દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેલ ઓછું ખાઓ. તે પણ એક પ્રકારની દેશભક્તિ જ છે. તમે તે ઓછું ખાશો તો ડોલર બચશે. તેનાથી આપણે પેટ્રોલ ડિઝલના વધતા ભાવોને કાબુમાં રાખી શકીશું. PM મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે તેલ ઓછું ખાવાથી દેશભક્તિ તો થશે જ સાથે દેહભકિત પણ થશે. તો ચાલો જાણીએ આપણે તેલ કેટલું ખાઇએ છીએ. કેટલું બહારથી મગાવીએ છીએ. 

કદાચ તમને એમ હશે તો તેલ તો આપણે દેશમાં જ પેદા કરતા હોઇશું પરંતુ હકીકત એ છે કે આપણે 60 ટકા જેટલું ખાદ્યતેલ આયાત કરીએ છીએ. આપણે પામ ઓઇલ, સોયાબીન ઓઇલ અને સનફ્લાવર ઓઇલ વિદેશોમાંથી મગાવીએ છીએ. તાજેતરના આંકડા મુજબ આપણે ગત વર્ષે 1.6 કરોડ ટન જેટલું ખાવાનું તેલ આયાત કર્યું જેમાં રૂ1.62 લાખ કરોડ ખર્યાયા. આ રૂપિયા આપણે ડોલરમાં આપવા પડે છે. આમ આપણે દેશમાં જેટલું ક્રુડ ઓઇલ મંગાવીએ છીએ તેમાં લગભગ 16 લાખ કરોડ ખર્યાય છે અને ખાવાના તેલમાં 1.6 લાખ કરોડ રૂપિયા ખર્ચાય છે. એટલે કે લગભગ ક્રૂડ ઓઇલનો લગભગ 10 ટકા જેટલો ખર્ચ ખાવાના તેલમાં થાય છે. જો ખાવાનું તેલ ઓછું કરીએ તો તેમાં રાહત થાય તેમ છે. 

PM-Modi1
facebook.com/narendramodi

આપણે ખાવાનું તેલ ઇન્ડોનેશિયા, મલેશિયા, અર્જેન્ટિના અને બ્રાઝિલ જેવા દેશો પાસેથી આયાત કરીએ છીએ જેમાં ડોલરમાં રૂપિયા ચૂકવવા પડે છે. ભારતે જ્યારે વર્ષ 1990 પછી ગ્લોબલાઇઝેશન અપનાવ્યું ત્યારપછી વિદેશથી આવતું તેલ સસ્તું થઇ ગયું. જેના કારણે સ્થાનિક ખેડૂતોએ તેલિબિયાં ઉગાડવાના ઓછા કરી દીધા. હવે આ સ્થિતિમાંથી નીકળવું હોય તો આપણે આમાં આત્મનિર્ભર બનવું પડશે. સ્થાનિક ખેડૂતોએ તેલિબિયાંના પાકો વધારવા પડશે જેનાથી ઇમ્પોર્ટ પર નિર્ભરતા ઓછી થાય.

About The Author

Related Posts

Top News

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

સોને કી ચિડિયા કહેવાતા દેશને PM મોદી 1 વર્ષ સોનું ખરીદવાની ના કેમ પાડી રહ્યા છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસિયોં ને એક અપીલ કરી છે કે તેઓ 1 વર્ષ સુધી સોનું ન ખરીદે. તેમણે તો ત્યાં...
Business 
સોને કી ચિડિયા કહેવાતા દેશને PM મોદી 1 વર્ષ સોનું ખરીદવાની ના કેમ પાડી રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.