપણા શરીરમાં આયર્નની કુલ માત્રા શરીરના વજનના હિસાબે 3 થી 5 ગ્રામની હોય છે. જ્યારે તે ઓછું થઈ જાય ત્યારે શરીરમાં લોહી બનતું નથી. એક રીપોર્ટ પ્રમાણે ભારતમાં આશરે 60 ટકા લોકો એનીમિયાથી પીડિત છે અને તેમાં સૌથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે.

એનીમિયા શું છે:

એનીમિયા થવાનું સૌથી મોટું કારણ શરીરમાં આયર્નની માત્રા ઓછી હોવી.

જો તમે ખાવામાં કેલ્શિયમ વધુ લેતા હો, તો તે પણ એનીમિયા થવાનું એક કારણ બની શકે છે.

લીલા શાકભાજી ન ખાવાથી.

શરીરમાંથી વધારે માત્રામાં લોહી વહી જવાને લીધે પણ થઈ શકે છે.

એનીમિયાના લક્ષણઃ

ઉઠતા-બેસતા ચક્કર આવવા.

દરેક સમયે થાક લાગવો

હ્રદયના ધબકારા અસામાન્ય હોવા.

શ્વાસ લેવામાં તકલીફ થતી હોય.

સ્કીન અને આંખમાં પીળાપણું આવી જવું.

તળવા અને હથેળીઓ ઠંડી થઈ જાય.

એનીમિયાથી કેવી રીતે બચશો અને તેનો ઈલાજઃ

શરીરમાં લોહીની કમીને લીધે જ એનીમિયા થાય છે. તેના માટે ખાવાની ટેવમાં ફેરફાર કરવાની જરૂર છે. શરીરમાં આયર્નનની જરૂર પૂરી કરવા માટે બીટ, ગાજર, ટમેટા અને લીલા શાકભાજીને તેને દરરોજના ખાવામાં સામેલ કરવા જોઈએ.

જ્યારે પણ ઘરે શાકભાજી બનાવો તો તેને લોખંડનું પડ ધરાવતા પેનમાં બનાવો. તેનાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે.

ખાવામાં ગોળ-ચણાનો ઉપયોગ કરો. કાળો ગોળ ખાવાની આદત પાડો. કાળો ગોળ હિમોગ્લોબીન બનાવવામાં મદદ કરે છે.

જો તમારા શરીરમાં વધારે કેલ્શિયમ જઈ રહ્યું હોય તો તે પણ એનીમિયાનું કારણ બની શકે છે, તે માટે ડૉકટરની સલાહ લઈને કેલ્શિયમને સામાન્ય સ્તર પર લાવવું જોઈએ.

જો આયર્ન શરીરમાં ઓંછું થઈ ગયું હોય તો ડૉક્ટરની સલાહ લઈને આયર્નની ટેબલેટ પણ લઈ શકો છો.

 

  

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.