જો આ રીતે ખરી રહ્યા હોય વાળ તો તમને ટૂંક સમયમાં જ પડી શકે છે ટાલ

On

વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ જો તમારા વાળ જરૂરિયાત કરતા વધુ ખરતા હોય તો સ્થિતિ ગંભીર હોઈ શકે છે. જો તમારા વાળ સામાન્ય કરતા વધુ અને જગ્યાએ-જગ્યાએ ખરતા હોય તો તમે એલોપેસિયાના શિકાર હોઈ શકો છો.

શું છે એલોપેસિયા?

પુરુષોમાં હેર લોસને તેમની વધતી ઉંમર સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ એલોપેસિયામાં એવું નથી હોતું. પુરુષ હોય કે મહિલા, કોઈને પણ એલોપેસિયાની ફરિયાદ હોઈ શકે છે. આ બીમારીમાં વાળ માત્ર સ્કાલ્પમાંથી જ નહીં પરંતુ શરીરના કોઈપણ ભાગમાંથી ખરવા માંડે છે. જીનેટિક્સના આધાર પર એલોપેસિયામાં સૌથી વધુ વાળ માથા પરથી ખરે છે. દરેક મહિલા અને પુરુષના રોજ 100 વાળ ખરવા સામાન્ય વાત છે, પરંતુ વધુ પડતા વાળ ખરવા એ સારો સંકેત નથી.

એલોપેસિયાના લક્ષણ

મોટાભાગના લોકોના વાળ દર મહિને અડધો ઈંચ સુધી વધે છે અને વાળનો 90 ટકા હિસ્સો આપમેળે જ વધ્યા કરે છે, જ્યારે 10 ટકા હિસ્સો નિષ્ક્રિય રહે છે. બે કે ત્રણ મહિના બાદ વાળનો આ 10 ટકા નિષ્ક્રિય હિસ્સો પણ ખરવા માંડે છે અને તેની જગ્યાએ નવા વાળ આવવા માંડે છે. આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે.

એલોપેસિયામાં વાળ ખરવાને કારણે માથાની ત્વચા પર ગોળાકાર પેચ બનવા માંડે છે. વાળ ખરવા અને હેર લોસ બંને અલગ-અલગ હોય છે. સ્ટ્રેસ, પ્રેગ્નેન્સી, ડિવોર્સ અથવા દુઃખ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. જ્યારે હેર લોસ થવા પર નવા વાળ ઉગવાના બંધ થઈ જાય છે. ખરાબ હેરસ્ટાઈલ, હોર્મોનમાં ગડબડ, સર્જરી, બીમારી અને ન્યુટ્રિશનની ઉણપને કારણે એલોપેસિયા થઈ શકે છે.

આથી, જો તમારા પણ વધુ પડતા હેર લોસ થઈ ગયા હોય, તો ઊંટવૈદું કરવાને બદલે યોગ્ય હેસ સ્પેશ્યાલિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવ્યા બાદ તેનો ઈલાજ કરવો વધુ હિતાવહ છે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.