એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા,

૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા જીવનનું પહેલું ઋણ છે.

૨. હંમેશા સત્યનો સાથ આપજે પછી ભલે તને નુકસાન થાય. જૂઠાણાનો ટૂંકો રસ્તો લાંબે ગાળે શાંતિ નથી આપતો.

02

૩. મહેનતને કદી નાની ના સમજતો. સફળતા રાતોરાત નથી આવતી એ રોજની મહેનતનું વ્યાજ છે.

૪. સ્ત્રીનું સન્માન કરજે. જે પુરુષ બીજાની દીકરી બહેનનું અપમાન કરે છે એ પોતાની મા બહેનને પણ સુરક્ષિત નથી રાખી શકતો.

૫. પૈસા કમાજે પણ એને ગુલામ ના બનતો. પૈસા તારા માટે હોય; તું પૈસા માટે નહીં.

૬. મિત્રો પસંદ કરતી વખતે સાવધાન રહેજે. સારા મિત્ર તને ઊંચો લઈ જાય છે અને ખરાબ મિત્ર તને નીચે પણ ખેંચી શકે છે.

૭. ગુસ્સો આવે ત્યારે બોલતા પહેલાં એક વાર ઊંડો શ્વાસ લે. ગુસ્સામાં કહેલા શબ્દો પાછા નથી આવતા.

૮. પોતાના સ્વાસ્થ્યની કાળજી લેજે. તંદુરસ્ત શરીર વગર તું કોઈનું સુખ આપી શકીશ નહીં.

01

૯. નિષ્ફળતાથી ડરતો નહીં. એ જીવનનો શિક્ષક છે. જે વારંવાર નિષ્ફળ થાય છે એ જ એક દિવસ મોટી સફળતા મેળવે છે.

૧૦. છેલ્લે... હંમેશા યાદ રાખજે કે તારું નામ મારું નામ છે. તું જે કરીશ એનું પ્રતિબિંબ મારા પર પણ પડશે. પણ તારા પોતાના માટે જીવજે મારી નહીં, સમાજ માટે જીવજે, તારા બાળકો માટે જીવજે સાથે સાથે તારા અંતરાત્માની ખુશી માટે જીવજે. 

આ સલાહ માનજે તો જીવન સરળ અને સુંદર બની જશે.

એક પિતા.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.