ભાષાંતર ના કરો મારી લાગણીઓનું કેમ કે એમાં પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ વધુ છે

(Utkarsh Patel)

લાગણીઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. ઉપરોક્ત વાત એક એવા વ્યક્તિત્વએ સોશિયલ મીડિયામાં લખી હતી કે જેમનું મારા જીવનમાં ધર્મ અને સમાજસેવામાં ડગલે ને પગલે માર્ગદર્શન રહ્યું અને માતૃત્વરૂપ વડીલ પણ ખરા. નતમસ્તક વંદન મારા સૌ વડીલોને.

લાગણીઓ આપણા જીવનમાં સુખ અને દુઃખ લાવતી હોય છે. લાગણીઓથી જ પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ બનતો હોય છે. વધુ લાગણીશીલ હોવું સારું સાબિત થતું નથી અને ઓછા લાગણીશીલ હોવું પણ બીજાને દુઃખ આપી જનારું સાબિત થતું હોય છે.

આપણે લાગણીશીલ હોઈએ એટલે લાગણીઓની વાત કરી લઈએ કેમ કે જેમનામાં લાગણીઓ ઓછી છે કે છેજ નહીં એમની પાછળ સમય વેડફવો જોઈએ નહીં એવું મારું માનવું છે.

લાગણીશીલ વ્યક્તિઓ હંમેશાં કંઈક સારી ભાવના વાળા જ હોય છે, તેઓ સૌનું સારું જ વિચારે અને સારું જ કરે. લાગણીશીલ વ્યક્તિઓ ક્યારેય એમની સાથે છળ કપટ દગો કે અપમાન કરનારાઓનું પણ અહિત કે અપમાન કરતા નથી અને સંબંધો પર પૂર્ણવિરામ પણ મૂકતા નથી. ખોટા દુઃખદ વ્યવહાર કે અનુભવ પછી લાગણીશીલ વ્યક્તિઓ એવા સંબંધોથી મૌન અને અંતર રાખી સબંધોમાં અલ્પવિરામ મૂકી દેતા હોય છે! આવા લાગણીશીલ વ્યક્તિઓ જ સમાજમાં મનાવતા જીવીત રાખી શક્યા છે. લાગણીશીલ વ્યક્તિઓ તેમનું અહિત કરનારાઓની પણ નીંદા સાંભળતા નથી કે નીંદક બનતા પણ નથી!

લાગણીઓને સમજજો. પોતાની લાગણીઓ, કૌટુંબિક સ્વજનોની લાગણીઓ, મિત્રો અને સમાજજીવનમાં પરિચિતોની લાગણીઓ સમજજો. લાગણીઓને સમજીલેવાથી આપ સમજી શકશો કે સુખને આમંત્રણ આપી રહ્યા છો કે દુઃખને.

મારા જીવનના અનુભવ સાર મુજબ વાત અલ્પવિરામ અને પૂર્ણવિરામ ની...

અલ્પવિરામ આપણને પ્રભુ શ્રી રામના જીવન થી શીખી શકીએ અને ઘણા અલ્પવિરામો પછી મજબૂરીનું પૂર્ણવિરામ આપણે પ્રભુ શ્રી કૃષ્ણ પાસેથી શીખી શકીએ.

અગત્યનું:

ચોક્કસથી લાગણીશીલ બનજો પણ સંબંધોમાં અલ્પવિરામ કયા મુકવું એ જરૂરથી શીખજો.

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.